મુંબઈ: મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ MeToo 2.Oનો યુગ શરૂ થઈ ગયો છે. ઈન્ડસ્ટ્રીમાં યૌન ઉત્પીડનને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ ઘણી મહિલા કલાકારો આગળ આવી અને ઈન્ડસ્ટ્રીનું કાળું સત્ય સામે આવ્યું. આ મહિલા કલાકારોએ મોલીવૂડના પ્રભાવશાળી સેલેબ્સ સામે અવાજ ઉઠાવ્યો હતો અને તેમને જે ગેરવર્તણૂકનો સામનો કરવો પડ્યો હતો તે જાહેર કર્યો હતો. ફિલ્મ નિર્માતા રંજીત પર પણ આ મામલે ગંભીર આરોપો લાગી રહ્યા છે અને હવે એક પુરૂષ અભિનેતાએ તેમની મુસીબત વધારી દીધી છે. અભિનેતાએ ફિલ્મ નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે અને તેની સામે ફરિયાદ પણ નોંધાવી છે.

ઓડિશનના બહાને પુરુષ અભિનેતા સાથે દુષ્કર્મ
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પીડિત અભિનેતાએ જણાવ્યું કે રંજીતે તેને ઓડિશન આપવાના બહાને બેંગલુરુની એક હોટલમાં બોલાવ્યો હતો. પરંતુ ત્યાં ઓડિશન લેવાને બદલે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. રંજીતે તેને તેના બધા કપડા કાઢી નાખવા કહ્યું અને પછી તેને માર માર્યો.પીડિતને શરૂઆતમાં લાગ્યું કે તેને ઓડિશન માટે બોલાવવામાં આવ્યો છે, પરંતુ બાદમાં તેને સમગ્ર પરિસ્થિતિનો અહેસાસ થયો.
પુરુષ અભિનેતાએ રંજીત પર ગંભીર આરોપો લગાવ્યા
એટલું જ નહીં, પીડિતે એવો પણ દાવો કર્યો છે કે ઘટનાના બીજા દિવસે રંજીતે તેને ચૂપ રહેવા માટે પૈસાની ઓફર પણ કરી હતી. તે દરમિયાન તેની સાથે શું થયું તેનું વર્ણન કરતાં પુરુષ અભિનેતાએ દાવો કર્યો, જ્યારે રંજીતે મને નગ્ન ઊભા રહેવા કહ્યું ત્યારે તે એક અભિનેત્રી સાથે વાત કરી રહ્યો હતો. મેં તે અભિનેત્રીનું નામ પહેલેથી જ જણાવી દીધું છે, રેવતી. રણજીતે મને કહ્યું કે તે રેવતી હતી. મને ખબર નથી કે રંજીત અને રેવતી વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં, પણ રંજીતે મારી તસવીરો લીધી અને મોકલી.
રણજીત સામે વધુ એક ફરિયાદ
આ અઠવાડિયાની શરૂઆતમાં રંજીત સામે તેની 2009ની ફિલ્મ પાલેરી મણિક્યમ: ઓરુ પાથિરકોલાપાથકથિંટે કથાના ઓડિશન દરમિયાન બંગાળી અભિનેત્રી પર જાતીય હુમલો કરવા બદલ બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ પછી તાજેતરમાં કેરળ પોલીસે એક અભિનેત્રીની ફરિયાદના આધારે ફિલ્મ નિર્માતા રંજીત વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તપાસ ટીમે ગઈ કાલે ફરિયાદીનું નિવેદન નોંધ્યું હતું. આ કેસ કોઝિકોડમાં નોંધાયેલ છે.





પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે ગુજરાતમાં આવવા હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. 16મી સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ આવશે અને 17મી સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે તેઓ ગાંધીનગરમાં ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે. એટલું જ નહીં તેમના જન્મદિવસે નિમિત્તે બીજા કેટલાક કાર્યક્રમો પણ સામેલ થાય તેવી વાત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીનું લોકાર્પણ તે દિવસે જ કરવામાં આવે તેવું પણ વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બર રાતે અમદાવાદ આવશે અને 17મી સપ્ટેમ્બર મોડીરાતે તેઓ પરત ફરશે તેવું જાણવા મળી રહ્યું છે.પ્રધાનમંત્રીના બીજા કેટલાક કાર્યક્રમો પણ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત પીએમ કાર્યાલયમાંથી થશે તેવું ગાંધીનગરના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.



ગયા પછી ઉમેરવામાં આવ્યું હતું. અંકિત જ્યારે ગાયક- સંગીતકાર બનવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે એણે ‘સુન રહા હૈ ના તૂ? રો રહા હૂં મેં’ શબ્દો લખી ધૂન બનાવી હતી. અને એને જ ગણગણતો રહેતો હતો. વળી એમાં પોતે રડે છે એવું બે વખત બોલે તો સારું ના લાગે એટલે બીજી વખત ‘ક્યૂં રો રહા હૂં મેં’ શબ્દો લખ્યા. એણે પ્રેમિકા માટે નહીં પણ ભગવાનને પોતાની જિંદગીની પરિસ્થિતિ જણાવવા લખ્યું હતું.






