અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા ઘીકાંટા રોડ પરથી પસાર થાઓ એટલે બંને તરફ કોસ્મેટિક્સ, સિલાઈકામની સામગ્રી, રેડીમેઈડ કપડાંની દુકાનોથી ભરેલું બજાર દેખાય. રહેણાંક વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમ એમ બંને સમાજના લોકો રહે છે.
શહેરની ભીડવાળા અને વેપારથી ધમધમતા આ વિસ્તારમાં એક મસ્જિદ આવેલી છે. કલાત્મક મસ્જિદ! ઝરુખાઓ, થાંભલાઓ અને મિનારાઓથી શોભતા ઐતિહાસિક સ્થાપત્યોમાં આ મસ્જિદ સ્થાપત્યનો બેજોડ અને અસાધારણ નમૂનો છે. મુહાફિઝ ખાનની આ મસ્જિદ 1485ના સમયગાળામાં બનાવવામાં આવી છે.
મુઘલ સલ્તનત સમયમાં મોહંમદ શાહે એના વફાદાર અને બાહોશ અધિકારી મુહાફિઝ ખાનની યાદગીરીમાં આ મસ્જિદ બનાવી હતી.
કમાનવાળા પ્રવેશદ્વાર, કોતરણીવાળા મિનાર અને ઝરુખાથી સુંદર લાગતું આ ઐતિહાસિક સ્મારક ઈસનપુરની મસ્જિદ સાથે સામ્યતા ધરાવે છે.
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 5માં પાછો ફર્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવારે જાહેર કરાયેલ ટેસ્ટ રેન્કિંગમાં, હિટમેને સપ્ટેમ્બર 2021 પછી ટોપ 5માં પુનરાગમન કર્યું છે. આ સાથે જ વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલને પણ ફાયદો થયો છે. બંને અનુક્રમે છઠ્ઠા અને સાતમા સ્થાને પહોંચી ગયા છે. આ ત્રણેય ભારતીય બેટ્સમેનો ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ શ્રેણીમાં સારા પ્રદર્શન સાથે તેમના રેટિંગમાં સુધારો કરવા ઈચ્છશે.
Sri Lanka’s spirits lifted further with a climb up the ICC Men’s Test Player Rankings after a stunning triumph over England 🤩 #WTC25 | Read on 👇https://t.co/mPHlfVI9Y0
ભારતે આ વર્ષે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી. આ દરમિયાન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે જોરદાર પ્રદર્શન કર્યું હતું. બંને શાનદાર ફોર્મમાં હતા. યુવા બેટ્સમેને આ શ્રેણીમાં બે સદી અને ત્રણ અડધી સદીની મદદથી 712 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતીય કેપ્ટને બે સદી ફટકારીને 400 રન પણ પૂરા કર્યા.
નવી દિલ્હીઃ લખનૌ, દિલ્હી અને ચંડીગઢ સહિત દેશની 21 હોસ્પિટલોમાં એક ગંભીર સુપરબગ મળ્યા છે. દેશની 21 હોસ્પિટલોના OPD, વોર્ડ અને ICUમાં ક્લેબસિએલા નિમોનિયા પછી એસ્ચેરિચિયા કોલાઈ સૌથી સુપરબગ મળ્યો છે, એમ ICMRના રિપોર્ટમાં ખુલાસો થયો છે.
આ હોસ્પિટલોનો ખુલાસો ICMRના Antimicrobial Resistance Research & Surveillance Networkના વાર્ષિક રિપોર્ટમાં થયો છે. દેશની 21 મશહૂર હોસ્પિટલમાં સુપરબગ કેટેગરીના જોખમ ભરેલા બેક્ટેરિયા મળી આવ્યા છે, જે OPD વોર્ડ અને ICUમાં હાજર હતા. આ એ હોસ્પિટલ્સ છે, જ્યાં દેશની સૌથી વધુ વસતિ સારવાર માટે પહોંચે છે. એમાં દિલ્હીની એમ્સથી માંડીને ચંડીગઢ PGI અને દિલ્હીની ગંગારામ હોસ્પિટલથી માંડીને ચેન્નઈની એપોલો હોસ્પિટલ સામેલ છે.
આ ડેટા એક જાન્યુઆરી, 2023થી 31 ડિસેમ્બર 2023ની વચ્ચેનો છે. એમાં હોસ્પિટલ આવેલા આશરે એક લાખ દર્દીઓનાં લોહી, મળમૂત્ર, પસ, મસ્તિષ્ક અને કરોડરજ્જુથી લીધેલા CSFના નમૂના લઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ઘતક બેક્ટેરિયા અને સુપરબગની ઓળખ કરવામાં આવી તો આશરે 10 પ્રકારનાં ઘાતક બેક્ટેરિયા મળ્યા છે. આ બધા આંતરરાષ્ટ્રીય સ્તર પર સુપરબગની શ્રેણીમાં આવે છે.
ICMRએ દેશમાં ચાર સંસ્થાને નોડલ કેન્દ્ર બનાવી છે, એમાં દિલ્હી એમ્સ, ચંડીગઢ PGI, CMC વેલ્લોર અને પોંડિચેરી સ્થિત JIPMER સામેલ છે. આ હોસ્પિટલોની સાથે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ, દિલ્હી એમ્સ ટ્રોમા સેન્ટર અને ઉત્તર પ્રદેશના લખનૌ સ્થિત KGMUમાં દર્દીઓના નમૂના લેવામાં આવ્યા હતા.
આ સુપરબગમાં ક્લેબસિએલા નિમોનિયા, એસ્ચેરિચિયા કોલાઈ સિવાય એસિનેટોબેક્ટર બાઉમાની, સ્યુડોમોનાસ, એરુગિનોસા, સ્ટેફફિલોકોક્સ ઓરિયસ, એન્ટરોકોક્સ ફેકેલિસ, એન્ટરોકોકસ ફેસિયમ, સ્ટેફાઇલોકોક્સ હેમોલિટિક્સ, સ્ટેફિલોલોકોક્સ એપિડર્મિડિસ અને એન્ટરોબેક્ટર ક્લોએસી સામેલ છે.
ભારતમાં જે ઝડપે હાઈવે અને એક્સપ્રેસ વેનું નિર્માણ થઈ રહ્યું છે તે સાથે પરિવહન પણ વેગ પકડી રહ્યું છે. હાઈવે-એક્સપ્રેસ પર વાહનો ઝડપભેર દોડી રહ્યા છે. હવે આ માર્ગો પર વાહનોને વધુ સ્પીડ આપવા માટે સરકારે વધુ એક પગલું ભર્યું છે. નવા નિયમ અનુસાર, જો તમે હાઈવે અથવા એક્સપ્રેસ વે પર વાહન ચલાવો છો, તો હવે તમારે 20 કિલોમીટર સુધી કોઈ ટોલ ચૂકવવો પડશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) સાથે ફીટ કરાયેલા ખાનગી વાહનોને આ છૂટ આપી છે. ચાલો સમજીએ કે આ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) શું છે અને આ સમગ્ર સિસ્ટમ કેવી રીતે કામ કરશે, હાઇવે અને એક્સપ્રેસવે પર તમારી મુસાફરીની શૈલી કેવી રીતે બદલાશે?
20 કિલોમીટર પર કોઈ ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી (દર અને સંગ્રહનું નિર્ધારણ) નિયમો 2008માં સુધારો કર્યો છે. સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે. આ નવી સિસ્ટમ હેઠળ વાહનોને ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર નહીં પડે. નવી સેટેલાઇટ-આધારિત સિસ્ટમ દ્વારા, ફાસ્ટેગ અથવા રોકડની ઝંઝટ વગર વાહનની નંબર પ્લેટની મદદથી ટોલ ટેક્સ સીધો જ કપાશે. આ નવી સિસ્ટમથી જીપીએસ દ્વારા વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવશે. સરકારે GNSSથી સજ્જ ખાનગી વાહનોને 20 કિમી સુધીના ટોલ ટેક્સમાંથી મુક્તિ આપી છે.
વાહન જેટલું વધુ મુસાફરી કરશે તેટલો વધુ ટેક્સ આપવો પડશે
નવા નિયમ હેઠળ હાઇવે અને એક્સપ્રેસ વે પર વાહનો જેટલા અંતરે મુસાફરી કરે છે તેટલો જ ટેક્સ વસૂલવામાં આવશે. સેટેલાઇટ-આધારિત ટોલ સિસ્ટમ જીએનએસએસ ટેક્નોલોજી પર આધાર રાખે છે, જે વાહનોના ચોક્કસ સ્થાનને ટ્રેસ કરવાની મંજૂરી આપે છે. જેના કારણે વાહનો જેટલા અંતરે મુસાફરી કરે છે તે પ્રમાણે ટેક્સ ભરવો પડે છે. નવા ટોલ વસૂલાત માટે વાહનો માટે ઓન-બોર્ડ યુનિટ (OBU) અને GPS હોવું જરૂરી છે. નવી સિસ્ટમ ફાસ્ટેગ અથવા ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) ટેક્નોલોજીથી અલગ હશે.
ગુજરાતમાં ચારે તરફ મેઘ મહેરની જગ્યા પર કહેર બની વરસી રહ્યો છે. કેટલીક જગ્યા પર જળબંબાકાર જેવી સ્થિતી પણ સર્જાય છે. કેટલાક વિસ્તારનું જન જીવન અસ્થવ્યસ્થ જોવા મળી રહ્યું છે. ત્યારે ભારે વરસાદના પગલે રાજ્યભરમાં મોટાભાગના ડેમોમાં પાણી આવક વધી છે. આજે કડાણા ડેમના 21 દરવાજા ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે મહીસાગર નહી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર કડાણા ડેમમાંથી ગતરાત્રે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ભારે માત્રામાં પાણી છોડતા નીચાણવાળા 5 જિલ્લાના 235 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાણીનો પ્રવાહ વધુ હોવાથી પુલના બન્ને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતી હોવાથી તંત્રને કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવાની ફરજ પડી છે. હાલમાં ડેમનું લેવલ 417 ફૂટ 5 ઇંચ પહોંચ્યું છે. જેથી ખેડા વડોદરાને જોડતો ગળતેશ્વર-ડેસર બ્રિજ પણ બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત તલાટીઓ, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 6થી 10 વગ્યા સુધીમાં ધાનેરામાં 3.23 ઇંચ, ધનસુરામાં 1.57 ઇંચ, મહેસાણામાં 1.42 ઇંચ, શહેરા, વાલિયા અને મોરવા (હડફ)માં 1.18 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય 48 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
સેમિકન્ડક્ટર આજે તમારી અને અમારી જરૂરિયાત બની ગયું છે અને તે ભવિષ્યની સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાતોમાંની એક બનવા જઈ રહ્યું છે. તેથી ભારત આ ક્ષેત્રમાં મોટી દાવ રમવા જઈ રહ્યું છે અને PM નરેન્દ્ર મોદીએ આજે આ અંગે મોટી જાહેરાત કરી છે. સેમિકોન ઈન્ડિયા 2024ને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અમારું સપનું છે કે વિશ્વના દરેક ઈલેક્ટ્રોનિક્સમાં ભારતમાં બનેલી ચિપ હોય.
आज भारत का मंत्र है – increase the number of chips produced in India. इसलिए हमने semiconductor manufacturing को आगे बढ़ाने के लिए बहुत सारे कदम उठाए हैं।
भारत में semiconductor manufacturing facility लगाने के लिए 50% समर्थन भारत सरकार दे रही है। इसमें राज्य सरकारें भी अपने स्तर… pic.twitter.com/F2mDGxWBLk
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે રોકાણની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે જો ભારતને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં સ્થાન બનાવવું હોય તો તેના માટે સ્પર્ધાત્મક બનવું એક મહત્વપૂર્ણ શરત છે. પીએમ મોદીએ કહ્યું કે આજે સેમિકન્ડક્ટર સ્માર્ટફોનથી લઈને ઈલેક્ટ્રિક વાહનો અને AI સુધી દરેક વસ્તુનો આધાર છે.
Bharat has 3-dimensional power…
1. Reformist govt
2. Growing manufacturing base
3. Aspirational market
With this 3D base, I am certain that the semiconductor industry in India will thrive.
સેમિકોન ઈન્ડિયા 2024માં, વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારીએ સેમિકન્ડક્ટર્સ અને તેમની સપ્લાય ચેઈન્સની જરૂરિયાત સામે લાવી છે. આ સમય દરમિયાન, વિશ્વએ સપ્લાય ચેઇન કટોકટી જોઈ, જેના કારણે સપ્લાય પ્રભાવિત થઈ. કોવિડના પ્રસારને રોકવા માટે ચીન દ્વારા લેવામાં આવેલા પગલાથી વિશ્વના તે દેશોમાં ઉદ્યોગો પ્રભાવિત થયા છે જેઓ સેમિકન્ડક્ટર્સ માટે ચીનથી આયાત પર નિર્ભર હતા, તેથી આવનારા સમયમાં આનાથી સંબંધિત કોઈપણ વિક્ષેપને દૂર કરવા માટે પગલાં લેવા જોઈએ ધ્યાનમાં લેવું જોઈએ. આજે સેમિકન્ડક્ટર દરેક ઈલેક્ટ્રોનિક ઉપકરણનો મહત્વનો ભાગ છે.
ભારત ઘણા ક્ષેત્રોમાં સ્પર્ધાત્મક બની રહ્યું છે
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સપ્લાય ચેઇનની સ્પર્ધાત્મકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત તેની અર્થવ્યવસ્થાના ઘણા ક્ષેત્રોમાં તેને વિકસાવવા માટે કામ કરી રહ્યું છે પીએમ મોદીએ કહ્યું કે ભારતની વર્તમાન સુધારાવાદી સરકાર આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે. આ માટે સરકારે સ્થિર નીતિઓ બનાવી છે. ભારત તેના માટે એક મોટું બજાર પણ છે અને બજારની વાત કરીએ તો સરકારે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં રોકાણ માટે મજબૂત આધાર તૈયાર કર્યો છે અને આ માટે ટેક્નોલોજીની મદદ લીધી છે.
ભારતની ચિપ વિશ્વના દરેક ઉપકરણમાં હોવી જોઈએ
આ અવસર પર પીએમ મોદીએ પોતાના એક સપનાની પણ વાત કરી. તેમણે કહ્યું, અમારું સપનું છે કે વિશ્વના દરેક ઉપકરણમાં ભારતમાં બનેલી ચિપ હશે. અમે સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતને વિશ્વ મહાસત્તા બનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું.
તેમણે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે તેમની સરકારના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા પગલાઓની ચર્ચા કરી છે. દેશમાં ચિપ મેન્યુફેક્ચરિંગ માટે “થ્રી-ડી પાવર” ની વિભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં સુધારાવાદી સરકારની સ્થિર નીતિઓ, મજબૂત ઉત્પાદન આધાર અને મહત્વાકાંક્ષી બજાર દ્વારા ટેક્નોલોજી અપનાવવાનો સમાવેશ થાય છે.
મુંબઈ: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. ઇન્ફોર્મા કનેક્ટ એકેડેમીના અહેવાલ મુજબ, ગૌતમ અદાણી 2028 સુધીમાં ટ્રિલિયોનેર બનનાર વિશ્વના બીજા વ્યક્તિ હશે. અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન 122.86%ના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દરે 84 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ટ્રિલિયોનેર થનાર પ્રથમ ભારતીય હશે.‘બિલિયોનેર ટુ ટ્રિલિયોનેર’ યાદીમાં એલોન મસ્ક $1195 બિલિયનની નેટવર્થ સાથે ટોચ પર છે. મસ્ક, ટેસ્લા, એસ્ટ્રોનોટિક્સ કંપની સ્પેસએક્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xની કમાન સંભાળે છે. આ અહેવાલ મુજબ મુકેશ અંબાણીની 2033 સુધીમાં ટ્રિલિયોનેર બનવાની સંભાવના છે. અંબાણી 28.25%ના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર સાથે નવ વર્ષમાં ટ્રિલિયોનેરની યાદીમાં સ્થાન મેળવશે.
તાજેતરમાં હુરુન ઈન્ડિયાએ બહાર પાડેલી ભારતીય ધનકુબેરોની યાદીમાં પહેલીવાર ભારતના 300થી વધુ અબજપતિઓને સામેલ કરાયા છે. આ યાદીમાં ટોપ પર રહેલા ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડ્યા હતા. 11.6 લાખ કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ સાથે તેઓ ભારતીય ધનકુબેરોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને છે. હિન્ડેનબર્ગ રિપોર્ટથી થયેલા નુકસાનને ભરપાઈ કરતાં ગૌતમ અદાણીની નેટવર્થ ગત વર્ષે 95 ટકા વધી હતી.અદાણી જૂથ બિઝનેસનો વ્યાપ વધારવાની દિશામાં સતત કાર્યરત છે. હાલમાં જ અદાણી ગ્લોબલે વિદેશોમાં બિઝનેસનો વ્યાપ વધારવા નવા ઉપક્રમો સ્થાપિત કર્યા છે. અદાણી જૂથે શાંઘાઈમાં અદાણી એનર્જી રિસોર્સિસ (શાંઘાઈ) નામની સબસિડિયરી કંપનીની રચના કરી છે. તે સપ્લાય ચેઈન બિઝનેસ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેવાઓ અંગે કામ કરશે. અદાણી ગ્લોબલ એ અદાણી એન્ટરપ્રાઈઝીસની 100% માલિકીની પેટાકંપની છે.અદાણી પાવરે અબુ ધાબીમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર મિડલ-ઇસ્ટ લિમિટેડનો સમાવેશ કર્યો છે. નવી પેટાકંપનીનો ઉદ્દેશ્ય પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ વધારવાનો રહેશે. નોંધનીય છે કે અદાણી ગ્રૂપ માર્ચ-2023થી GQG પાર્ટનર્સ, IHC જેવા લાંબા ગાળાના રોકાણકારોને આકર્ષતુ રહ્યું છે.
સમયના પરિવર્તન સાથે લોકો પેટ્રોલ અને ડિઝલથી આગળ વધીને ઈલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે સરકાર પણ ઈલેક્ટ્રિક વ્હીકલને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પણ લોકો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરે તેના માટે પ્રયત્નો કરી રહી છે. પરંતુ શું આ ઈલેક્ટ્રિક વ્હીકલ સુરક્ષિત છે? આ પ્રશ્ન લોકોને મૂંજવી રહ્યો છે. અવાર નાવાર ઈલેક્ટ્રિક વાહનોને લગતી દુર્ઘટનાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં ફરી એક વખત ઈલેક્ટ્રિક સ્કૂટર બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં ચાર્જિંગમાં મૂકેલું સ્કૂટર અચાનક બ્લાસ્ટ થયું હતું. જેથી ઘરમાં રહેલી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઘટના રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા સનાતન પાર્કની છે. જ્યાં રાત્રે 12 વાગ્યા આસપાસ ચાર્જિંગમાં મુકેલી ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો. ઉલ્લેખનીય છે કે પિડીતે આ સ્કૂટર આઠ મહિના પહેલા ખરીદ્યું હતું. ચાર્જિંગ પર મક્યા બાદ સ્કૂટર ધડામથી બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થતાં ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. સાથે જ ઘરનું તમામ વાયરીંગ પણ બળી ગયું છે. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી. ઉલ્લેખનીય છે અગાઉ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી લક્ષ્મી પાર્ક સોસાયટીમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી બ્લાસ્ટ થઈ હતી. આ ઘટનામાં એક યુવતિનું મોત નિપજ્યું છે જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
દિલ્હીની કોર્ટે બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. આ સાથે જ દિલ્હીની કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકને એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં જામીન આપ્યા છે. AAP નેતાને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.
સીએમ અરવિંદ કેજરીવાલ અને અન્ય અટકાયત લોકો તિહાર જેલમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. સુનાવણી દરમિયાન સીએમ કેજરીવાલની જામીન 25 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. નોંધનીય છે કે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં સીએમ અરવિંદ કેજરીવાલના પક્ષમાં લડી રહ્યા છે. સીબીઆઈનો આરોપ છે કે એક્સાઈઝ પોલિસી કેસ સાથે જોડાયેલા કથિત કૌભાંડમાં આમ આદમી પાર્ટીને ગેરકાયદેસર નાણાંનો ફાયદો થયો છે.
નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં હતું. આ ભૂકંપના આંચકા ઇસ્લામાબાદ અને લાહોરમાં પણ અનુભવવામાં આવ્યા હતા. આ ભૂકંપ બપોરે 12.58 કલાકે આવ્યો હતો.
દિલ્હી-NCR સિવાય પણ ઉત્તર ભારતનાં ઘણાં રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય યુપી, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. આ સિવાય પાકિસ્તાનના લાહોર અને ઈસ્લામાબાદમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. છેલ્લા 15 દિવસમાં આ બીજો આંચકો છે હાલ જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી. આ આંચકા એકદમ હળવા હતા તેથી નુકસાનની શક્યતા ઓછી છે.
ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના કરોરથી 25 કિમી દક્ષિણ-પશ્ચિમમાં 10 કિમીની ઊંડાઈએ હતું. ઇસ્લામાબાદ અને લાહોર સહિત પાકિસ્તાનના મોટા શહેરોમાં પણ આંચકા અનુભવાયા હતા.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિસ (GFZ) એ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. GFZ એ જણાવ્યું હતું કે ભૂકંપ 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઇએ હતો.
છેલ્લા બે અઠવાડિયામાં બીજી વખત દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 29 ઓગસ્ટના રોજ, અફઘાનિસ્તાનમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપ પૃથ્વીની સપાટીથી 255 કિલોમીટર નીચે આવ્યો હતો.