Home Blog Page 1742

રાશિ ભવિષ્ય 10/06/2024 થી 16/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાની વૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.

રાશિ ભવિષ્ય 10/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિક સ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી, ખાંસી, તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

ચાર વર્ષની ઉંમરે આંખો ગુમાવી, હિંમત નહીં!

અમદાવાદ: ચાર વર્ષની ઉંમર સુધી સુંદર વિશ્વને નરી આંખે જોયા બાદ અચાનક એ આંખોની રોશની છીનવાઇ જાય તો? કુદરતની આવી ક્રૂર મજાક સામે જરાય હતાશ થયા વગર લડત આપવી અને કંઈક કરી બતાવવું એ ખરેખર બહુ મોટી વાત છે.

આ કામ કરી બતાવ્યું છે રાહુલ વાઘેલાએ. મૂળ જામનગરનો વતની અને હાલ અમદાવાદના અંધજન મંડળમાં અભ્યાસ કરતો પ્રજ્ઞાચક્ષુ રાહુલ વાઘેલા ભણવામાં તો હોંશિયાર છે જ, પણ સાથે સાથે ચેસની રમતમાં પણ તેણે સમગ્ર દેશમાં નામના મેળવી છે. રાહુલ આગામી 27મી સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી બેંગ્લોરમાં યોજાનાર પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓની વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં જોડાઈને ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

રાહુલ જ્યારે ચાર વર્ષનો હતો, ત્યારે તીવ્ર તાવમાં ખેંચ આવતાં તેણે બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી હતી. રાહુલના પરિવારમાં તેના સિવાય અન્ય બે ભાઈ, એક બહેન અને માતા-પિતાનો સમાવેશ થાય છે. રાહુલના માતા-પિતા સાવરણી બનાવીને તેનું વેચાણ કરે છે. રાહુલનો મોટો ભાઈ પણ તેનાં જેમ પ્રજ્ઞાચક્ષુ છે. જે B.A.નો અભ્યાસ કરે છે. જ્યારે નાનો પિતાને વ્યવસાયમાં મદદ કરે છે અને નાની બહેન પણ અભ્યાસ કરે છે. રાહુલે પ્રારંભિક અભ્યાસ જામનગર ખાતે અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં મેળવ્યું હતું.

ચેસ પ્રત્યેની રૂચિ વિશે ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં રાહુલ કહે છે કે, “જ્યારે હું ધોરણ-5માં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા શિક્ષકે મને પૂછ્યું કે તારે એથ્લેટિક, ક્રિકેટ અને ચેસ આ ત્રણમાંથી કઈ સ્પર્ધામાં ભાગ લેવો છે. ત્યારે મેં ચેસની સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું. જેમાં હું વિજેતા પણ બન્યો. એ પછી ચેસમાં આગળ વધવા માટે મેં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું. 2022માં હું 9મા ધોરણમાં અભ્યાસ કરવા માટે અંધજન મંડળ અમદાવાદ ખાતે આવ્યો. અહીં મને પ્રજ્ઞેશ સર પાસેથી ચેસનું ઈન્ટરમિડીએટ લેવલનું નોલેજ મળ્યું. બાદમાં મેન્ટર પારિતોષ દવેએ મને પર્સનલ કોચ તરીકે જલ્પન ભટ્ટ પાસેથી કોચિંગ અપાવવાનું શરૂ કર્યું. જેથી 2023-24 માં યોજાયેલ ઓપન સ્ટેટ સિલેક્શનમાં મેં પ્રથમ રેન્ક મેળવ્યો હતો. મેં જાન્યુઆરી 2024માં નેશનલ લેવલ પર જુનિયર ચેમ્પિયનશીપમાં ચોથો રેન્ક પ્રાપ્ત કર્યો. જેના આધારે સપ્ટેમ્બર 2024માં બેંગ્લોર ખાતે યોજાનાર બ્લાઇન્ડ ખેલાડીઓની વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મને ઉત્તમ તક મળી છે.”વાતચીતમાં એ ઉમેરે છે કે કપરાં સમયમાં પણ તેના માતા-પિતાએ સંઘર્ષના દરેક સમયમાં તેની મદદ કરી છે. જેનાથી તેનાં આત્મવિશ્વાસમાં ઘણો વધારો થયો છે. રાહુલ આ વર્ષે લેવાયેલી બોર્ડની ધોરણ-12 આર્ટ્સની પરીક્ષા 80 ટકા સાથે પાસ થયો છે. હવે આગળ તે B.A.માં એડમિશન લેવાની પ્રક્રિયા કરી રહ્યો છે. સાથે જ ઈન્ટરનેશનલ લેવલે ચેસની રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સખત મહેનેત પણ કરી રહ્યો છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

(તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)

સુવિચાર – ૧૦ જૂન, ૨૦૨૪

૧૦ જૂન, ૨૦૨૪

પંચાંગ 10/06/2024

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ બહુમતી હાંસલ કરી છે. નરેન્દ્ર મોદી (73) ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત વડા પ્રધાન બનનારા બીજા નેતા હશે. નેહરુ 1952, 1957 અને 1962ની સામાન્ય ચૂંટણી જીત્યા હતા.

પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ અને ભૂટાનના વડા પ્રધાને હાજરી આપી હતી. વડા પ્રધાન શેરિંગ તોબગેએ હાજરી આપી હતી.

પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં ગૌતમ અદાણી, મુકેશ અંબાણી સહિત અનેક ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. આ સિવાય અભિનેતા શાહરૂખ ખાન, અક્ષય કુમાર, રજનીકાંત સહિત ઘણા કલાકારોએ ભાગ લીધો હતો. આ લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી, જે બહુમતીના આંકડા કરતા 32 ઓછી છે. જો કે એનડીએને 293 સીટો મળી છે. 2019ની ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી.

IND vs PAK : પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

T20 વર્લ્ડ કપ 2024 ની શાનદાર મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો આઠમી વખત આમને-સામને મેદાનમાં ઉતરી રહી છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન માત્ર એક જ વાર ભારતને હરાવી શક્યું છે, જ્યારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વખત હરાવ્યું છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. ગ્રુપ-A અંતર્ગત આ મેચ ન્યૂયોર્કમાં રમાઈ રહી છે. મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ પહેલા ન્યૂયોર્કમાં ભારે વરસાદને કારણે મેચ અડધો કલાક મોડી પડી હતી.

આજે ન્યુયોર્કમાં વરસાદની 42% સંભાવના છે. જો મેચ વરસાદના કારણે ધોવાઇ જાય તો બંને ટીમોને એક-એક પોઇન્ટ મળશે. તમને જણાવી દઈએ કે ICCએ ગ્રુપ મેચો માટે રિઝર્વ ડે કે વધારાના સમયની કોઈ જોગવાઈ નથી કરી.

આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમોની આ બીજી મેચ છે. અગાઉ આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને અમેરિકા જેવી નવી ટીમે કારમી હાર આપી હતી. ત્યારથી બાબર આઝમની કેપ્ટનશીપવાળી પાકિસ્તાની ટીમની ભારે ટીકા થઈ રહી છે. જ્યારે બીજી તરફ ભારતે તેની પ્રથમ મેચ જીતી લીધી છે.

પાકિસ્તાને એક ફેરફાર કર્યો

પાકિસ્તાને છેલ્લી મેચ બાદ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે અને આઝમ ખાનને પડતો મુક્યો છે. તેના સ્થાને ઇમાદ વસીમ પ્લેઇંગ ઇલેવનમાં આવ્યો છે.

પાકિસ્તાન ટીમ: બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ઉસ્માન ખાન, ફખર જમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ઈમાદ વસીમ, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ આમિર, નસીમ શાહ, હરિસ રઉફ.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.

ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે 18મી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ શરુ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા. નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન બની ગયા છે.

રાજનાથ સિંહે મોદી 3.0 કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા. રાજનાથ સિંહ અગાઉની સરકારમાં રક્ષા મંત્રી હતા. તેઓ લખનૌથી નવા ચૂંટાયેલા સાંસદ છે.

ભાજપના નેતા અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. અગાઉની સરકારમાં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી હતા. તેઓ ગુજરાતમાં ચાર વખત ધારાસભ્ય રહ્યા છે.

ભાજપના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નીતિન ગડકરીએ સતત ત્રીજી વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પીએમ મોદીની અગાઉની બંને સરકારોમાં ગડકરી કેબિનેટ મંત્રી હતા.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને શપથગ્રહણ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. ખડગે શપથ ગ્રહણમાં હાજરી આપશે કે કેમ તે અંગેનો નિર્ણય ગઠબંધનના ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે. ભારતના પડોશી દેશોના નેતાઓ વડાપ્રધાન અને તેમની મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે.

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ અને ભુતાનના વડાપ્રધાન Tshering Tobgay સમારંભમાં આમંત્રિત કર્યા છે.

અમદાવાદ : મોદીના શપથ પહેલા BJP દ્વારા પદયાત્રા યોજાઈ

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતા ચોતરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના મણિનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કૌશલ પંડ્યા દ્વારા 292 જેટલા લાડુના થાળ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા મણિનગરથી ગણપતિ મંદિર, લાલદરવાજા સુધી યોજાઇ હતી. ભારતીય જનતા પાર્ટીએ મેળવેલ સીટો એટલે કે 292 જેટલા લાડુના થાળ પ્રસાદમાં ધરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2007થી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલ સીટો જેટલા લાડુના થાળ સાથે મણિનગરથી લાલદરવાજા ગણપતિ મંદિર સુધી પગપાળા યાત્રા યોજવામાં આવે છે. આ આયોજન જાણીતા એડવોકેટ તથા મણિનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કૌશલ પંડ્યા દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ પરંપરાને આગળ વધારતા આ વખતે પણ લાડુના થાળ સાથે પદયાત્રા યોજાઇ હતી. આયોજક કૌશલ પંડ્યા જણાવે છે કે, સમગ્ર દેશને નરેન્દ્ર મોદી જેવું સમર્થ નેતૃત્વ મળ્યું છે તે ગૌરવપૂર્ણ વાત છે.