Home Blog Page 1713

મિર્ઝાપુર 3નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

છેલ્લા બે વર્ષથી ચાહકો ‘મિર્ઝાપુર સિઝન 3’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા આ શોનું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં ‘બાબુ જી’ (કુલભૂષણ ખરબંદા) ના અવાજે કહ્યું હતું કે ‘સિંહ હજી ઘાયલ છે, પરંતુ ચોક્કસ પાછો આવશે’. હવે આ સિરીઝનું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ‘મિર્ઝાપુર’ સિરીઝ તેની રાજનીતિ, ડ્રામા અને રક્તપાત માટે જાણીતી છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે નવી સિઝનમાં પણ તમને આ બધી વસ્તુઓનું ભરપૂર મિશ્રણ જોવા મળશે.

મિર્ઝાપુર 3નું ટ્રેલર રિલીઝ

ટ્રેલરની શરૂઆત નેતાજી તેમના ભાષણની પ્રેક્ટિસ કરતા થાય છે. તેમનું કહેવું છે કે નિર્દોષ જાન અને સંપત્તિના નુકસાનને કારણે તેમનું હૃદય કોરોનાથી ભરાઈ ગયું છે. આ પછી આવે છે ગુડ્ડુ પંડિત (અલી ફઝલ), જે મિર્ઝાપુર પર રાજ કરવા તૈયાર છે. હાથમાં મોટો હથોડો લઈને ગુડ્ડુએ ચાર રસ્તા પર સ્થાપિત કાલિન ભૈયા (પંકજ ત્રિપાઠી)ની પ્રતિમાને તોડી નાખી છે. કાલિન ભૈયાની મેહરૂ બીના ત્રિપાઠી (રસિકા દુગ્ગલ) હવે ગુડ્ડુ સાથે છે. તેથી ગોલુ ગુપ્તા (શ્વેતા ત્રિપાઠી) કંઈક મોટું કરવાનું વિચારી રહી છે.

‘મિર્ઝાપુર 3’ એક્સેલ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટના પ્રોડક્શન બેનર હેઠળ બનાવવામાં આવી છે. તેના નિર્દેશક ગુરમીત સિંહ અને આનંદ અય્યર છે. આ શોમાં પ્રશંસકોના મનપસંદ પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, ઈશા તલવાર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પૈન્યુલી, હર્ષિતા શેખર ગૌર, રાજેશ તૈલાંગ, શીબા ચઢ્ઢા, મેઘના ચા મલિક અને મન ચાહડ જેવા તેજસ્વી કલાકારો હતા. આવવાના છે. આ દસ એપિસોડની શ્રેણી 5 જુલાઈ, 2024થી પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

NEET પેપર લીક કેસઃ દિલ્હીથી પટના સુધી રાજકારણમાં ગરમાવો

પટનાઃ સુપ્રીમ કોર્ટે NEET પેપર લીક મામલે લાલ આંખ કર્યા પછી પ્રતિ દિન નવા ખુલાસા થઈ રહ્યા છે. NEET પેપર લીક મામલે દિલ્હીથી માંડીને પટના સુધી રાજકારણમાં ગરમાવો છે.  NEET પેપર લીકના આરોપી સિકંદર યાદવેંદુએ NHAIના ગેસ્ટ હાઉસનો રૂમ બુક કરાવ્યો હતો, જ્યાં અનુરાગ યાદવ, શિવનંદન કુમાર, અભિષેક કુમાર અને પીયૂષ રાજે પાંચ મેએ થનારી પરીક્ષાથી ઠીક એક દિવસ પહેલાં ચોથી મેની પરીક્ષા સંદર્ભે સવાલો આપ્યા હતા અને આ લોકોએ ગોખેલા જવાબ આગલા દિવસે પરીક્ષામાં આપ્યા હતા. આ બધાએ પોલીસને આપેલા નિવેદનમાં એ કબૂલ કર્યું છે કે પરીક્ષામાં એ જ સવાલ પૂછવામાં આવ્યા હતા, જે તેમણે તૈયાર કર્યા હતા. 

NEET પેપર લીક મામલામાં બિહારના ડેપ્યુટી CM વિજય સિંહાએ મોટો દાવો કર્યો છે કે ભૂતપૂર્વ ઉપ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવના PS પ્રીતમે NEET પેપર લીકના માસ્ટર માઇન્ડ સિકંદર માટે રૂમ બુક કરાવ્યો હતો. તેમણે પત્રકાર પરિષદમાં NEET અને મંત્રી NH કનેક્શન પર કહ્યું હતું કે આ મામલે વિભાગ દ્વારા તપાસ મેં કરાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પહેલી મેએ તેજસ્વીના PS પ્રીતમ કુમારે RCD કર્મચારી પ્રદીપને સિકંદર કુમાર માટે રાજ્ય સરકારના પથ નિર્માણ (NH)ના નિરીક્ષણ ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. 

બીજી બાજુ, NEET પેપર લીકના હંગામા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદ કરી હતી અને કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે રમત કરી રહી છે. PM મોદી પેપર લીક અટકાવી નથી શકતા. દેશમાં પેપર લીક બંધ થવું જોઈએ. તેમણે આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની જાહેરાત પણ કરી હતી.

 

 

 

 

 

 

 

 

પૂર્વ ભારતીય ક્રિકેટરે કરી આત્મહત્યા

ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અને સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર ડેવિડ જોન્સનનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેવિડ જ્હોન્સને આત્મહત્યા કરી લીધી છે, તેણે પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે કૂદકો લગાવ્યો હતો, ત્યારબાદ તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડેવિડ જોનસન ડિપ્રેશનથી પીડિત હતા. ડેવિડ જોન્સનનો જન્મ 1971માં થયો હતો, તેઓ 52 વર્ષના હતા, તેઓ બેંગલુરુમાં રહેતા હતા. તેની એક ક્રિકેટ એકેડમી પણ હતી.

ડેવિડ જ્હોન્સનની કારકિર્દી

ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. આ જમણા હાથના ફાસ્ટ બોલરે દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું. તે મેચમાં તે માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો અને તેનો પહેલો શિકાર માઈકલ સ્લેટર બન્યો હતો. આ પછી, તેને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ડરબન ટેસ્ટમાં તક મળી, જ્યાં તેણે બે વિકેટ ઝડપી.

માત્ર 2 મહિનામાં કરિયર ખતમ થઈ ગઈ

ડેવિડ જોન્સનને માત્ર બે ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. તેણે 10 ઓક્ટોબર, 1996ના રોજ તેની શરૂઆત કરી હતી અને તે જ વર્ષે ડિસેમ્બરમાં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ પછી તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો અને તે ક્યારેય પાછો આવ્યો નહીં. ડેવિડ જોન્સન કર્ણાટક તરફથી રણજી ટ્રોફી પણ રમ્યો હતો. તે 39 મેચમાં 125 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સિવાય તેણે 33 લિસ્ટ A મેચમાં 41 વિકેટ લીધી હતી. જોન્સને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ સદી ફટકારી હતી અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 101 રન હતો.

ખુલ્લાં બોરવેલ બંધ કરવાની શિક્ષકની સરાહનીય કામગીરી

ગાંધીનગર: શિક્ષકો શૈક્ષણિક ફરજ અદા કરવાની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં પણ સહભાગી થઇ રહ્યા છે અને આ માટે રાજ્ય સરકાર તેમનું સન્માન પણ કરે છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના CRC કોરડિનેટર દીપક સુથારને સન્માનિત કર્યા છે.રાજ્ય શિક્ષણ મંત્રી દ્વારા જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સમગ્ર ગુજરાતના શિક્ષકોને સેવાકીય કામગીરી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત શિક્ષકોને પોતાની ફરજના સ્થળે કે આજુબાજુના વિસ્તારોમાં બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાનું તેમજ આ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરવા જણાવવામાં આવ્યું હતું.  ભૂતકાળમાં ખુલ્લા બોરવેલમાં નાના બાળકો પડી જવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવા કહેવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત કલસ્ટરના CRC દીપક સુથારે આ કલસ્ટરમાં આવેલ ૧૩ શાળાઓના ૨૧૨૯ વિદ્યાર્થીઓ, ૭૫ શિક્ષકો તેમજ વાલીઓને આ અભિયાનમાં જોડ્યા. દીપકભાઈએ પોતે જુદા-જુદા ગામમાં રૂબરૂ જઈને ૧૨ જેટલાં બોરને કોથળા કે લોખંડના ઢાંકણાંથી બંધ કર્યા. જેમાં તેમણે જરાવત ગામમાં 2, પથાવત ગામમાં 1, વાઘાવત ગામમાં 1, ક્લેસર ગામમાં 1, ઉમાજીની મુવાડી 1, સમડાવાળી મુવાડી 1, આંબડીયાની મુવાડી 1, ગોકળપુરા 2, ઉમેદપુરા 1 અને રણછોડપુરા ગામમાં 1 બોરવેલને બંધ કરવાની કામગીરી કરી છે.

આ સેવાકીય કાર્ય બદલ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષક દીપક સુથારને સન્માનિત કર્યા. સાથે જ વધુને વધુ નાગરિકોને પોતાના ક્લસ્ટરમાં બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાના અભિયાનમાં જોડાવવા વિનંતી પણ કરી.

રાજકોટ અગ્નિકાંડને લઈ SIT ક્યારે સોંપાશે રિપોર્ટ?

રાજકોટમાં TRP ગોમ ઝોન લાશ્રાતગૃહ ફરવાય ગયો હતો. જેમાં 27 માસૂમ લોકોનો જીવ હોમાય ગયો હતો. રાજકોટમાં માનવ સર્જીત અગ્નિંકાંડ બાજ રાજ્ય સરકારની આંખ ઉઘડી છે. જે બાદ રાજ્યના તમામ જિલ્લામાં તપાસના ધમધમાટ ચાલ્યા. જ્યાર બીજી બાજું અગ્નિકાંડના આરોપીઓને લઈને SITની રચના કરવામાં આવી. જે અગ્નિકાંડ દરેક પાસા તપાસી તેમાં નાનાથી મોટા અધિકારીઓની સંડોવણી પર તપાસ કરી રહી હતી. જ્યારે તપાસમાં અવાર નવાર નવા નવા ખુલાસા પણ થયા હતા. ત્યારે હાલ પણ કેટલાક અધિકારીઓ SITની શંકાના દાયરામાં છે.

રાજકોટ અગ્નિકાંડને લઈ એક મહિનો વિતવા આવ્યો અને હાલ પર તપાસની ચાલી રહી છે. ત્યારે ફરી એક વખત SITના રિપોર્ટને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર SIT આજે રાજ્ય સરકારને સોંપવાની હતી. આ રીપોર્ટ SIT આજે સુપ્રત નહીં કરે, કેમ કે હાલ પણ કેટલીક મોટા અધિકારીઓ છે. જે SITના શંકાની દાયરામાં છે. જેને લઈ પછ પરછ થવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે SIT 3-4 ઉચ્ચ અધિકારીઓ સામે કડક કાર્યવાહી પણ કરી શકે છે. આજે SIT રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરવાના હતા. આ રિપોર્ટને લઈ SIT વડા સુભાષ ત્રિવેદીના અધ્યક્ષતામાં ગતરોજ મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી. SIR દ્વારા હાલ સુધીમાં 100 પાનનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં શું એક્શન લેવા જોઈએ થી લઈ આગળની શું રણનિતી રાખવી જોઈએ?  જેવા કેટલાક મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે.

રાજકોટમાં ગત 25મી મેના રોજ TRP ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ગેમ ઝોનમાં ફાયર NOC કે ફાયર સેફ્ટીના હોવાને કારણે આગ લાગવાના સમય પર કોઈ પણ બચાવ કામગીર થઈ ન હતી. આ ઉપરાંત ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ કાર્યરત હતું, જેનો એક તણખો 27 લોકોને ભભૂખી ગયો. જ્યારે આગમાં ઘીનું કામ કરતી ત્યારં જ્વલનશીલ પદાર્થ પડ્યા હતા. જેને લઈ આગા પ્રસરી હતી. આ ઉપરાંત આ આગ લાગવા પાછડ કેટલાક સરકારી અધિકારીઓનો ભાગ હોવાનું પણ બહાર આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ:“ સ્વયં અને સમાજ માટે યોગ “

વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “સ્વયં અને સમાજ માટે યોગ“ની થીમ પર ઉજવણી કરાશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્ય ભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો કાર્યક્રમ સૌપ્રથમ વખત ભારત-પાકિસ્તાન સરહદે આવેલ નડાબેટમાં યોગ અને રાષ્ટ્રભક્તિના સંયોજનથી રાજ્ય સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને BSFના સહ આયોજનમાં આ વર્ષનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. રાજ્યભરમાં ૮ મહાનગરપાલિકાઓ, ૩૨ જિલ્લાઓ તથા ૨૫૧ તાલુકા, ૨૦ નગરપાલિકા એમ કુલ ૩૧૨ મુખ્ય સ્થળોએ યોગ દિવસની ઉજવણી માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતથી મહાનગરપાલિકા સુધી શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., જેલ, આરોગ્ય અને પોલીસ વિભાગો સહીતના તમામ વિભાગો યોગમય બનશે.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગોટલીયા ગાર્ડન, સિંધુભવન, અમદાવાદ ખાતે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા દિલ્હી ખાતે, કેન્દ્રીય જલશકિત મંત્રી સી.આર.પાટીલ સુરત ખાતે અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી યોગસાધનામાં જોડાશે.

મંત્રી એ ઉમેર્યું કે, મુખ્યમંત્રીએ ૨૧મી જૂને યોજાનારા ૧૦મા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને સવા કરોડ લોકોની સહભાગીતાથી ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તથા મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ભૂપેન્દ્રભાઈ પટેલ સવારે ૦૬:૩૦ કલાકે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૦૬:૪૦ કલાકે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે અને તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે

ગુજરાતના નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે. રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં રાજ્યમંત્રી મંડળના સભ્યો,સાંસદશ્રીઓ,ધારાસભ્ય શ્રીઓ સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે.

તેમણે કહ્યું કે, યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૮મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંધ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

‘કલ્કી 2898 એડી’ની પ્રમોશનલ ઈવેન્ટમાં સામેલ થયા અમિતાભ બચ્ચન

મુંબઈ: અમિતાભ બચ્ચન, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને પ્રભાસ સ્ટારર ફિલ્મ’કલ્કી 2898 એડી’ (kalki 2898 AD)ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જોકે નવાઈની વાત એ છે કે આ કોન્ફરન્સમાં અમિતાભ બચ્ચન પણ સામેલ થયા હતાં. જ્યારે કે બીગ બી પ્રમોશનલ ઈવેન્ટમાં જવાનું ટાળતાં હોય છે. કોન્ફરન્સમાં પ્રભાસ, કમલ હાસન, બેબી બમ્બ સાથે દીપિકા પાદુકોણ અને રાણા દગ્ગુબતી સામેલ થયાં હતાં. ફિલ્મમાં અમિતાભ અશ્વત્થામાના રોલમાં છે જ્યારે પ્રભાસ ભૈરવના રોલમાં છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં કમલ હાસનની ઝલક પણ જોવા મળી હતી. નિર્માતાઓને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિન દ્વારા કરવામાં આવ્યું છે. મેગાસ્ટારર આ ફિલ્મ 27 જુને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

 

 

(તમામ તસવીર: માનસ સોમપુરા)

બજેટ-2024: સરકાર IT છૂટની મર્યાદા વધારીને પાંચ લાખ કરશે

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન જુલાઈના બીજા પખવાડિયામાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરશે. આ બજેટથી કરદાતાઓને બહુ મોટી અપેક્ષા છે. સરકાર મધ્યમ વર્ગને ટેક્સમાં કંઈક રાહત આપે એવી શક્યતા છે. નાણાપ્રધાન ઇન્કમ ટેક્સ છૂટની મર્યાદાને રૂ. ત્રણ લાખથી વધારીને રૂ. પાંચ લાખ સુધી કરે એવી સંભાવના છે, એમ કેટલાક સિનિયર સરકારી અધિકારીઓએ માહિતી આપી હતી.

આ રાહત નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આવકવેરા રિટર્ન ભરવાવાળા કરદાતાઓને મળશે.

નવી ટેક્સ રિજિમ હેઠળ ઇન્કમ ટેક્સ સ્લેબ

રૂ. ત્રણ લાખ સુધી શૂન્ય-

રૂ. ત્રણ લાખથી રૂ. છ લાખની વચ્ચે – પાંચ ટકા (કલમ 87 A હેઠળ ટેક્સ છૂટ)

રૂ. છ લાખથી રૂ. નવ લાખની વચ્ચે- 10 ટકા (કલમ 87 A હેઠળ રૂ. સાત લાખ સુધી ટેક્સ છૂટ)

રૂ. નવ લાખથી રૂ. 12 લાખની વચ્ચે -15 ટકા

રૂ. 12 લાખથી રૂ. 15 લાખની વચ્ચે -20 ટકા

રૂ. 15 લાખથી વધુ- 30 ટકા

એટલે સરકાર જો આગામી બજેટ 2024-25માં રૂ. પાંચ લાખ સુધીની આવકની ટેક્સ છૂટ આપે છે તો હાલના છ સ્લેબની જગ્યાએ પાંચ સ્લેબ જ બચશે.

કરદાતાને કેટલો લાભ?

નાણાપ્રધાન બજેટ2-2024-25માં ટેક્સ છૂટની મર્યાદા રૂ. પાંચ લાખ સુધી વધારશે તો એનાથી રૂ. 7.6 લાખથી રૂ. 50 લાખ સુધી ટેક્સેબલ ઇન્કમવાળા લોકોની ટેક્સની ચુકવણીમાં રૂ. 10,400 (ચાર ટકા હેલ્થ અને એજ્યુકેશન સેસ સહિત) ઓછો થઈ જશે. જ્યારે જેમની કરપાત્ર આવક રૂ. 50 લાખથી રૂ. એક કરોડની વચ્ચે છે, તેમની કર જવાબદારી આશરે રૂ. 11,440 (સેસ અને 10 ટકા સરચાર્જ સહિત) ઓછી થશે.

 

 

 

 

 

મહારાજ ફિલ્મ પર સ્ટેઃ શું છે વિવાદ?

નેટફ્લિક્સની અપકમિંગ ફિલ્મ ‘મહારાજ’ રિલીઝ થયા પહેલા જ વિવાદના વંટોળમાં ફસાઇ છે. બોલિવૂડ એક્ટર આમિરખાનના પુત્ર જુનેદખાન મહારાજ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા હતા. જ્યારે ફિલ્મને લઈ વિવાદ વધ્યો છે. નોંધનીય છે કે ફિલ્મીમાં વૈષ્ણવ સંપ્રદાય વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે. જેને લઈને વૈષ્ણવ સંપ્રદાયથી જોડાયેલ લોકો મહારાજા ફિલ્મને લઈ મેદાને ઉતર્યા છે. વધતા વિવાદને કારણે મહારાજ ફિલ્મ પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે.

આ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ છે અને જજ સંગીતા વિશેનની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ છે.

અગાઉની સુનાવણીમાં નેટફ્લિક્સ વતી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી ઓનલાઈન હાઇકોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા. યશરાજ બેનર વતી સિનિયર એડવોકેટ જાલ ઉનવાલા અને શાલીન મહેતા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા, જોકે અઢી કલાક ચાલેલી સુનાવણી દરમિયાન બંને પક્ષકારો દ્વારા દલીલ કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત રાખવામાં આવ્યો હતો.

શું છે મહારાજ લાયેબલ કેસ?

મહારાજ લાયેબલ કેસ એક સમયનો અંધશ્રદ્ધા અને વહેમ તોડી સમાજને નવો દ્રષ્ટીકોણ આપતો કેસ છે. વાત છે 1860ના દાયકાની. પત્રકાર કરસનદાસ મુળજી પત્રકારત્વની સાથે સમાજસુધારકની ભૂમિકા પણ ભજવી રહ્યા હતા. નાનપણથી જ લેખનનો શોખ ધરાવતા કરસનદાસે ‘સત્યપ્રકાશ’ નામના સમાચાર પત્રની શરૂઆત કરી, જેમાં એમણે સમાજના કુરિવાજોને લઈને પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. પત્રકાર, સમાજ સુધારક સાથે તેઓ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હતા, જ્યાં તેમનું ધ્યાન પૂર્વજોના લખાયેલ ગ્રંથોમાં શબ્દો સાથે કરાયેલી રમત પર ગયું. વલ્લભ સંપ્રદાયના ગુરુ વહેમ અને અંધશ્રદ્ધાનો લાભ લઈ નાણાં પડાવવા સાથે તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા હતા.

કરસનદાસ મુલજી, પત્રકાર અને લેખક

કરસનદાસે એ વ્યાભિચાર વિરુધ્ધ પોતાના સામયિકમાં લેખન શરૂ કર્યું. થોડા સમય બાદ સુરતના ગાદીપતિ મહારાજ જદુનાથજી મુંબઈ આવ્યા. જદુનાથજી કન્યાકેળવણી સહિતના સારા કામોને પ્રોત્સાહિત કરી રહ્યા હતા એટલે આ કાર્યને પણ કરસનદાસજીએ પોતાના સમાચારપત્ર દ્વારા બિરદાવ્યું. સમયાંતરે કરસનદાસજીને જદુનાથજીના કુકાર્યની જાણ થતાં તેમણે આ ઇતિહાસ પ્રસિદ્ધ લેખ ‘હિન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ લખ્યો, જેમાં લોકો સાથે થયેલા અત્યાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ લેખની સામે જદુનાથજીએ કરસનદાસ સામે રૂપિયા 40 હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો. સુપ્રીમ કોર્ટ (આજની હાઈકોર્ટ)માં સુનાવણીના દોર ચાલ્યો અને આખરે કરસનદાસની જીત થઈ. ઇતિહાસમાં આ કેસ ‘મહારાજ લાયેબલ કેસ’ તરીકે જાણીતો થયો.

એ સમયે ખૂબ ચકચારી બનેલા આ કેસની વિગતો પરથી જાણીતા પત્રકાર-લેખક સૌરભ શાહે મહારાજ નામની નવલકથા લખી હતી. આ જ નવલકથા પરથી મહારાજ નામે ફિલ્મ બની છે, જે નેટફ્લિક્સ પર રજૂ થનાર હતી.

આ કેસ પર સંશોધન કરનાર અમદાવાદસ્થિત એનઆઇએમસીજે સંસ્થાના ડિરેક્ટર અને રાજકીય વિશ્લેષક ડો. શિરીષ કાશીકર મહારાજ ફિલ્મના વિરોધ પર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે “મહારાજ નવલકથા સૌરભ શાહે લખી છે, જે 2013 માં આર.આર.શેઠ માં પબ્લિશ કરવામાં આવી હતી. આ નવલકથાને 2017માં ગુજરાતી સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ નવલકથા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું. અને 2018માં સુરતની પ્રતિષ્ઠિત સંસ્થા નર્મદ સાહિત્ય સભાએ ‘મહારાજ’ ને ‘નંદશંકર ચંદ્રક’થી નવાજી હતી. આમ જોવા જઈએ તો ઇતિહાસ પુનરાવર્તિત થાય છે. સૌરભ શાહ દ્વારા જે નવલકથા લખાઇ છે તે સત્ય આધારિત છે. જેને પાયો ગણીને મહારાજ ફિલ્મ બનાવવામાં આવી હશે. એક પોસ્ટરના આધારે વિરોધ કરવો એ યોગ્ય નથી. આપણે ફિલ્મ જોવી જોઈએ. પછી જો કાંઇ વાંધાજનક લાગે તો વિરોધના સૂર છેડવા જોઈએ.”

મહારાજ ફિલ્મ વિવાદ

યશરાજ ફિલ્મ્સ દ્વારા બનાવાયેલી મહારાજ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાની સાથે વિવાદ શરૂ થયો હતો. ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુભાય છે એ વાતને લઇને વૈષ્ણવો દ્વારા ફિલ્મનો વિરોધ કરવાનું શરૂ થયું છે. અમદાવાદ સહિત ગુજરાતના વૈષ્ણવ સંપ્રદાયે ફિલ્મ સામે રોષ પ્રગટ કરીને કોર્ટમાં અરજી દાખલ કરી. હાઈકોર્ટે હાલ પૂરતું તો ફિલ્મ પર સ્ટે લગાવી દીધો છે.

(તેજસ રાજપરા-અમદાવાદ)

નીતીશકુમારને આંચકોઃ HCએ 65 ટકા અનામતને રદ કરી

પટનાઃ હાઇકોર્ટથી બિહારની નીતીશકુમારને મોટો આંચકો લાગ્યો છે. હાઇકોર્ટે બિહારમાં સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં દાખલામાં જાતિ આધારિત અનામતને 65 ટકા કરવાવાળો કાયદો રદ કરી દીધો છે. બિહાર સરકારે જાતિ આધારિત જનગણતરી કરાવી હતી અને એ પછી OBC, EBC, દલિત અને આદિવાસીઓ માટે અનામત વધારીને 65 ટકા કરી હતી. હવે પટના હાઇકોર્ટે એ કાયદાને રદ કરી દીધો છે.

આ કેસમાં ગૌરવકુમાર અને અન્ય દ્વારા દાખલ અરજીમાં હાઇકોર્ટમાં સુનાવણી કરી હતી. હાઇકોર્ટે સુનાવણી કરીને ચુકાદો 11 માર્ચ, 2024એ સુરક્ષિત કરી લીધો હતો, જેથી આ ચુકાદો આજે આપ્યો હતો. ચીફ જસ્ટિસ કેવી ચંદ્રનની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારે આ અનામત આ વર્ગોને પર્યાપ્ત પ્રતિનિધિત્વ નહીં થવાને કારણે આપ્યું હતું. રાજ્ય સરકારે આ અનામત આનુષંગિક ધોરણે નહોતું આપ્યું.

રાજ્ય સરકારે આ અરજીઓમાં નવ નવેમ્બર, 2023એ પસાર કરેલા કાયદાને પડકાર આપ્યો હતો. એમાં SC, ST, EBC અને અન્ય પછાત વર્ગોને 65 ટકા અનામત આપ્યું હતું, જ્યારે સામાન્ય શ્રેણીના વર્ગ માટે માત્ર 35 ટકા જ પદો પર સરકારી સર્વિસ આપી શકાતી હતી.

બિહારમાં 65 ટકા અનામત કરી દેવામાં આવ્યું હતું, ત્યાર બાદ 10 ટકા અનામત આર્થિક રીતે પછાત લોકોને મળતું હતું. આમ બિહારમાં નોકરી અને દાખલાનો ક્વોટા વધારીને 75 ટકા સુધી પહોંચી ચૂક્યું હતું. ત્યારે બાદ યુથ ફોર ઇક્વાલિટી નામના સંગઠને હાઇકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો અને એના પર સુનાવણી શરૂ થઈ હતી.