Home Blog Page 1507

‘ડર હૈ તો ક્યા ચુપ રહોગે’ કોલકાતા રેપ-મર્ડર કેસ પર કુમાર સાનુનું મોટુ નિવેદન

મુંબઈ: પ્રખ્યાત ગાયક કુમાર સાનુએ તાજેતરમાં કોલકાતા રેપ મર્ડર કેસ વિશે ખુલીને વાત કરી હતી અને એટલું જ નહીં, તેણે કેટલાક લોકોની નિંદા પણ કરી હતી. તેમણે કોલકાતા બળાત્કાર-હત્યા કેસ પર મૌન જાળવવા બદલ સેલિબ્રિટીઓની પણ ટીકા કરી છે. આ ઘટનાને લઈને પશ્ચિમ બંગાળમાં વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે પણ આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ દરમિયાન હવે કુમાર સાનુનો ​​એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે આ વિશે વાત કરતી વખતે ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યા છે.

સેલિબ્રિટીઓમાં હિંમત નથી

X પર એક વિડિયો સામે આવ્યો છે, જેમાં કુમાર સમજાવે છે કે કેવી રીતે બોલિવૂડ સેલેબ્સ હજુ સુધી કોલકાતા બળાત્કાર અને હત્યા કેસ વિશે બોલ્યા નથી. તેમણે કહ્યું,’ કોલકાતામાં બનેલી ઘટના વિશે આપણું બોલિવૂડ નહીં, પરંતુ ટોલીવુડમાંથી કોઈ બોલે છે, ટોલીવૂડના કયા લોકો બહાર આવ્યા? મને ફક્ત એક નામ જણાવો, આ લોકો જવાબ નથી આપતા. એક ડર છે… જો આપણે બોલીએ તો શું થશે? તેમનામાં જરાય હિંમત નથી, હિંમત જ નથી.’

કોલકાતા રેપ કેસ પર કુમાર સાનુ ભાવુક થઈ ગયા

કુમાર સાનુએ વધુમાં કહ્યું કે,’સેલેબ્સ આ વિશે વાત કરવામાં શરમ અનુભવે છે. જ્યારે મને આ ઘટનાની જાણ થઈ, ત્યારે મેં પહેલા જ દિવસે મારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ મુદ્દાને પ્રકાશિત કર્યો. જુઓ, તમારે સાચું બોલવું પડશે, નહીં તો જૂઠ તમારા ઘરમાં પ્રવેશ કરશે.’ તેમણે વધુમાં કહ્યું, ‘હું કલકત્તાના લોકોને કહેવા માંગુ છું કે આવી પરિસ્થિતિઓને સ્વીકારવાનો આ સમય નથી. તેથી જો તમે હવે તેના વિશે વિચારશો નહીં, તો તે તમારા ઘરે પહોંચી જશે.’

કોલકાતા બળાત્કાર-હત્યા કેસ

9 ઓગસ્ટના રોજ કોલકાતાની સરકારી હોસ્પિટલના લેક્ચર હોલમાં ફરજ પરની એક મહિલા ડૉક્ટર (PGT)નું અર્ધ-નગ્ન શરીર મળી આવ્યું હતું. કોલકાતા બળાત્કાર-હત્યાના કિસ્સાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

અભિનેત્રી શિલ્પા શિંદેએ ફિલ્મ નિર્માતા પર લગાવ્યો યૌન ઉત્પીડનનો આરોપ

મુંબઈ: અંગૂરી ભાભીના પાત્રથી દરેક ઘરમાં પોતાનું નામ બનાવનારી અભિનેત્રી શિલ્પા શિંદે હાલમાં સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 14’માં જોવા મળી રહી છે. શિલ્પા તેના સ્પષ્ટ નિવેદનો માટે પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ દરમિયાન અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે. શિલ્પા શિંદેએ હિન્દી ફિલ્મ નિર્માતા પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે.

શિલ્પા શિંદેએ ન્યૂઝ 18 શોષા સાથેની એક મુલાકાતમાં દાવો કર્યો હતો કે તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં તેને ઓડિશનની આડમાં ફિલ્મ નિર્માતાઓને આકર્ષવા માટે કહેવામાં આવ્યું હતું. જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ જાહેર થયા બાદ ઘણા કલાકારોએ જાતીય સતામણી અને હુમલાના તેમના અનુભવો શેર કર્યા પછી આ ઘટસ્ફોટ થયો છે.

શિલ્પા શિંદેએ 1998-99ની આસપાસ તેના સંઘર્ષના દિવસો દરમિયાન બનેલી ઘટના વિશે વિગતવાર વાત કરી. તેણીને ચોક્કસ કપડાં પહેરવા અને એક દ્રશ્ય કરવા માટે સૂચના આપવામાં આવી હતી જેમાં તેણીએ ફિલ્મ નિર્માતાને લલચાવવાના હતા. શિંદેએ કહ્યું, તે વ્યક્તિએ મારા પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો અને હું ખૂબ ડરી ગઈ. હું તેને ધક્કો મારીને બહાર ભાગી ગઈ.

અભિનેત્રીએ ઉમેર્યું, સિક્યોરિટી સ્ટાફને સમજાયું કે શું થયું છે અને મને તરત જ ત્યાંથી જવાનું કહ્યું. તેમના આરોપોની ગંભીરતા હોવા છતાં શિંદેએ ફિલ્મ નિર્માતાની ઓળખ જાહેર ન કરવાનો નિર્ણય કર્યો. પોતાના નિર્ણય વિશે જણાવતા તેણે કહ્યું, તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હતો. હું આ સીન કરવા માટે સંમત થઈ કારણ કે તે એક અભિનેતા પણ હતો.

શિલ્પાએ કહ્યું,’હું ખોટું નથી બોલી રહી, પરંતુ હું તેનું નામ નથી લઈ શકતી. તેમના બાળકો કદાચ મારાથી થોડા નાના છે, અને જો હું તેમનું નામ લઉં તો તેઓને પણ દુઃખ થાય. થોડા વર્ષો પછી હું તેને ફરીથી મળી અને તેણે મારી સાથે પ્રેમથી વાત કરી. તેણે મને ઓળખી નહોતી અને મને ફિલ્મમાં રોલ ઓફર પણ કર્યો હતો. મેં તેમને ના પાડી. શિલ્પાએ કબૂલ્યું કે આ બધું દરેક સાથે થાય છે. અમે અભિનેતા તરીકે તેના વિશે વાત કરીએ છીએ,અન્ય લોકોએ મને કહ્યું છે કે આવું પ્રસિદ્ધ સેલિબ્રિટી સાથે પણ થાય છે, તે પણ સમાન પરિસ્થિતિઓનો સામનો કરે છે.

કોંગ્રેસમાં સામેલ થશે વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીજંગ રસપ્દ બન્યો છે. ચૂંટણીમાં મતદાન માટે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે, ત્યારે અહેવાલ છે કે પહેલવાન બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટ આજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસનો હાથ ઝાલશે. બપોરે એક વાગેયે તેઓ કોંગ્રેસમાં સામેલ થશે.

આ પહેલાં રાજ્યમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલાં વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાની રાહુલ ગાંધીને મળતાં તેમના ચૂંટણી લડવાની અટકળો તેજ થઈ હતી.છેલ્લા ઘણા સમયથી  ભાજપ પ્રત્યે કુસ્તીબાજોની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી ,કેમ કે ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પહેલવાન વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા અને સાક્ષી મલિકે યૌન શોષણનો આરોપ લગાવતાં દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પહેલવાનોને ભાજપનો વધુ સાથ મળ્યો નહોતો, જે બાદ સતત વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા ભાજપથી નારાજ હતા.

વધુમાં, કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં મોટી નિરાશા બાદ સ્વદેશ પરત આવી ત્યારે હરિયાણા કોંગ્રેસના નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ દિલ્હી એરપોર્ટ પર તેનું સ્વાગત કર્યું. આ પછી તેણે પોતાના ગામ સુધી રોડ શોને પણ સમર્થન આપ્યું હતું. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા દિલ્હી એરપોર્ટથી બલાલી પહોંચ્યા ત્યાં સુધી દીપેન્દ્ર સિંહ હુડ્ડા સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે હતા.

વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાના કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ઘણા વખતથી લાગી રહી હતી, કોંગ્રેસ હરિયાણામાં પોતાના ઉમેદવારોનાં નામની જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે. ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલાં પહેલવાનોની આ મુલાકાત આ વાતના સંકેત મજબૂત કરી રહી છે કે પહેલવાન ફોગાટ અને પૂનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊતરી શકે છે.

 

 

 

 

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

બદામ ખીર

ગણપતિ બાપ્પાનું આગમન થયું છે. ત્યારે અનેરો સ્વાદ ધરાવતી બદામની ખીર બનાવીને બાપ્પાને પ્રસાદમાં ધરાવો અને બાપ્પાને પ્રસન્ન કરી લો!

સામગ્રીઃ

  • બદામ 1 કપ (આશરે 30 નંગ)
  • ફૂલ ક્રીમ દૂધ 1 લિટર
  • કેસરના તાંતણા 15-20
  • કાજુ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન
  • એલચી પાઉડર 1 ટી.સ્પૂન
  • ઘી 1 ટે.સ્પૂન
  • કાજુના ટુકડા 8-10
  • કિસમિસ 8-10
  • સાકર ½ કપ
  • જાયફળનો પાઉડર 2-3 ચપટી
  • ગુલાબની પાંખડી 10-15

 

રીતઃ બદામને ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ હાથેથી તેને છોલીને ફોતરા કાઢી લો. એક જાળા તળિયાવાળા વાસણ અથવા કઢાઈમાં 1 ટી.સ્પૂન ઘી ગરમ કરી તેમાં કાજુના ટુકડા તેમજ કિસમિસને તળીને બહાર એક બાઉલમાં કાઢી લો. હવે આ જ વાસણમાં એક લિટર દૂધ ગરમ કરવા મૂકો. તેમાંથી ¼ કપ દૂધ કાઢી લઈ તેને ઠંડુ કરીને મિક્સીમાં નાખો. તેમજ તેમાં છોલેલી બદામ પણ ઉમેરીને બારીક પીસી લો.

દૂધનો ઉભરો આવ્યા બાદ ઉકળેલા દૂધમાં કેસરના તાંતણા ઉમેરી દો. એક ઝારા વડે દૂધને 10 મિનિટ સુધી સતત હલાવતાં રહો. ગેસની આંચ મધ્યમ રાખવી. દૂધ પર જામેલી મલાઈ તેમજ કઢાઈની કિનારી પર જામેલી મલાઈને પણ ઝારા વડે હળવેથી કાઢીને દૂધમાં મેળવતા જાઓ. હવે તેમાં સાકર ઉમેરી દો.

દૂધ ઘટ્ટ થવા માંડે એટલે પીસેલી બદામમાં થોડું ગરમ દૂધ મેળવીને ચમચી વડે એકરસ કરી દો. જેથી તેમાં ગઠ્ઠા ના રહે. 10 મિનિટ બાદ ઉકળેલા દૂધમાં બદામની પેસ્ટ ઉમેરી દો. ફરીથી 10 મિનિટ સુધી ઝારા વડે બદામની ખીરને સતત હલાવતા રહો.  ત્યારબાદ તેમાં એલચી તેમજ જાયફળનો પાઉડર, તળેલાં કાજુ-કિસમિસ મેળવીને 5 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરીને કાજુ-પિસ્તાની કાતરી તેમજ ગુલાબની પાંખડી ભભરાવીને ખીરને સજાવટ કરી લો.

આ બદામની ખીર ઠંડી થાય એટલે રેફ્રીજરેટરમાં 4-5 કલાક માટે ઠંડી થવા દો. ત્યારબાદ ગણપતિ બાપ્પાને પ્રસાદમાં ધરાવો.

 

૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૪

Chitralekha Gujarati – 16 September, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 06/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

શું વાસ્તુ શાસ્ત્ર અનુસાર દેશમાં પણ ફેરફાર કરી શકાય?

મસ્ત મજાનો વરસાદ પડતો હોય. વાતાવરણમાં રોમાન્સ હોય. કોઈ યુગલ તન મનને ભીંજવવા અને ગરમા ગરમ ભજીયા અને મકાઈનો ડોડો ખાવા બાઈક પર જતા હોય. મનમાં બસ આનંદ જ આનંદ હોય અને અચાનક કોઈ ખાડો આવે તો શું થાય? નજીકમાં કોઈ દવાખાનું હોય એમાં પાટાપીંડી કરવવા જાય અને ખબર પડે કે બેસ્મેંન્ટમાં પાણી ભરાયું હોવાથી લાઈટ નથી. હોસ્પિટલ બંધ છે. અન્ય જગ્યાએ ડોકટરો હડતાલ પર છે. અને હવે કયા ડોક્ટર મળશે એની ચિંતા છે તો? એક ડોક્ટર મળે છે. જે કહે છે કે રીપોર્ટ જોયા વિના હું ઈલાજ ન કરું. અને લેબોરેટરીમાં પર સ્ટાફ નથી કારણ કે ચોફેર પાણી ભરાયા છે. તો આ રોમાન્ટિક વરસાદ કેવો લાગશે? કુદરત તો એ જ છે. પહેલા પણ વરસાદ પડતો હતો. બસ માણસ, એનું મન અને મહત્વાકાંક્ષા બદલાઈ છે. શું ખાડાઓ કોઈ નિયમ પ્રમાણે ચાલે ખરા? એમાં તો કોઈ પણ પડી શકે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: હવેના યુવાનો વરસાદથી ગભરાય છે. અમને વરસાદ ગમતો. અમે ખાસ નહાવા બહાર નીકળતા. કાગળની હોડીઓ તરાવવાનું તો વિસરાઈ જ ગયું છે. લોકો ધીમે ધીમે પ્રકૃતિથી વિમુખ થઇ રહ્યા છે. વરસાદ માટે ખાબક્યો, ધમરોળ્યું જેવા શબ્દો વિચિત્ર લાગે છે. અમારા સમયમાં તો ઘણી બધી જગ્યાએ પાકા રસ્તાઓ નહોતા. પણ નીતિમતા હતી. રોડની વચ્ચે ખાડા નહોતા. દેશ આઝાદ થયો પછી ઘણી બધી ચેલેન્જનો સામનો કરવાનો હતો. તો પણ અમને કોઈ તકલીફ નહોતી લાગતી. હવે તો સોસાયટીમાં પણ લેવલ વિનાના રસ્તા બને છે. જ્યાં ત્યાં ખાબોચીયાઓ દેખાય છે. સ્વચ્છતા અભિયાન વિના અમારા આંગણા અને રસ્તાઓ ચોક્ખા રહેતા. કારણકે અમને અમારો દેશ ગમતો. હવે એવું લાગે છે કે આ દેશમાં અમે મહેમાન છીએ. દરેકને એક બીજાનો વાંક કાઢવો છે. પોતાના ફાયદા માટે જીવતા માણસો વધી રહ્યા છે. કોઈને ખબર ન પડે એ રીતે ખોટું કરવાનું વ્યાજબી ગણાય છે. કહેવાતા ગુરુઓ ભૌતિકતાનું જ્ઞાન આપે છે. શું આ દેશમાં કોઈ વાસ્તુ આધારિત નકારાત્મક ફેરફાર થયા છે. કે આવું થઇ રહ્યું છે?

જવાબ: પ્રણામ. માનવનું મન ફરે તો કુદરત રૂઠે એ વાત કવિ કલાપીની ગ્રામમાતા કવિતામાં સુંદર રીતે સમજાવી છે. વળી લોકમાનસ પણ વિચિત્ર રીતે બદલાયું છે. રીલ્સ જોઇને જીવનના નિયમો બનાવવાની કળા જે રીતે વિકસી છે એનો કોઈ ઈલાજ નથી. ગુલામીની શરૂઆત પહેલા આપણ આપણે ગુલામ જ હતા. શીખ સંપ્રદાય, આદિશંકરાચાર્ય વિગેરેના પ્રયત્ન પછી પણ આપણે ક્યાં છીએ? અન્યથી પ્રભાવીત થઇ પોતાના વિચારો બદલવાને આપણે સ્વનો વિકાસ ગણીએ છીએ. સંસ્કૃત જેવી મહાન ભાષાને છોડીને વિચિત્ર બંધારણ ધરાવતી અંગ્રેજી ભાષાને આપણે જ મહાન બનાવી છે. ફરિયાદ બધા જ કરે છે. પણ એના નિવારણ માટે આપણે શું કર્યું? હકની લડાઈ લડવા માટે પણ જો સમાજનો ડર કે શરમ નડતા હોય તો એ પોતાના દેશ માટે મહેમાન હોવાની જ લાગણી છે. આટલા લોકો ખાડામાં પડે છે. નવા ખાડા વાળા રસ્તા ન બને એ માટે કોઈ આંદોલન થયા? ગુરુઓને ગુરુ કોણ બનાવે છે? આપણે જ ને? સંપ્રદાય વિના એમનો બિઝનેશ ચાલે? જ્યાં બિઝનેશ છે ત્યાં ત્યાગ હોઈ શકે ખરો? પણ તકલીફ એ છે કે આપણને તો ગુરુ પણ એશોઆરામથી જીવતા ગમે છે. જ્ઞાન વિશેની સમજણ ઓછી થાય ત્યારે આવું થઇ શકે.

અંગ્રેજો માત્ર 10,000 હતા અને કરોડો લોકો પર એમણે રાજ્ય કર્યું. કારણકે એમને આપણા લોકોએ જ મદદ કરી હતી. પોતાનો સ્વાર્થ દેશપ્રેમથી વધે ત્યારે આવું બને. મોગલોની સેનામાં ભારતીય હતા? એ બધું જ બદલવા કોઈ નિસ્વાર્થ સમાજની રચના કરવી પડે. જે દેશપ્રેમને સાચા અર્થમાં સમજી શકે. તમારી પેઢીએ સારા દિવસો જોયા છે એનું એક કારણ એ પણ છે કે તમે ગુલામીના સમયને પણ અનુભવ્યો છે. એટલે દેશપ્રેમ હોય જ. શું એવા નિસ્વાર્થ લોકો હવે મળશે ખરા?

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દેશમાં પણ ફેરફાર કરી શકાય. પણ એના માટે કુદરતને સમજી એને અનુકુળ થઇ અને કામ કરવું પડે. વૃક્ષમાં પણ જીવ છે એવું વેદોમાં ભલે લખેલું હોય. પણ એનું લાખોની સંખ્યામાં નિકંદન થતું જોઇને પણ જો કોઈને વેદના ન થતી હોય તો એ પ્રજાએ કુદરતના અન્ય નિયમો તો ભોગવવા જ પડે ને?

સુચન: એક વેદિક વૃક્ષને કાપતા પહેલા પાંચ વૃક્ષ વાવવા જરૂરી છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

પંચાંગ 06/09/2024