Home Blog Page 1593

હિંસા વચ્ચે બાંગ્લાદેશમાં ચાર મંદિરો પર હુમલો

બાંગ્લાદેશમાં હિંસક ટોળાએ ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિક કેન્દ્ર અને ઢાકામાં ચાર હિન્દુ મંદિરો પર હુમલો કર્યો છે. આ હુમલાઓમાં મંદિરોને નજીવું નુકસાન થયું છે. એવી અપ્રમાણિત માહિતી છે કે કેટલાક હિન્દુઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશના હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તી એકતા પરિષદના નેતા કાજોલ દેબનાથે કહ્યું છે કે દેશના ચાર મંદિરો પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાઓમાં મંદિરોને નજીવું નુકસાન થયું છે.

વડાપ્રધાન હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદની સ્થિતિને લઈને હિન્દુ સમુદાયના લોકોમાં ભય છે, પરંતુ હજુ સુધી કોઈ મોટી ઘટના સામે આવી નથી. ટોળા દ્વારા નિશાન બનાવવામાં આવેલ ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રનું ઉદ્ઘાટન માર્ચ 2010માં કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર યોગ, હિન્દી, ભારતીય શાસ્ત્રીય સંગીત અને ભારતીય નૃત્ય કળા વિશે માહિતી અને તાલીમ આપે છે. આ કેન્દ્રની લાઇબ્રેરીમાં ભારત સંબંધિત 21 હજાર પુસ્તકોનો સંગ્રહ પણ છે.

બાંગ્લાદેશમાં 300 ભારતીય ટ્રક ફસાયા 

બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓને જોતા સોમવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર પેટ્રાપોલ લેન્ડ પોર્ટ પરથી માલસામાનની અવરજવર બંધ થઈ ગઈ હતી. પેટ્રાપોલના ક્લિયરિંગ એજન્ટ્સ સ્ટાફ વેલ્ફેર એસોસિએશનના સેક્રેટરી કાર્તિક ચક્રવર્તીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ તરફ 250-300 ભારતીય ટ્રકો ફસાયેલા છે.

Bangladesh

દરરોજ 450-500 ટ્રકો જાય 

પેટ્રાપોલ એ ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલું લેન્ડ પોર્ટ છે. ચક્રવર્તીએ કહ્યું કે અમે બાંગ્લાદેશના નવા વહીવટીતંત્રને ટ્રક, માલસામાન અને ડ્રાઈવરની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરીશું. તમને જણાવી દઈએ કે દક્ષિણ એશિયાના સૌથી મોટા લેન્ડ પોર્ટ પેટ્રાપોલથી દરરોજ સરેરાશ 450-500 ટ્રક ભારતથી બાંગ્લાદેશ જાય છે. બીજી બાજુથી લગભગ 150-200 ટ્રકો આવે છે.

VIDEO: મહિલાએ તાજમહેલની છત પર લહેરાવ્યો ભગવો

યુપીના આગ્રામાં તાજમહેલની અંદર એક મહિલાએ ભગવો ધ્વજ લહેરાવ્યો. પછી તેણે પાણીની બોટલ ખોલી અને તેના પર પાણી રેડ્યું. અખિલ ભારત હિન્દુ મહાસભાએ પાણીને ગંગાનું પાણી ગણાવ્યું છે અને જલાભિષેક કરવાની વાત કરી છે. બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ CISFના જવાનોએ મહિલાને પકડી લીધી હતી. હાલ મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

નોંધનીય છે કે તાજમહેલની અંદર પાણી ચઢાવવાનો આ બીજો કિસ્સો છે. આજે સાવનના સોમવારે એક મહિલા તાજમહેલની છત પર પહોંચી હતી. પહેલા તેણે પાણી અર્પણ કર્યું અને પછી છત પરથી જ કેસરી કપડું લહેરાવ્યું. મહિલાનું નામ મીરા રાઠોડ હોવાનું કહેવાય છે અને તે અખિલ ભારતીય હિંદુ મહાસભા સાથે જોડાયેલી છે. મીરા રાઠોડ થોડા દિવસો પહેલા કંવર સાથે તાજમહેલ પહોંચી હતી. જો કે, ત્યારબાદ તેને બહાર રોકી દેવામાં આવ્યો હતો.

યુવાનોએ ગંંગાજળ અર્પણ કર્યું હતું

બે દિવસ પહેલા પણ બે યુવકોએ તાજમહેલની અંદર ઓમનું સ્ટીકર ચોંટાડ્યું હતું અને તેના પર પાણીની બોટલમાંથી પાણી રેડ્યું હતું. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તે યુવાનોએ દાવો કર્યો હતો કે તેઓ એક બોટલમાં ગંગા જળ લાવ્યા હતા અને તેઓએ તાજમહેલની અંદર ગંગા જળ ચઢાવ્યું હતું. આ મામલે આગરાના એડીસીપી સિટી સૂરજ રાયે જણાવ્યું હતું કે શનિવારે બે યુવકોએ તાજમહેલમાં ગંગા જળ ચઢાવ્યું હતું. બંને યુવકો બોટલોમાં ગંગાજળ લઈને પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં, ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓ શોધી શક્યા ન હતા. બંને યુવકો અખિલ ભારત હિંદુ મહાસભા સાથે જોડાયેલા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં વકર્યો પાણીજન્ય રોગચાળો

રાજકોટમાં ચોમાસાની શરૂઆતે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ગત સપ્તાહનાં 2089 સામે ચાલુ સપ્તાહે પણ વિવિધ રોગના મળી 2,298 કેસ નોંધાયા છે. તેમાં પણ ડેંગ્યુ 5 અને ટાઇફોઇડ તાવના 6 કેસ તેમજ મેલેરિયાનો 1 કેસ સામે આવ્યો છે. તો શરદી-ઊધરસનાં સૌથી વધુ 1203 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 10,000થી વધુ હોવાની શક્યતા છે.

મળતી માહિતી અનુસાર છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2298 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઊધરસનાં ગત સપ્તાહનાં 1106 કેસ સામે આ સપ્તાહે 1203 કેસ, ઝાડા-ઊલટીનાં 452 સામે 517 કેસ અને સામાન્ય તાવનાં પણ 515 સામે 566 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 5 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં ટાઈફોડ તાવનાં 6 દર્દીઓ તેમજ 1 કેસ મેલેરિયાનો સામે આવતા ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.

સામાન્ય રીતે મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગની કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 721 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 384 તો કોર્મશીયલમાં કુલ 168 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને રૂ. 46,850 જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. આમ મનપા તંત્ર દ્વારા રોગચાળો અટકાવવા માટેના તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. છતાં લોકો પણ સાવચેતી રાખે તે ખૂબ જરૂરી છે. જેમાં હાલમાં ચોમાસુ વાતાવરણ હોવાથી બહારનો ખોરાક લેવાથી દૂર રહેવા અપીલ પણ તેમણે કરી હતી.

આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટમાં ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ માધીશ પરીખે કર્યું

બ્રિક્સ યુથ એલાયન્સના ડાયરેક્ટર અને રાષ્ટ્રીય યુવા પુરસ્કાર વિજેતા એવા ગુજરાતના માધીશ પરીખે તાજેતરમાં રશિયાના ઉલ્યાનોવસ્ક ખાતે યોજાયેલ આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ 2024 માં 14 સભ્યોના ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ભારત સરકારના આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારત સરકારના યુવા બાબતો અને રમત- ગમત મંત્રાલયના સંયુક્ત સચિવ નિતેશ કુમાર મિશ્રાએ કર્યું હતું.

10મી આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટે મૂળ બ્રિક્સ રાષ્ટ્રો- બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા સમાવિષ્ટ સભ્યો ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાના યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો. આ વાર્ષિક સમિટ, વૈશ્વિક પડકારોનો સામનો કરવા, આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવા અને બ્રિક્સ દેશો વચ્ચે વિકાસને આગળ ધપાવવા માટે એક વાઇબ્રન્ટ ફોરમ તરીકે કામ કરે છે. આ વર્ષની સમિટ શિક્ષણ, ઇનોવેશન અને ટેકનોલોજી, યુવાનો માટે આર્થિક તકો, સ્વયંસેવા, બ્રિક્સ દેશો માટે યુવા નીતિ અને રમતગમત જેવી થીમ પર કેન્દ્રિત હતી.

ભારત સરકાર વતી સમિટના પ્લેનરી સત્રમાં ઉદ્ઘાટન સંબોધન દરમિયાન, ભારતીય યુવા પ્રતિનિધિમંડળના વડા, મધિશ પરીખે જણાવ્યું હતું કે, “બ્રિક્સ યુથ સમિટ નવી પેઢીની આશાઓ અને આકાંક્ષાઓનો અવાજ બની છે. બ્રિક્સ વિશ્વની લગભગ અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્લેટફોર્મ વિશ્વને હકારાત્મક રીતે પ્રભાવિત કરવાની અપાર ક્ષમતા ધરાવે છે, ખાસ કરીને તેના યુવાનો દ્વારા.

આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટમાં ભારતે આંત્રપ્રિન્યોરશિપ ટ્રેકમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. નિતેશ કુમાર મિશ્રાએ ટ્રેકની અધ્યક્ષતા કરી અને ઉદ્યોગસાહસિકતામાં ભારતની સફળતાની પ્રશંસા કરી. માધીશ પરીખે વર્કશોપ દરમિયાન ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડયો હતો. જેમાં ભારત સરકારની અટલ ઈનોવેશન મિશન જેવી પહેલો રજૂ કરવામાં આવી હતી, જે કિશોરોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે, વ્યવસાયો દ્વારા UPIના માધ્યમથી સરળ નાણાંકીય આપ લે અને યુવા સાહસિકોને ટેકો આપતી સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમ વિષે વિસ્તૃત માહિતી આપી.

બ્રિક્સ પહેલમાં કિશોરોને સામેલ કરવા, આંતર-બ્રિક્સ શૈક્ષણિક સહકાર વધારવા, યુવા ઉદ્યોગસાહસિકો વચ્ચે સહયોગને મજબૂત કરવા, STEM શિક્ષણને પ્રોત્સાહન આપવા, બ્રિક્સ યુવાનો માટે યુવા સ્વયંસેવી પ્લેટફોર્મની સ્થાપના અને બ્રિક્સ યુવાનો માટે રમત-ગમતની પહેલ શરૂ કરવા જેવા મુખ્ય વિચારો સમિટના ઘોષણાપત્રમાં સામેલ થયા જે બ્રિક્સના તમામ સભ્ય દેશો દ્વારા સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યા.

ભારત પરત આવતા, ભારતીય પ્રતિનિધિમંડળને ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમતના મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા. યુવા પ્રતિનિધિમંડળે તેમના અનુભવો અને સમિટમાંથી મળેલી આંતરદૃષ્ટિ માનનીય કેન્દ્રીય મંત્રી સાથે શેર કરી. આ મીટિંગ દરમિયાન, પ્રતિનિધિઓએ ભારત સરકારના નવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, ‘ માય ભારત’ પોર્ટલ પર માનનીય મંત્રી સાથે ચર્ચા કરી અને તેમના સૂચનો પ્રસ્તુત કર્યા. આ પોર્ટલનો ઉદ્દેશય ભારતના યુવાનો માટે એક વ્યાપક તક શોધવા હેતુ પ્લેટફોર્મ વિકસાવવાનો છે, તેમજ તેમને હશૈક્ષણિક સંસાધનો, ઉદ્યોગસાહસિકતાની તકો અને સ્વયંસેવી પહેલો સાથે જોડવાનો છે.

થોડા દિવસોમાં બંગાળ આવશે એક કરોડ શરણાર્થીઓઃ અધિકારી

બેંગલુરુઃ બંગલાદેશમાં હિંસા જારી છે. અનામતને નામે લાખો પ્રદર્શનકારીઓએ હિંસાત્મક વલણ અપનાવ્યું છે. શેખ હસીના દેશ છોડીને જઈ ચૂક્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે કેટલાક દિવસોમાં એક કરોડ હિન્દુ શરણાર્થીઓ પશ્ચિમ બંગાળ આવવાના છે, એટલે તમે તૈયાર રહેજો.

બંગલાદેશ વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે બંગલાદેશમાં હિન્દુઓનો નરસંહાર થઈ રહ્યો છે. રંગપુરમાં નગર પરિષદના કાઉન્સિલર હરધન નાયકની હત્યા કરી દેવામાં આવી છે. સિરાજગંજના પોલીસ સ્ટેશનમાં 13 પોલીસ કર્મચારીઓની હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં નવ હિન્દુ હતા. નોઆખલીમાં હિન્દુઓના ઘરને આગ ચાંપવામાં આવી હતી. હું પશ્ચિમ બંગાળના CM મમતા બેનરજીને અને રાજ્યપાલને વિનંતી કરું છું કે તેઓ આ મામલે કેન્દ્ર સરકાર સાથે વાત કરે.

CAAમાં સ્પષ્ટ છે કે જો કોઈ ધાર્મિક ઉત્પીડનને કારણે મારપીટ કરવામાં આવી હોય તો અમારો દેશ આગળ આવીને આ કેસોને જોશે. જો ત્રણ દિવસની અંદર આ સ્થિતિ પર કાબૂ નહીં મેળવવામાં આવે તો બંગલાદેશ જમાત અને કટ્ટરપંથીઓના હાથમાં જતું રહેશે, એમ તેમણે કહ્યું હતું.

બંગલાદેશમાં ભડકેલી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 300 તઈ ગઈ છે. અનામતમાં સુધારાની માગથી શરૂ થયેલું આંદોલન સરકાર બદલવાના આંદોલનમાં તબદિલ થઈ ગયું છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છરજન્ય રોગોને કરાશે કંટ્રોલ 

આણંદ : સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય રોગ વાહકજન્ય રોગોને નિયંત્રણ કરવા ટેકનોલોજીના ઉપયોગની પહેલ કરવામાં આવી છે. ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્વે તેમજ દવા છંટકાવ પ્રોજેક્ટનો પ્રારંભ આણંદ ખાતે ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો. સામાન્ય દિવસોમાં લીકેજથી સ્થિર ભરાયેલ પાણી મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુ પરોપજીવીના વિકાસમાં મદદ કરે છે. તેમજ ચોમાસાની સાનુકૂળ આબોહવા મચ્છરજન્ય રોગોને પ્રોત્સાહન આપે છે. તેના નિયંત્રણ માટે સાત/ દસ દિવસની અંદર મચ્છરને લારવા અવસ્થામાં નાબૂદ કરીને તેમના પ્રજનન ચક્રને તોડવું ખૂબ જ જરૂરી છે. 30 થી 35 ટકા વિસ્તાર જેમાં તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ, સાઈડ રોડની ઓફસાઇડિંગ, ખુલ્લી ટાંકીઓ અને ખુલ્લા પાત્રો વગેરે એવા સ્થળો છે જેને ગ્રાઉન્ડ ટીમ દ્વારા શોધવા કે ત્યાં આગળ લારવા સાઈડ સ્પ્રે કરવો સંભવ હોતું નથી.આ સમસ્યાના સમાધાન રૂપે ગુજરાતની સૌપ્રથમ આણંદ નગર પાલિકા દ્વારા પ્રાઈમ યુ.એ.વી.પ્રા.લી.ના સહયોગથી વર્ષ ૨૦૨૪-૨૫માં મચ્છર જન્ય રોગોને કંટ્રોલ કરવા માટે AI/ML આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મચ્છરજન્ય રોગને કંટ્રોલ કરવાની કામગીરીનું કોઈ ઓનલાઇન મોનિટરની સુવિધા નથી. તેથી આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો જેમાં વિસ્તારનો ડ્રોનથી સર્વે કરી સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળની વિગતવાર માહિતી એરિયલ ફોટોગ્રાફ, લેટીટુડ–લોજીટયુડ સાથે ગુગલ મેપ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે. જેના આધારે મળેલ સાઈટ પર કરવાની થતી કામગીરી કરવામાં આવશે. જેમ કે સાઈટની સફાઈ, ખુલ્લા પાત્રોનો નિકાલ અથવા લારવી સાઈડનો છંટકાવ કરવો. આ કાર્યો ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને ઓટોમેટિક અસાઇન થઇ જશે અને તેઓ દ્વારા કરેલી કામગીરી ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ મોનિટર કરી શકાશે. જે ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ સહાયરૂપ બનશે. જ્યાં ગ્રાઉન્ડ ટીમ દ્વારા છંટકાવ શક્ય ન હોય ત્યાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવામાં આવશે.

Olympics: ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

શ્રીજા અકુલા, અર્ચના કામથ અને મનિકા બત્રાની મહિલા ટેબલ ટેનિસ ટીમે રોમાનિયાને હરાવીને મહિલા ટીમ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારત આ ઈવેન્ટમાં પડકારરૂપ છે અને શ્રીજા, અર્ચના અને મનિકાની ટીમે શાનદાર પ્રદર્શન કરીને રોમાનિયાને હરાવ્યું હતું. વિશ્વની 11 નંબરની ટીમ ઈન્ડિયાએ આ રોમાંચક મેચમાં ચોથા નંબરની ટીમ રોમાનિયાને 3-2થી હરાવ્યું.

 

આ મેચમાં શ્રીજા અકુલા અને અર્ચના કામથની જોડીએ પ્રથમ વખત ડબલ્સ મેચમાં પ્રવેશ કર્યો હતો. આ ભારતીય જોડીએ પ્રારંભિક મેચમાં રોમાનિયાની એડીના અને સમારાની જોડીને 3-0થી હરાવીને લીડ મેળવી હતી. આ ભારતીય જોડીએ એડીના અને સમારાને 11-9, 12-10, 11-7ના માર્જીનથી હરાવ્યા હતા. આ પછી મનિકાએ આગામી મેચમાં પ્રવેશ કર્યો. તે એક મેચ હતી અને તેઓએ બર્નાડેટને 3-0 થી સરળતાથી હરાવ્યો હતો. મનિકાએ બર્નાડેટને 11-5, 11-7, 11-7ના માર્જિનથી હરાવ્યું. આ રીતે ભારતીય ટીમે રોમાનિયા પર 2-0થી સરસાઈ મેળવી લીધી હતી.

જાણો ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહી..

ગુજરાતમાં મેઘ રાજા આ વર્ષે મન મુકી વરસી રહ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે તો કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાય રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ચોમાસાને લઈ આગાહી વ્યક્ત કરી છે. આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તથા ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતા છે.

 

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં ગુજરાતના દક્ષિણ ભાગમા ઓફ શોર ટ્રફ સક્રિય છે, જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે આજે પણ રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગ પર એક લો પ્રેશર ઇમ્પ્રેશન સક્રિય છે, જેને કારણે ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. મળતી માહિતી અનુસાર હાલ સુધીમાં રાજ્યમાં જરૂરિયાત કરતા 20% વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આ વર્ષે શરૂઆતથી જ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. તેમ છતાં છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર ગુજરાતમાં મેઘસવારી આવી હતી, જેને કારણે આજ સુધીમાં જરૂરિયાત કરતા 6% વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માછીમારોને પણ આગામી પાંચ દિવસ દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, જેમાં આગામી 48 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યારે બે દિવસ બાદ દક્ષિણના ભાગમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અહેવાલો મુજબ તારીખ 05 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ 67% થી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે, કચ્છમાં સૌથી વધુ 86% થી વધુ, દક્ષિણ ગુજરાતમાં 81% થી વધુ, સૌરાષ્ટ્રમાં 77% થી વધુ વરસાદ નોંધાયો છે. તો, ઉત્તર ગુજરાતમાં 50% તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 48% થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.

બ્રિટનમાં છેલ્લાં 13 વર્ષોના સૌથી હિંસક વિરોધ-પ્રદર્શન, કેમ?

લંડન: એક સપ્તાહ પહેલા બ્રિટનના સાઉથપોર્ટ શહેરમાં ત્રણ યુવતી પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેમના મોત થયા હતા. આ પછી શરૂ થયેલા હિંસક પ્રદર્શનો અટકવાનું નામ નથી લઈ રહ્યા. બ્રિટનના 17 શહેરોમાં આગચંપી અને પોલીસ સાથે ઘર્ષણના અહેવાલો સામે આવ્યા છે. જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને એકની હાલત ગંભીર છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને સોમવારે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી. આ દરમિયાન એક વીડિયો સંદેશમાં વડાપ્રધાન કીર સ્ટારમેરે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શનના નામે સંગઠિત હિંસા કરવામાં આવી રહી છે.

PM સ્ટારમેરે કહ્યું, “તેઓ આ ગુંડાઓને જેલમાં મોકલવા માટે જે પણ કરવાનું થશે તે કરશે. પોલીસ ધરપકડ કરશે, લોકોને રિમાન્ડ પર રાખવામાં આવશે, આરોપ ઘડવામાં આવશે અને સજા પણ આપવામાં આવશે. હું બાંહેધરી આપું છું કે તમે આ હિંસામાં ભાગ લેવા બદલ ખેદ કરશો, પછી ભલે તમે તેમાં પ્રત્યક્ષ કે ઓનલાઈન સામેલ થશો.”પીએમે કહ્યું કે જે કોઈ પણ ચામડીના રંગના આધારે હિંસા કરે છે તે ખૂબ જ જમણેરી વિંગર છે. લોકોને આ દેશમાં સુરક્ષિત રહેવાનો અધિકાર છે. આમ છતાં અમે જોયું કે મુસ્લિમ સમુદાયોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મસ્જિદો પર હુમલા થયા. સાચા વિચારવાળા લોકોએ આવી હિંસાની નિંદા કરવી જોઈએ.

રવિવારે, જમણેરી વિરોધીઓએ ઉત્તર ઇંગ્લેન્ડના રોધરહામ શહેરમાં શરણાર્થીઓ માટે બનાવવામાં આવેલી હોટેલમાં તોડફોડ કરી હતી. રવિવારે વિરોધીઓએ રોધરહામ શહેરમાં હોલિડે ઇન એક્સપ્રેસ નામની હોટલને નિશાન બનાવી હતી. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બોટલો ફેંકીને અનેક બારીઓના કાચ તોડી નાખ્યા હતા. આ હોટલમાં 500 શરણાર્થીઓ રહે છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે હવે પોલીસને કાર્યવાહી કરવાની છૂટ આપી છે. પોલીસે ઈંગ્લેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડમાં 150થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. બ્રિટનમાં 13 વર્ષમાં આ સૌથી મોટો તોફાનો હોવાનું કહેવાય છે.

શું છે સમગ્ર મામલો?

ગયા અઠવાડિયે સોમવારે સાંજે, લિવરપૂલ નજીક સાઉથપોર્ટમાં એક ડાન્સ ક્લાસમાં એક 17 વર્ષીય સગીરે ક્લાસમાં હાજર બાળકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં 3 બાળકીઓના મોત થયા છે. આ સિવાય લગભગ 1 ડઝન લોકો ઘાયલ થયા છે.આ ઘટના બાદ, એક ઓનલાઈન અફવા ફેલાઈ હતી કે ડાન્સ ક્લાસમાં છરીથી હુમલો કરનાર કિશોર મુસ્લિમ શરણાર્થી હતો. જેનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને મુસ્લિમ શરણાર્થીઓ પર હુમલાઓ થવા લાગ્યા. બ્રિટનમાં 18 વર્ષથી ઓછી ઉંમરના શકમંદોના નામ જાહેર કરવામાં આવતા નથી. પરંતુ આ કેસમાં કોર્ટે અલગ નિર્ણય લેવો પડ્યો. કોર્ટે વેલ્સમાં રવાન્ડામાં જન્મેલા એક્સેલ રૂડાકુબાનાની ઓળખ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો, જેથી અફવાઓ ફેલાતી અટકી જાય. પરંતુ અફવાઓ રોકાવાનું નામ નથી લઈ રહી અને આંદોલનો વધુ ઉગ્ર બની ગયા છે.

કર્ણાટકના CM સિદ્ધારમૈયાની ખુરશી જોખમમાં?

બેંગલુરુઃ કર્ણાટકના CM સિદ્ધારમૈયા મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યપાલ થાવર ચંદ ગહેલોતે તેમની પત્ની દ્વારા સરકારી જમીનની અનિયમિત ખરીદીમાં સિદ્ધારમૈયાની કથિત ભૂમિકા માટે કેસ ચલાવવા માટે આદેશ આપવાની તૈયારી કરી લીધી છે. CMની વિરુદ્ધ એ કેસ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ચલાવવામાં આવે એવી શક્યતા છે.

સામાજિક કાર્યકર્તા TJ અબ્રાહમે રાજ્યપાલને વિનંતી કરી છે કે CM સિદ્ધારમૈયાની ઉપર ભ્રષ્ટાચારનો કેસ ચલાવવામાં આવે. જોકે કેબિનેટે રાજ્યપાલને વિનંતી કરી છે કે એવું ના કરવામાં આવે. વિપક્ષ ભાજપ અને JDS કેસ ચલાવવા માટે દબાણ કરી રહી છે.CM સિદ્ધારમૈયા પર મુડામાં ભ્રષ્ટાચારની ફરિયાદો પણ છે. આરોપ છે કે CMએ મૈસુરમાં રહેણાક વિસ્તારમાં ગેરકાયદે રીતે 14 પ્લોટ હાંસલ કર્યા છે.

CM સિદ્ધારમૈયાની ઉપર કેસ ચલાવવાની માગને લઈને વિપક્ષ મૈસુરથી બેંગલુરુની વચ્ચે પદયાત્રા શરૂ કરી છે, જ્યારે ભાજપે વિરોધ-પ્રદર્શનથી લોકોનું ધ્યાન હટાવવા માટે કોંગ્રેસ છ દિવસની રેલી કરી રહી છે. CM સિદ્ધારમૈયાએ એને લઈને રાજ્યપાલની ઉપર હુમલો કરતાં કહ્યું હતું કે રાજ્યપાલ ભાજપના હાથનું રમકડું બનીને રહી ગયા છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો છે કે રાજ્યપાલ એક ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાના પ્રયાસ કરી રહી છે. CM અને તેમની પાર્ટી આ મામલે કાનૂની લડાઈ લડવાના મૂડમાં છે.ભાજપ- JDSએ બીજા દિવસે પણ CM પર હુમલો જારી રાખ્યો હતો, જ્યાર કોંગ્રેસના નેતાઓએ પોતાની રેલી દરમ્યાન JDS પ્રદેશાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી HD કુમારસ્વામી પર હુમલો કર્યો હતો.