પાલક ન ખાવા માંગતા બાળકો માટે પાલક વડી બહુ સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ રહેશે!
સામગ્રીઃ
પાલક ધોઈને સમારેલી 2 કપ
ચણાનો લોટ 1 કપ
ચોખાનો લોટ ½ કપ
સફેદ તલ 1 ટી.સ્પૂન
ધાણાજીરુ 1 ટી.સ્પૂન
હળદર ½ ટી.સ્પૂન
લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
આદુ-મરચાં-લસણ પેસ્ટ 1 ટે.સ્પૂન
કોથમીર ધોઈને સમારેલી 1 કપ
ગોળ ખમણેલો 1 ટે.સ્પૂન
આમલીનો ગર 1 ટે.સ્પૂન
અજમો ½ ટી.સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
તેલ વડી તળવા માટે
રીતઃ એક મોટા વાસણમાં કોથમીર, પાલક, ચણાનો તેમજ ચોખાનો લોટ, તલ, ધાણાજીરુ, હળદર, લાલ મરચાં પાઉડર, આદુ-મરચાં-લસણ પેસ્ટ, અજમો, ખમણેલો ગોળ, આમલીનો ગર, મીઠું સ્વાદ મુજબ ઉમેરીને લોટ બાંધીને થોડું તેલનું મોણ આપી દો.
એક તપેલી અથવા કઢાઈમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી તેમાં કાઠો મૂકી તેની ઉપર સ્ટીલની ચાળણી તેલવાળી કરીને મૂકવી. આ ચાળણીમાં બાંધેલા લોટના લાંબા લૂવા મૂકીને કઢાઈ ઢાંકી દો. ગેસ ચાલુ કરી વડી બાફવા મૂકો. 15-20 મિનિટ બાદ ચપ્પૂ વડે ચેક કરો. લોટમાંથી ચપ્પૂ સ્વચ્છ નીકળે તો વડી બફાઈ ગઈ હશે. ગેસ બંધ કરીને વડીનો બફાયેલો લોટ એક થાળીમાં ઠંડો કરવા મૂકો.
બફાયેલો લોટ ઠંડો થાય એટલે તેમાંથી 1 સેં.મી. જાડાઈની વડી કટ કરી લો. એક કઢાઈ અથવા પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને વડી તેમાં તળી લો.
નિર્દેશક તરીકે સફળ રહેનાર ડેવિડ ધવને ફિલ્મ એડિટરના રૂપમાં કારકિર્દી શરૂ કરી હતી. અસલમાં તો એ અભિનેતા બનવા માગતા હતા. ડેવિડનું મૂળ નામ રાજેન્દ્ર છે. તે નાના હતા ત્યારે પાડોશીએ એમને ‘ડેવિડ’ તરીકે બોલાવવાનું શરૂ કર્યા પછી એ જ નામ પડી ગયું હતું. બારમાં ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી કઈ દિશામાં જવું એનો ખ્યાલ આવતો ન હતો. પરંતુ ભાઈ અનિલ ધવને ફિલ્મોમાં પ્રવેશ મેળવ્યો હતો અને એમની સાથે મુંબઈ જતા હતા એટલે એની ચકાચૌંધથી અંજાયા હતા.
ડેવિડે અભિનયમાં જવાના આશયથી ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાં સતીશ શાહ, રાકેશ બેદી વગેરે સારા અભિનેતાને જોઈ ડેવિડને લાગ્યું કે અભિનય એ પોતાના વશની વાત નથી. કોઈ માણસ માત્ર પોતાને અરીસામાં જોઈને અભિનેતા બની શકતો નથી. ત્યાં એમણે રોશન તનેજાને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી ત્યારે એમણે બીજો વિકલ્પ હોવાનું કહ્યું હતું. ડેવિડે તરત જ એડિટરનો વિષય પસંદ કરી લીધો હતો. કેમકે એડિટર પછી નિર્દેશક બની શકાય એમ હતું અને એમાં આ કામ ઉપયોગી થાય એવું હતું. ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં કોર્સ પૂરો થવાનો હતો ત્યારે નિર્દેશક સાવનકુમાર ટાક આવ્યા હતા અને એટલા પ્રભાવિત થયા હતા કે કોર્સ પૂરો થયા પછી એમની આગામી ફિલ્મના એડિટર બનવા સાઇન કરી લીધા હતા. ડેવિડને એડિટિંગની પરીક્ષામાં ગોલ્ડ મેડલ મળ્યો હતો.
ડેવિડે એડિટર તરીકે સાવનકુમારની ફિલ્મ ‘સાજન બિના સુહાગન’ (૧૯૭૮) થી શરૂઆત કરી હતી. એ ફિલ્મનું એડિટિંગ કરી રહ્યા હતા ત્યારે એમ લાગ્યું કે શુટિંગ યોગ્ય સીકવન્સમાં થયું નથી અને ફિલ્મની ગતિ બરાબર આવતી નથી. એમણે વાર્તાને આગળ પાછળ કરી દીધી. ફિલ્મની શરૂઆતમાં કોર્ટનું દ્રશ્ય આવતું હતું એને બદલે ફ્લેશબેક બતાવ્યો. સાવનકુમારને એ વિચાર ગમ્યો હતો અને એ કારણે જ ફિલ્મ પસંદ કરવામાં આવી હતી. ડેવિડે એડિટરનો કોર્સ કર્યા પછી દૂરદર્શનના સમાચાર વિભાગમાં એડિટર તરીકે રૂ.૭૦૦ માં કામ કર્યું હતું. એ મુંબઇ આવ્યા ત્યારે બહુ મુશ્કેલ સ્થિતિમાં હતા. રહેવાની સમસ્યા હતી. એક રૂમમાં બીજા ચાર જણ સાથે રહેતા હતા. એડિટર તરીકે કામ મેળવવા શરૂઆતમાં બહુ સંઘર્ષ કર્યો હતો.
બોની કપૂરના પિતા સુરેન્દ્ર કપૂરની નિર્દેશક બાપુ સાથેની ફિલ્મમાં કામ માંગ્યું હતું. પણ બાપુનો જ એડિટર હોવાથી ના પાડી હતી. ધીમે ધીમે એડિટર તરીકે ફિલ્મો મળવા લાગી. સાવનકુમારની ‘સૌતન’ પછી સારાંશ, અલગ અલગ, જાન કી બાઝી, નામ, ઇન્સાફ વગેરે અનેક ફિલ્મો કરી. નિર્દેશક તરીકે પહેલી તક સંજય દત્તે આપી હતી. ફિલ્મોના એડિટિંગના સંબંધમાં ડેવિડને સંજય સાથે મળવાનું થતું હતું. ‘નામ’ પછી એક દિવસ સંજયે કહ્યું કે તમે નિર્દેશક કેમ બનતા નથી? ડેવિડે કહ્યું કે મને કોણ નિર્દેશક બનાવવાનું હતું? હું તો એડિટર છું. સંજય દત્તે વિશ્વાસથી કહ્યું કે તું બની જઈશ. બે દિવસ પછી હું એક ફિલ્મ સાઇન કરીશ અને તું એમાં નિર્દેશક બનીશ.
સંજય દત્તે પોતાની ફિલ્મ ‘તાકતવર’ (૧૯૮૯) નું નિર્દેશન અપાવ્યું અને ડેવિડ નિર્દેશક બની ગયા હતા. એ કારણે એડિટર તરીકેની ફિલ્મો છોડવી પડી હતી. ડેવિડ ત્યારે ‘અગ્નિપથ’ નું એડિટિંગ કરી રહ્યા હતા. એમણે મુકુલ આનંદને ના પાડી હતી. ફિલ્મ ‘શોલા ઔર શબનમ’ (૧૯૯૨) થી ડેવિડે કોમેડી ફિલ્મો શરૂ કરી અને એમાં સારી સફળતા મળી હતી.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.
આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.
આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકામ ,કાનૂની,નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.
આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દ ના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે. અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.
આપણે બધાએ કહેવત સાંભળી છે કે “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે”, પણ શું આપણે એ પણ જાણીએ છીએ કે “દરેક સફળ દેવતાની પાછળ દેવીનો હાથ હોય છે”?
આપણે બધા એક યા બીજી રીતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ભજીએ છીએ. બ્રહ્માજી સૃષ્ટિના સર્જનહાર છે. કોઈ પણ સર્જન કરવા માટે જ્ઞાન, સર્જનશક્તિ, સમજદારી આવશ્યક છે. દેવી સરસ્વતી બ્રહ્માજીનાં જીવનસંગિની છે. તેમને વિદ્યાની દેવી પણ કહેવાય છે. તેઓ જ્ઞાન, સર્જનશક્તિ અને સમજદારી આપે છે.
ભગવાન વિષ્ણુ આ જગતના પાલક છે. કોઈ પણ વસ્તુનું પાલનપોષણ કરવા માટે સંપત્તિની જરૂર પડે છે. તેમનાં જીવનસાથી દેવી લક્ષ્મી છે. લક્ષ્મીજી પવિત્ર ધનનું પ્રતીક છે.
ભગવાન શિવ દુષ્ટ તત્ત્વ અને વિષનો સંહાર કરનારા દેવ છે. કોઈ પણ વસ્તુનો સંહાર કરવા માટે શક્તિની જરૂર પડે છે. તેમનાં પત્ની દેવી પાર્વતી છે. પાર્વતીમાતા શક્તિરૂપી છે.
આમ, આપણે જોઈ શકીએ છીએ કે દરેક સફળ દેવતાની પાછળ દેવીનો હાથ હોય છે.
આપણે પણ સંપત્તિનું સર્જન કરવું હોય તો એ ત્રણે દેવીઓની કૃપા આપણા પર રહે એ જરૂરી છે. આથી, ચાલો, તેના વિશે થોડી વાત કરીએ.
1) જ્ઞાન અને સમજદારી (દેવી સરસ્વતી)
અ) આધુનિક કાળમાં આપણે બધા નાણાકીય સાક્ષરતા, રોકાણકારની જાગરૂકતા, વગેરેનું મહત્ત્વ સમજીએ છીએ. દરેક નિયમનકાર તથા સરકારી ઍજન્સીઓ નાગરિકોને નાણાકીય રીતે જાગરૂક અને સમજદાર બનાવવા માટે અનેક પ્રયત્ન કરતાં હોય છે. જ્ઞાન વગર સંપત્તિનું હોવું એ આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
બ) જ્ઞાનની સાથે સમજદારી કે શાણપણ જરૂરી છે. અજાણ્યે પણ જો સંપત્તિનો હ્રાસ થતો હોય તો એ આ શાણપણને લીધે અટકી જાય છે.
2) સંપત્તિનું જતન અને સંચાલન (દેવી લક્ષ્મી)
અ) ફક્ત વધુ નાણાં કમાઈને સંપત્તિવાન બની શકાતું નથી. પોતાની કારકિર્દી દરમિયાન ઘણું કમાયા હોય એવા અનેક ફિલ્મી કલાકારો, રમતવીરો તથા અન્યો પોતાના જીવનના અંત ભાગમાં આર્થિક અગવડ વેઠતા હોય કે આર્થિક સંકટમાં હોય એવું આપણે જોયું છે.
બ) નાણાં કમાવા માટે પોતપોતાના વ્યવસાયમાં નિપુણતા હોવી આવશ્યક છે, પરંતુ તેનું જતન-સંવર્ધન કરવા માટે અલગ કૌશલ્ય આવશ્યક છે. ઋગ્વેદના શ્રીસૂક્તમના મંત્રમાં આ કૌશલ્યને લગતા સિદ્ધાંતો વર્ણવાયા છે. આ કટારમાં તથા મારા પુસ્તક – યોગિક વેલ્થમાં લક્ષ્મી માતા વિશે આપણાં શાસ્ત્રોમાં લખાયેલી વાતો પરથી મળતા બોધપાઠની વાત કરવામાં આવી છે.
3) મનનાં ઝેરનો નાશ (દેવી પાર્વતી)
અ) બિહેવિયરલ ફાઇનાન્સનો આધુનિક વિષય સૌને ખબર છે. પૈસા વિશે આપણા મનમાં જે પ્રતિકૂળ વિચારો હોય છે તેને કારણે આપણે અનેક ભૂલો કરતા હોઈએ છીએ. આ ભૂલો પર બિહેવિયરલ ફાઇનાન્સ પ્રકાશ પાડે છે.
બ) બિહેવિયરલ ફાઇનાન્સમાં મનુષ્યની જે લાગણીઓ વિશે વાત કરવામાં આવી છે તેના વિશે આપણાં શાસ્ત્રોમાં પ્રાચીન કાળથી પ્રકાશ પાડવામાં આવ્યો છે. એ લાગણીઓમાં ઈર્ષ્યા, ઘમંડ, ગુસ્સો, નિરાશા, બદલાની ભાવના, વગેરેનો સમાવેશ થાય છે. આ લાગણીઓને મનમાંથી દૂર કરાય નહીં ત્યાં સુધી સંપત્તિને માણી શકાતી નથી, ટકાવી શકાતી નથી.
અહીં એક ખાસ વાત. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે રીતે પોતાનાં જીવનસંગિનીનો સાથ લે છે એ જ રીતે આપણે પણ સંપત્તિ બાબતે પોતાના જીવનસાથીની મદદ લેવી જરૂરી છે.
યોગિક વેલ્થની દૃષ્ટિએ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે પતિ અને પત્ની બન્નેએ સાથે મળીને નાણાકીય વહીવટ કરવો જોઈએ. તેનું કારણ એ છે કે તેમની સંપત્તિ સહિયારી હોય છે. આપણાં શાસ્ત્રોમાં અર્ધનારીશ્વર અને સહધર્મચારિણી એ બન્ને શબ્દોના પ્રયોગ દ્વારા આ વાત સમજાવવામાં આવી છે.
ઘણી વાર Wife શબ્દનું આખું સ્વરૂપ ‘Worry Invited For Ever’ એવું કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં એ ‘ Wealth Invited For Ever’ હોય છે. વાસ્તવમાં એ સ્થિતિ લાવવા માટે પતિ-પત્નીએ સંપત્તિનું સર્જન, સંપત્તિનું જતન અને પૈસાને લગતા ઝેરનો મનમાંથી નાશ એ ત્રણે પ્રવૃત્તિઓ સાથે મળીને કરવાની હોય છે.
જો દેવતાઓને પણ પોતાના ભાગે આવેલી પ્રવૃત્તિ કરવા માટે દેવીઓનો સાથ લીધા વગર ચાલતી ન હોય તો આપણે પણ જીવનમાં પત્નીની ભૂમિકાનું મહત્ત્વ સમજીને તેને જીવનમાં ઉતારવું જોઈએ.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
નવી દિલ્હીઃ હાઈકોર્ટે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં એક કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ડૂબવાથી થયેલા વિદ્યાર્થોના મોત અંગે પોલીસને ફટકાર લગાવી હતી. આ કેસ સંદર્ભે હાઇકોર્ટમાં MCD કમિશનર અને DCP હાજર થયા હતા. જસ્ટિસ મનમોહનની અધ્યક્ષતા હેઠળ ખંડપીઠે આ કેસ હવે CBIને સોંપી દીધો હતો.
હાઇકોર્ટે જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં ડૂબી જવાથી વિદ્યાર્થીઓના મોતને લઈને પોલીસને સખત ઠપકો આપ્યો હતો. હાઈકોર્ટે આ મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની આગેવાની હેઠળની બેંચ જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસને ફટકાર લગાવતાં તેમના વકીલને કહ્યું હતું કે સારું છે કે તમે ભોંયરામાં વરસાદી પાણી ઘૂસવા બદલ ચલણ જારી નથી કર્યું.’
દિલ્હી હાઈકોર્ટે વિદ્યાર્થીઓના મોત મામલે પોલીસ દ્વારા એક SUV ડ્રાઈવરની ધરપકડની આલોચના કરી હતી. એના ઉપર વરસાદી પાણીથી ભરેલા રસ્તા પર પૂરઝડપે વાહન ચલાવવાનો આરોપ હતો. આ વાહન પસાર થતાં પાણીનું પ્રેશર થવાથી દરવાજા તૂટી ગયા હતા. જેને કારણે બિલ્ડિંગના ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા.
પોલીસ દ્વારા તેની વિરુદ્ધ બદઈરાદાથી હત્યાનો આરોપ હટાવ્યા બાદ ડ્રાઇવર મનુજ કથુરિયાને ગુરુવારે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે કોર્ટે પૂછ્યું હતું કે શું તમને ખબર છે કે બિલ્ડિંગ પ્લાનને મંજૂરી કોણે આપી હતી, તો પોલીસે કહ્યું હતું કે તપાસ ચાલુ છે. આ જવાબ સાંભળીને હાઈકોર્ટે કહ્યું હતું કે તમે એવી રીતે વાત કરો કે જાણે તમારી પાસે કોઈ સત્તા નથી. તમે પોલીસ છો. તમને બધું જ મળશે. તમે MCD ઓફિસમાં જઈને ફાઇલો જપ્ત કરી શકો છો. શું તમને એ સમજાવવું પડશે કે આ કેવી રીતે કરવાનું છે. શું તમને લાગે છે કે કોઈ ગુનેગાર તમારી સામે આવીને પોતાનો ગુનો કબૂલ કરશે?’
અમેરિકાના ન્યુજર્સીના એડિસન સીટીના આકર્ષક સ્થળોમાં મૂળ ગુજરાતી ગોપી શેઠના ઘરની નોંધ લેવાય છે. જેની પાછળનું કારણ છે બૉલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન.જી હા, અમેરિકામાં રહેતા ગોપી શેઠે પોતાની ઘરની બહાર અમિતાભ બચ્ચનનું સ્ટેચ્યુ બનાવ્યું છે. હવે તેમનું ઘર એક પર્યટક સ્થળ તરીકે પ્રસિદ્ધ થયું છે અને ગુગલના સર્ચ એન્જિનમાં પણ તે એડિસનના આકર્ષક સ્થળ તરીકે નોંધ પામ્યું છે.
મૂળ ગુજરાતના દાહોદના વતની અને છેલ્લા સાડા ત્રણ દાયકાથી અમેરિકાના ન્યુજર્સી સ્થિત ગોપી(નિરજ) બાબુલાલ શેઠે 2022 માં ન્યુજર્સીના એડિસન સીટી ખાતે એક ભવ્ય ઘર બનાવ્યું હતું. ત્યારે ઘરની અંદર ગોપી શેઠે પોતાના ઈષ્ટદેવ શ્રીમદ્ વલ્લભાચાર્યજીની આરસની મસમોટી પ્રતિમા સ્થાપિત કરી છે તો બહારના ભાગે પેસેજમાં ગોપી શેઠ પોતે જેમના ડાઈહાર્ડ કહી શકાય તેવા ફેન છે તે બિગ-બી અમિતાભ બચ્ચનનું આદમ કદનું એટલેકે આશરે ૬ ફૂટની ઊંચાઈના સ્ટેચ્યુ બનાવડાવ્યું છે. બે વર્ષ પૂર્વે ઓગષ્ટ,2022 માં રાજસ્થાનના કારીગરો દ્વારા બનેલ અમિતાભ બચ્ચનના સ્ટેચ્યુનું ઉદ્દઘાટન અમેરિકામાં ખૂબ જાણીતા રોયલ આલ્બર્ટ પેલેસ હોલના માલિક આલ્બર્ટ જસાનીના હસ્તે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું.
ગોપી શેઠે ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે “હું અમિતાભ બચ્ચનનો બહુ મોટો ચાહક છું. હું તેમનું ખૂબ સન્માન કરું છું. મારો તેમના પ્રત્યેનો સ્નેહ અને સન્માનના ભાગરૂપે અમે ઘરની બહાર તેમની પ્રતિમા બનાવી છે. જોકે, આ અંગે સરકાર પાસેથી પરવાનગી લેવી અમારા માટે એક પડકાર હતો. પરંતુ તમામ પ્રક્રિયાઓને પાર પાડી આખરે પ્રતિમા બનાવી.” આના પર અમિતાભ બચ્ચનનું શું રિએક્શન હતું તેના વિશે ગોપી શેઠે કહ્યું હતું કે પ્રતિમા વિશે બિગ બીને જાણ થયા બાદ ફોન પર તેમની સાથે વાત થઈ હતી. બિગ બીએ કહ્યું કે હું આટલું બધું ડિઝર્વ નથી કરતો. તમારા સ્નેહ, પ્રેમ અને સન્માનની કદર કરું છું.
371 વર્ષ જુના આ અમેરિકન નગરનું નામ અગાઉ ‘રૈરિટેન’ હતું. જે આ નગરમાં રહેતાં વીજળીના બલ્બના શોધક વૈજ્ઞાનિક થોમસ એડિસનના નામે 1957 માં ‘એડિસન’ થયું હતું. એ એડિસનના મુખ્ય વિસ્તારમાં મસમોટાં પરિસરમાં ભવ્ય ભવન રચાયાં બાદ ગોપી શેઠ અને તેમના પત્ની રિન્કુ શેઠ સહિતના પરિવારજનોની સુવિધા માટે રચિત આ ભવ્ય ભવનમાં ખૂબ વિશાળ એવા કળાત્મક કાર્વિંગ કરેલ મુખ્ય દરવાજા, આદમ કદ કહેવાય તેવા બે સ્ટેચ્યુ, રિમોટ વડે સંપૂર્ણપણે ઓટોમેટિક સંચાલિત થતી જે તે ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સ, ખૂબ જ વિશાળ બેઝમેન્ટ, રાતના સમયે વિવિધ કલર વડે રંગબિરંગી બનતું ભવન જેવી અગણિત લેટેસ્ટ સગવડો આમેજ કરવામાં આવી છે. આ ભવ્ય ભવન બે વર્ષમાં કદાચ્ ન્યુજર્સી સ્થિત સૌથી ભવ્ય ભવન તરીકે સાબિત થઈ ગયું છે. આ ભવનમાં બિગ-બીનું સ્ટેચ્યુ રચી ભવ્ય કાર્યક્રમ સાથે ઉદ્દઘાટન કરવા બદલ અમિતાભ બચ્ચને પોતે ગોપી શેઠને મેસેજ કરી શુભેચ્છા પણ પાઠવી હતી.
ગોપી શેઠે બિગ બી એકસ્ટેન્ડ ફેમિલી કરી વેબસાઈટ પણ ડેવલપ કરી છે. જેમાં અમિતાભ બચ્ચનની તમામ માહિતી, ફોટોઝ અને વીડિયો ઉપલબ્ધ છે.
છેલ્લા કેટલા સમયથી અમિતાભ બચ્ચનનું સ્ટેચ્યુ જોવા માટે જે રીતે પ્રવાસીઓનો ધસારો નોંધાયો છે તેની નોંધ લઇ ગુગલના સર્ચ એન્જિન દ્વારા અને સ્થાનિક માન્ય સંસ્થાઓ દ્વારા ન્યુજર્સી ખાસ કરીને એડિસન સિટીના આકર્ષણોમાં ગોપી શેઠ નિર્મિત અમિતાભ બચ્ચનનું સ્ટેચ્યુ ઉમેરાયું છે એટલું જ નહીં અગ્રીમ ક્રમે સ્થાન પણ પામ્યું છે.
અમદાવાદ: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં શુક્રવારે સુનાવણી હાથ ધરાઇ. એમ્યુઝમેન્ટના નિયમો અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો કે શું નિયમો ઘડ્યા છે? જો હા, તો નોટિફિકેશન જાહેર કરાયું છે? વિવિધ રમતો અને સાધનો અંગે નિયમો નક્કી કર્યાનો સરકારે આજે હાઈકોર્ટમાં સ્વીકાર કર્યો છે. સાથે-સાથે પ્રવેશ અને નિકાસ મામલે પણ નિયમો ઘડાયા હોવાનું સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું. વિવિધ ગેમ્સને વ્યાખ્યાયિત કરવામાં આવી હોવાનો જવાબ પણ સરકાર દ્વારા આપવામાં આવ્યો. તબક્કાવાર લાયસન્સની પણ જોગવાઈ કરવામાં આવી હોવાનું સરકાર તરફથી આજે હાઈકોર્ટમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારે સામે પક્ષે હાઈકોર્ટે આ નિયમો અંગેનું નોટિફિકેશન ક્યારે જાહેર કરશો તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યારે સરકાર તરફથી જણવવામાં આવ્યું હતું કે બે સપ્તાહમાં નિયમોનું જાહેરનામું બહાર પાડવાની બાંહેધરી આપવામાં આવી.
આ તમામ બાબતોનું દેખરેખ માટે વિશેષ કમિટીની રચના કરવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે. નિયમો તો તૈયાર કર્યા પરંતુ અમલવારી માટે શું આયોજન છે આ સવાલ પણ હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યો હતો. બંજી જમ્પિંગ અને સ્લાઈડિંગ રાઈડ્સ મુદ્દે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. તે મશીનરીથી ચાલતી રાઈડ્સ છે અને જાહેર જગ્યાઓ અને મોલમાં જોવા મળે છે. ત્યારે તેને કેવી રીતે નિયંત્રિત કરશો તેવો સવાલ પણ હાઈકોર્ટે પૂછ્યો છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી ખાત્રી આપવામાં આવી છે કે નિયમો અંગેની જાગૃતતા ચોક્કસપણે ફેલાવવામાં આવશે. આમ કોર્ટ દ્વારા દરેક પ્રકારની ખરાઈ કર્યા બાદ જ આ પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્કને મંજૂરી આપવામાં આવે તે પ્રકારની ટકોર કરવામાં આવી છે.
પેરિસ ઓલિમ્પિક 2024માં ખેલાડીઓ વચ્ચે મેડલ માટે લડાઈ ચાલી રહી છે. આ દરમિયાન ઇજિપ્તના એથ્લેટ્સ દરેક માટે પ્રેરણા બની ગયા છે. 7 મહિનાની ગર્ભવતી નાદા હાફેઝ મહિલા તલવારબાજીમાં જોવા મળ્યા હતા. સગર્ભા હોવા છતાં તેણીએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો જ નહીં પરંતુ જીત પણ મેળવી. જો કે, નાદા હાફેઝ હવે ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયા છે, પરંતુ તેણે તેની પ્રથમ મેચ જીતી હતી. આ પછી તે છેલ્લા 16માં બહાર થઈ ગયા હતા.
પેરિસ ઓલિમ્પિક 2024માંથી બહાર થયા બાદ તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું,’મારા ગર્ભમાં એક નાનો ઓલિમ્પિયન ઉછરી રહ્યો છે. મારા બાળક અને મેં અમારા પડકારોનો સામનો કર્યો, પછી તે શારીરિક હોય કે ભાવનાત્મક. ગર્ભાવસ્થા પોતે જ એક મુશ્કેલ પ્રવાસ છે. જો કે, જીવન અને રમતગમત વચ્ચે સંતુલન જાળવવાનો સંઘર્ષ ઘણો મુશ્કેલ હતો. મેં આ પોસ્ટ એ કહેવા માટે લખી છે કે રાઉન્ડ-16માં સ્થાન મેળવ્યા બાદ હું ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છું.’
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘તમે પોડિયમ પર 2 ખેલાડીઓને જુઓ છો, તેઓ ખરેખર ત્રણ હતા! આ હું છું, મારો હરીફ અને મારું બાળક દુનિયામાં આવી રહ્યું છે!’ નાડા હાફેઝે અમેરિકાની એલિઝાબેથ ટાર્ટાકોવસ્કીને 15-13ના માર્જિનથી હરાવી. ત્યાર બાદની મેચમાંતેણી દક્ષિણ કોરિયાની જીઓન હ્યાંગ સામે 15-7થી હારી ગઈ. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘હું મારા પતિ અને પરિવારના સમર્થનને કારણે જ અહીં સુધી પહોંચી છું. આ ઓલિમ્પિક મારા માટે અલગ છે. મેં 3 વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, આ વખતે નાના ઓલિમ્પિયન સાથે સ્પર્ધા કરવી ખાસ હતી.’