પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવેલ ગેસ કનેક્શનનો લાભ મેળવનાર જિલ્લાની હજારો મહિલાઓએ હજુ પણ ઈ-કેવાયસી કરાવ્યું નથી તો તમે આ દિવાળીમાં મફત ગેસ મેળવી શકશો નહીં. આવી લાભાર્થી મહિલાઓને સિલિન્ડર રિફિલ કરવા પર મળતી 349.50 રૂપિયાની સબસિડી પણ બંધ થઈ શકે છે.

જિલ્લામાં એચપી, ભારત, ઇન્ડેન ગેસની 42 એજન્સીઓ છે. તમામના ચાર લાખથી વધુ ગ્રાહકો છે. તેમાંથી બે લાખ 13 હજાર ગ્રાહકો ઉજ્જવલા યોજના હેઠળ છે. એજન્સી ઓપરેટરોના ડેટા અનુસાર, અત્યાર સુધી માત્ર 50 ટકા લોકોએ જ ઈ-કેવાયસી કરાવ્યું છે. 50 ટકા લોકો તેનાથી વંચિત છે. આવી સ્થિતિમાં, જો ગ્રાહકો જલ્દીથી ઇ-કેવાયસી કરાવે નહીં, તો તેઓ કંપની દ્વારા આપવામાં આવતી સુવિધાઓથી વંચિત રહી શકે છે.

ઈ-કેવાયસી મફતમાં કરવામાં આવે છે
એલપીજી એસોસિએશનના પ્રમુખ ઝિયાઉલ હસનૈન ગુડ્ડુ અને સેક્રેટરી વિનોદ રાણાએ જણાવ્યું કે એજન્સીમાં ઇ-કેવાયસી કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, ગ્રાહકોના કોલ પર, કામદારો તેમના ઘરે જઈને મશીનથી અંગૂઠાની છાપ લઈ રહ્યા છે. આ માટે કોઈ ચાર્જ નથી. ઈ-કેવાયસી વિના, ઉજ્જવલા કનેક્શન ધારકોને દિવાળી પર મફત સિલિન્ડર નહીં મળે અને સબસિડી પણ બંધ થઈ શકે છે.






ગુજરાતના રાજકારણમાં એ સમયે જબરી ઉથલ-પાથલ મચી હતી. મુદ્દો હતો કે મોદી કઈ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે. અંતે રાજકોટ – 2( પશ્ચિમ ) બેઠક ઉપરથી વજુભાઈ વાળાએ રાજીનામું આપી મોદી માટે બેઠક ખાલી કરી આપી હતી. ફેબ્રુઆરી 2002માં આ બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ અને નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ઝુકાવ્યું. તેમની સામે કોંગ્રેસે સહકારી આગેવાન અશ્વિન મહેતાને લડાવ્યા. રસાકસી વચ્ચે મોદી 14,728 મતથી વિજેતા બન્યા હતા.
નરેન્દ્ર મોદી તેમના જીવનની આ પહેલી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા અને શરૂ થઈ તેમના જીવનની સંસદીય કારકિર્દી. રાજકોટની આજીથી વારાણસીની ગંગા નદી સુધીની અને ગાંધીનગરથી દિલ્હી સુધીની તેમનો રાજકીય સફરનો સૂરજ તપતો રહ્યો છે.
રાજકોટથી જીત્યા બાદ સતત તેમના જીવનમાં રાજયોગ રહ્યો. વર્ષ 2014 સુધી તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી પદે રહ્યા બાદ 2014 માં તેઓ વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન બન્યા બાદ પણ તેઓ રાજકોટના લોકોને ભૂલ્યા નથી. તેઓ જ્યારે જ્યારે રાજકોટ આવ્યા છે ત્યારે તેઓ રાજકોટના લોકોના પ્રેમને યાદ કરે છે. કોઈ યોજનાની જાહેરાત કરે તો તેઓ કહે છે હું રાજકોટના લોકોનું ઋણ ઉતારવાનો પ્રયાસ કરું છું.
નરેન્દ્ર મોદી રાજકોટ વિધાનસભાની જે બેઠક ઉપરથી જીત્યા એ રાજકોટ પશ્ચિમની બેઠક એ ભાજપનો ગઢ ગણાય છે. આ બેઠક ઉપરથી બે નેતાઓ પેટા ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી બન્યા છે. તેમાં વર્ષ 2002માં નરેન્દ્ર મોદી અને વર્ષ 2014માં વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. વજુભાઈ વાળા રાજપાલ બનતા આ બેઠક ખાલી પડી હતી.




