નવી દિલ્હીઃ ડિજિટલ સંગઠન કોકરોચ જનતા પાર્ટી (CJP) શનિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણાં-પ્રદર્શન કરી રહી છે. પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેના નેતૃત્વમાં યોજાયેલા આ પ્રદર્શનમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે. વિવિધ પરીક્ષા પેપર લીકની ઘટનાઓને કારણે યુવાનોમાં ફેલાયેલા અસંતોષને ધ્યાનમાં રાખીને આ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે અભિજિત દીપકે બોસ્ટનથી ભારત આવ્યા છે અને તેઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે. દિલ્હી પોલીસે પ્રદર્શન માટે મંજૂરી આપી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ એરપોર્ટ પર પહોંચેલા દિલ્હી પોલીસના અધિકારીઓએ ત્યાં જ અભિજિત સાથે મુલાકાત કરીને તેમને પ્રદર્શનની પરવાનગી આપી હતી. ત્યાર બાદ તેઓ સીધા જંતર-મંતર પહોંચ્યા, જ્યાં પહેલેથી જ CJPના સમર્થકો એકત્ર થવા લાગ્યા હતા. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Prime minister should resign!
— Cockroach Janta Party (@CJP_for_India) June 5, 2026
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે બધા કોકરોચ સીધા જંતર-મંતર પહોંચે, સંસદ માર્ગ પોલીસ સ્ટેશન નહીં. અમે સવારે 10 વાગ્યાથી શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કરીશું. તેમણે સમર્થકોને સમયસર પહોંચીને આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી. હાલ CJPના સમર્થકો જંતર-મંતર પર પ્રદર્શન કરી રહ્યા છે. પાર્ટી દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ ઉઠાવવામાં આવી રહી છે.
धर्मेंद्र प्रधान इस्तीफ़ा दो!
शिक्षा मंत्री को हमने चुन कर भेजा है, हमारे टैक्स से उनको तनख्वाह मिलती है!
उनके शासन काल में करोड़ों युवाओं का भविष्य अंधकार में है।
cockroach आ रहे हैं, धर्मेंद्र प्रधान जा रहे हैं! #cjpprotest pic.twitter.com/LYcOUY7Shc
— Cockroach is Back (@Cockroachisback) June 6, 2026
વડા પ્રધાને રાજીનામું આપવું જોઈએઃ CJP
કોકરોચ જનતા પાર્ટીએ X પર એક પોસ્ટ શેર કરીને વડા પ્રધાનના રાજીનામાની માગ કરી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે વડા પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ. પ્રદર્શનકારીઓએ નારા લગાવતા કહ્યું હતું કે કોકરોચ આવી રહ્યા છે, ધર્મેન્દ્ર પ્રધાન જઈ રહ્યા છે.જંતર-મંતર પર એકત્ર થયેલા સમર્થકો પરીક્ષા અનિયમિતતાઓ સામે કાર્યવાહી અને શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારીની માગ કરી રહ્યા છે.






એમને એક પછી એક ફોન કરવાનું શરૂ કર્યું અને વાતચીત કરવા લાગ્યો. સામાન્ય સંજોગોમાં હું ફોન પર લાંબું બોલવાનું ટાળું છું, પરંતુ વડીલો સાથે વાત કરવાનું ગમ્યું.

લોકપ્રિય રહ્યું છે. તેમાં અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને શત્રુઘ્ન સિન્હા દેખાય છે. પરંતુ હકીકતમાં આખા ગીતમાં શત્રુઘ્ને જાતે ડાન્સ કર્યો જ નહોતો!



સામગ્રીઃ રવો 1 કપ, કસ્ટર્ડ પાઉડર 3 ટે.સ્પૂન, દહીં 1 કપ, સાકર ½ તેમજ 1 કપ, તેલ અથવા ઘી ¼ કપ, દૂધ 1½ લિટર, બેકીંગ પાઉડર 1 ટી.સ્પૂન, બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન, એલચી પાઉડર 1 ટે.સ્પૂન
વડાપ્રધાન સુરત એરપોર્ટથી સીધા હજીરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે દેશની આત્મનિર્ભરતા અને આધુનિક ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવતા પ્રોજેક્ટ્સ અંગે વિસ્તૃત માહિતી મેળવી. ત્યારબાદ તેઓ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં જોડાયા, જ્યાં ડિજિટલ માધ્યમથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું તેમજ વિશાળ જનમેદનીને સંબોધિત કરી.
સુરતમાં જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના સંકલ્પને ફરી એકવાર લોકો સુધી પહોંચાડ્યો. તેમણે જણાવ્યું કે ગુજરાતની જનતાએ સતત સેવા અને વિકાસના મિશનને મજબૂત સમર્થન આપ્યું છે. હવે વધુ મહેનત કરીને વિકાસની ગતિને આગળ વધારવાની જરૂર છે. ગુજરાત અને ભારત બંનેને વિકસિત બનાવવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને જનસમર્થન આ મિશનનો આધાર છે.
સુરતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન Narendra Modiએ શહેરમાં ચાલેલી વિશાળ સફાઈ ઝુંબેશની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે એક સમય એવો હતો કે જ્યારે સુરત શહેર પ્લેગના રોગનો ભોગ બન્યું હતું. જ્યારે આજે સ્વચ્છતામાં તેનો ડંકો વાગે છે. શહેરમાં ચાલેલા સફાઈ અભિયાનમાં લગભગ એક લાખ લોકોએ પાંચ દિવસ સુધી ભાગ લીધો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા સતત વધી રહી છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દેશવાસીઓને સરકાર પર વિશ્વાસ છે અને ભારત સુરક્ષિત હાથોમાં છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ક્લાયમેન્ટ ચેન્જ જેવી પડકારજનક પરિસ્થિતિને સરકાર વિકાસના અવસરમાં બદલવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતે આ સદીની શરૂઆતમાં ક્લાયમેન્ટ ચેન્જમાં એક અલગ વિભાગ બનાવ્યો હતો. આવી વ્યવસ્થાવાળું તે દેશનું પ્રથમ રાજ્ય હતું. પાટણના ચારણકા ગામમાં ભારતનો પ્રથમ સોલાર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. ગુજરાતે દેશને પ્રેરણા આપી. આજે ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્ર સાથે વિકાસ કરી રહ્યું છે.
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાયેલી આ મુલાકાત વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.
આતંકવાદ, કાશ્મીર મુદ્દે UNમાં ભારતે પાકિસ્તાનને ફરી લગાવી ફટકાર
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મંચ પરથી ભારતે ફરી એક વાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી ટિપ્પણીઓ સામે ભારતે કડક વાંધો ઉઠાવતાં તેને ‘ખોટો નેરેટિવ’ ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના સત્ર દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરિશે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી કે તે ભારત વિરુદ્ધ ખોટા અને પક્ષપાતપૂર્ણ એજન્ડા ચલાવવાનું બંધ કરે. આ ચર્ચાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સુરક્ષા પરિષદની વાર્ષિક અહેવાલ પર ચર્ચા દરમિયાન પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ આસિમ ઇફ્તિખાર અહમદે ફરી જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ભારતે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ફટાકાર લગાવતાં તેના બિનઆધારભૂત દાવાઓની પોલ ખોલી હતી.
‘ઠાલાં નિવેદનોથી હકીકત બદલાશે નહીં
ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર સંબંધિત તમામ મુદ્દાઓ સંપૂર્ણપણે ભારતના આંતરિક વિષયો છે. તેમણે વૈશ્વિક મંચ પર કહ્યું હતું કે આ કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશાં રહેશે. તેના વિરુદ્ધ કરવામાં આવતા તમામ દાવાઓ નિરાધાર છે અને ઐતિહાસિક તથ્યોથી પર છે.
UNના મંચનો રાજકીય ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન
ભારતે આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી કે પાકિસ્તાન વૈશ્વિક શાંતિ માટે રચાયેલા આ પ્રતિષ્ઠિત મંચનો સતત દુરુપયોગ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાનાં સંકુચિત અને વિભાજનકારી રાજકીય હિતોને આગળ ધપાવવા માટે સંયુક્ત રાષ્ટ્રના આ ગૌરવપૂર્ણ મંચનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. નોંધનીય છે કે સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનનો બે વર્ષનો કાર્યકાળ આ વર્ષે પૂર્ણ થઈ રહ્યો છે.
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી મુદ્દે ભારતનો કડક વિરોધ
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આઈનો બતાવવાની સાથે ભારતે અન્ય એક મુદ્દે પણ ઇસ્લામાબાદને ઘેર્યું છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સાત જૂને યોજાનારી કહેવાતી વિધાનસભા ચૂંટણીની યોજનાને લઈને પાકિસ્તાન સરકાર સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો છે.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર વિસ્તાર ભારતનો ભાગ છે અને તેના પર પાકિસ્તાને ગેરકાયદે તથા બળજબરીપૂર્વક કબજો જમાવ્યો છે.