Home Blog Page 13

નોટ આઉટ @ 84 : મહેન્દ્રભાઈ ગાંધી

આંકડા ઓળખાતા થયા ત્યારથી જાણે બેલેન્સશીટ વાંચતા શીખ્યા અને આજે પણ જેઓ ફ્યુચર-ઓપ્શનના કામમાં વ્યસ્ત છે તેવા મહેન્દ્રભાઈ ગાંધીની વાત સંભાળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  જન્મ અમદાવાદના ગર્ભ-શ્રીમંત કુટુંબમાં. તેમને બે બહેન. પિતા ત્યારે પણ બી.એ., એલ.એલ.બી. ભણેલા, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સારી પદવી પર કામ કરતા. શાળાનો અભ્યાસ નવચેતન હાઇસ્કુલમાંથી. એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયર થયા. અભ્યાસ પછી તરત બે-ત્રણ મહિના કામ કરી પોતાની કન્સ્ટ્રક્શન કંપની શરૂ કરી. બહુ મહેનત અને સારી કમાણી કરી સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું. 10-15 વર્ષ કામ કરી પોરસેલીનની ફેક્ટરી કરી. નાનપણથી ઇન્વેસ્ટમેન્ટનો શોખ. પિતાજીના ગાઈડન્સથી છ વર્ષની બાળ-ઉંમરથી બેલેન્સશીટ વાંચતા શીખ્યા! તેઓ જાતજાતના ધંધામાં (શેર-બજાર, ફ્યુચર-ઓપ્શન, રીયલ-એસ્ટેટ, સોના-ચાંદી વગેરે) ઇન્વેસ્ટમેન્ટ ધરાવે છે. તેઓના મતે ઉંમર તો માત્ર આંકડો છે!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ક્યારેય નિવૃત્ત થયા નથી! હજી પણ સવારે 6:00 વાગે ઊઠી પરિમલ ગાર્ડન ચાલવા જાય. સાડા-સાત સુધીમાં પાછા આવીને 10:00 સુધી છાપુ વાંચે. પાંચ તાજાં ફળો અને ચાર ગરમ નાસ્તા સાથેનો શાહી બ્રેકફાસ્ટ કરે. 11:30 વાગે ઓફિસે જાય, અઢી-વાગ્યા સુધી શેરબજારમાં ફ્યુચર-ઓપ્શનના કામમાં બિઝી! પાછા આવી જમીને પાંચ વાગ્યા સુધી આરામ કરે. સાંજે મિત્રો સાથે ફાર્મ-હાઉસ પર કે બંગલે બ્રિજ રમે, બીજી મનગમતી પ્રવૃત્તિ કરે. સાડા- સાતે જમવાનું. આઠ વાગે બેડરૂમમાં જાય. સમાચાર જોતા-જોતા અને નવકારની માળા ફેરવતા-ફેરવતા સુઈ જાય.

શોખના વિષયો : 

ફરવાનું બહુ ગમે. દુનિયા આખી ફર્યા છે! બ્રિજ રમવું બહુ ગમે, વ્યસન થઈ જાય તેટલું ગમે! 2000ની સાલમાં બ્રિજ રમવાનું છોડ્યું. વાંચવાનો ઘણો શોખ. બાગકામ કરવું પણ ગમે. પોતાના ફાર્મ-હાઉસ પર ચંદન અને રુદ્રાક્ષનાં વૃક્ષો વાવ્યાં છે! ખાવાનો અને ખવડાવવાનો શોખ. જોકે  હવે ખવાતું નથી. દેશી ખાવાનું વધારે ભાવે. મુઠીયા, ભજીયા હોય તો બીજું કંઈ ખાય નહીં!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. માંદા પડ્યા નથી. કોઈની મદદ લેવી ગમતી નથી. કોઈની પાસે પાણીનો પ્યાલો પણ માગતા નથી. તેમના મતે: શરીરને સમય આપો તો એ એની જાતે જ સાજું થઈ જાય! કામમાં પડો એટલે સારા થઈ જાવ! માથું કેવું દુખે, એસીડીટી એટલે શું એની  તેમને ખબર નથી! રાતના આઠથી સવારના છ સુધી પૂરેપૂરી ઊંઘ થઈ જાય એટલે શરીર કોઈપણ જાતના રોગનો પ્રતિકાર કરવા તૈયાર હોય!

યાદગાર પ્રસંગ: 

આમ તો ઘણા દેશોમાં ફર્યા છે, પણ ચીનની યાત્રાના પ્રસંગો યાદ રહી ગયા છે! ચીનમાં ચોરીના નવાનવા પ્રકારો જોવા-જાણવા મળે! બેજિંગની સીટી-ટુરમાં એક મંદિર પાસે બસ ઊભી રહી. એક ફેરીઓ બસમાં ચઢી ગયો. હજાર રૂપિયાની વસ્તુ 700માં આપે. આખી બસનાં પ્રવાસીઓએ ખરીદી કરી. પ્રવાસીઓ પાછાં આવ્યાં તો બધાં પાસે 300 રૂપિયા માગે! બધાંએ વસ્તુઓ પાછી આપી દીધી! એણે 700 હિસાબે રૂપિયા પાછા તો આપ્યા પણ બધાંને ખોટી નોટો પધરાવી દીધી! આખી બસ છેતરાઈ ગઈ! નાઈટ-ક્લબમાં એક્ષ્ચેન્જ લેવા ગયા તો ખોટી જ કરન્સી પધરાવી દીધી! નોર્વેમાં કોઈ તેમની બેગ ઉપાડી ગયું! સીસીટીવીમાં દેખાય છતાં કંઈ ઉપાય કર્યો નહીં! બધા દેશોમાં ડ્રાઇવરો પાકિસ્તાનના હોય અને બહુ સારા હોય! લોકોએ તેમને ખરાબ ચિતર્યાં છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ફ્યુચર-ઓપ્શનનું કામ કરે છે એટલે ટેકનોલોજીથી માહિતગારતો હોય જ. તેમના આસિસ્ટન્ટ અને દીકરી ટેકનોલોજીમાં પૂરતી હેલ્પ કરે છે, એટલે જાત-મહેનત કરતા નથી! ટેકનોલોજી માટે એકદમ પોઝિટિવ છે. તેમને લાગે છે કે તેઓ જૂના જમાનાના વડીલ થઈ ગયા છે! જોકે રોજ સવારે 200 WhatsApp મેસેજ મોકલે છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજે યુવાનો માટે ઘણી તક છે પણ યુવાનોને ફાસ્ટ લોટરી જોઈએ છે! મહેનત વગર કંઈ થાય નહીં! યુવાનોનું ગ્રાસપીંગ ફાસ્ટ છે પણ તેઓ ફંડામેન્ટલ શીખતાં નથી!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

કામમાં વ્યસ્ત છે એટલે યુવાનોને મળવાનું તો થાય જ. વડીલોનું માન જાળવે અને તેમના અનુભવનો લાભ લે તેવાં સંસ્કારી યુવાનો ઓછાં થતાં જાય છે. માનવતાથી વધારે કંઈ નથી, દરેકને માન આપો.

સંદેશો :  

ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી અને ટ્રાન્સપરન્સી હોય તો સક્સેસ ચોક્કસ મળે! એજ્યુકેશન અને હાર્ડવર્ક કરી તમે જીવનનો રોટલો તો કમાઈ શકો પણ જો તમારે ફોર્ચ્યુન બનાવવું હોય તો આજુબાજુ નજર કરી ‘ટ્રિક્સ ઓફ ધ ટ્રેડ’ શોધતાં રહેવું જોઈએ.

ભોજન પહેલા એ ત્રણ વ્યક્તિઓનો આભાર માનવો જોઈએ

મારા બાળપણમાં, હું મારા પિતાને દરેક ભોજન પહેલા અને પછી એક મંત્ર જાપતા જોઈ શકતો હતો – અન્નદાતા સુખી ભવ દરરોજ. આ એકમાત્ર મંત્ર હતો જે તેઓ અમને તેમના સાથે જાપવા કહેતા.

પ્રાર્થના છે, ‘જે મને અન્ન આપે છે, તે સુખી થાય.’ જ્યારે તમે આ મંત્રનું જાપ કરો છો, ત્યારે તમે ત્રણ વ્યક્તિઓ માટે સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો છો જે તમારા ભોજન સુધી ખોરાક પહોંચાડે છે. પહેલી વ્યક્તિ છે ખેડૂત, જે ખાદ્ય અનાજની ખેતી કરે છે. બીજી વ્યક્તિ છે વેપારી, જે આ અનાજની ખરીદી કરી, તે આપણા ઘરોમાં પહોંચાડે છે. ત્રીજી વ્યક્તિ છે, જે આપણું ભોજન રસોઈ કરે છે.

જો કોઈ દેશમાં ખેડૂતોની આંખોમાં આંસુ હશે, તો તેમની દ્રારા ઉગાડેલા ખોરાકને ખાવાથી કોઈ પણ વ્યકિત સુખી, સ્વસ્થ અને સંતોષી રહી શકશે નહીં. આપણે આ દેશના કોઈપણ ખેડૂતને હતાશ કે નિરાશ ન થવા દઇએ. દરેક ખેડૂતની આંખોના આંસુ પછાડવા, તેમને તાકાત આપવા અને તેમને જણાવી દેવા કે તેઓ એકલા નથી, એની જવાબદારી આપણી છે. અને દરેક ભોજન સાથે, આપણે તેમની સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ થવા માટે પ્રાર્થના કરીએ છીએ.

પ્રાર્થનાના સાથે, આપણા આર્ટ ઓફ લિવિંગના ટ્રેનરો લાખો ખેડૂતોને કુદરતી ખેતીના તાલીમ આપીને સમૃદ્ધ બનાવી રહ્યા છે. જેથી તેમની પાક પોષકદ્રવ્યોયુક્ત, કુદરતી રીતે ઉગાડેલી અને ખેડૂતો તેમજ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે સારી છે. ખેડૂતોને શૂન્ય ઇનપુટ ખર્ચ થાય છે અને તેઓ વધુ ઉત્પાદનમાંથી સારા નફા મેળવતા રહ્યા છે.

બીજું, આપણે વેપારી અને દલાલની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ છીએ, જે ખાદ્ય અનાજને વેચી અમને પહોંચાડે છે. જ્યારે કોઈ દેશના વેપારી દુ:ખી થાય છે, ત્યારે તે આખી અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે. જ્યારે વેપારીઓ અનાજની સંગ્રહ કરી રહે છે અથવા ખેડૂતોનો શોષણ કરે છે, ત્યારે તે દેશની સમગ્ર સમૃદ્ધિને અસર કરશે. તેથી, આપણે તેમની હૃદયમાં સમૃદ્ધિ અને મનમાં પવિત્રતા માટે પ્રાર્થના કરીએ છીએ. જ્યારે લોકો અસંતુષ્ટ અને દુ:ખી હોય છે, ત્યારે જ તેઓ લોભમાં પેચાઈ, ખોટી કે અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે. એટલે, આપણા વેપારીઓ માટે સંતોષ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી અગત્યની છે.

ધર્મશાસ્ત્રો પ્રમાણે, એક વેપારી પોતાનાં નફામાંથી 20% પોતાને રાખી શકે છે, એથી વધારે નહીં. પરંતુ આજકાલ, સ્થિતિ જુદી છે અને આપણે ઘણા વેપારીઓને વધારે નફો રાખતા જોઇએ છીએ, જે યોગ્ય નથી. તેના બદલે, બજારમાં વધુ ઉત્પાદન વેચાય છે, ત્યારે વેપારીએ પણ ખાતરી કરવી જોઈએ કે ખેડૂતોને પણ નફામાં સમાન ભાગ મળે.

 

ત્રીજી વ્યક્તિ, જેના કલ્યાણ માટે આપણે આ મંત્રથી પ્રાર્થના કરીએ છીએ, તે છે, જે વ્યક્તિ અવિરત મહેનત કરીને આપણું ભોજન બનાવે છે. જે વ્યકિત ભોજન બનાવે છે અને આપણા માટે પીરસે છે, તેના આંખોમાં ક્યારેય આંસુ ન હોવા જોઈએ. જો તેમને આંસુ આવે, તો ઘરમાં દરેક વ્યકિત દુ:ખી થાય છે.

જો તમે વિચારશો, તો સાચો અન્નદાતા (ખોરાક આપનાર) કશી સિવાય પરમાત્મા નથી. અને ભગવાન તો હંમેશા સુખી અને સંતોષી રહે છે. ભગવાન ક્યારેય દુ:ખી થાય છે? ના! છતાં, સ્થૂળ પદાર્થ જગતના સ્તરે, આપણે પરમાત્માને, જે આ અન્નદાતા છે, તેમની સુખાકારી અને ત્રણે વ્યક્તિઓ માટે પ્રાર્થના કરીએ છીએ, જે આપણને જીવન યાપવા માટે ખોરાક પૂરું પાડે છે.

આપણે આ મંત્રને દરરોજ, ભોજન પહેલા અને પછી બંને વખતે જાપવો જોઈએ. ખોરાક લેતા પહેલા અને પછી તેમને આશીર્વાદ આપો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

ઈરાનનો ઈઝરાયલ પર સૌથી મોટો હુમલો

ઈરાને ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. ઈઝરાયલી દળોએ દાવો કર્યો છે કે ઈરાન તરફથી 400 બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે. નાગરિકોને આશ્રયસ્થાનોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. IDF ચેતવણી બાદ સમગ્ર ઇઝરાયેલમાં સાયરન વાગી રહ્યા છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ઇઝરાયેલના લોકોને બંકરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયેલના આયર્ન ડોમે ઈરાની મિસાઈલો સાથે સ્પર્ધા શરૂ કરી દીધી છે.

હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહના મૃત્યુ બાદથી એવું માનવામાં આવી રહ્યું હતું કે ઈઝરાયેલ પર મોટો હુમલો થઈ શકે છે. ઈરાને બેલેસ્ટિક મિસાઈલ છોડ્યા પહેલા જ ઈઝરાયલી દળોએ હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. IDF દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે હિઝબુલ્લાહ ઇઝરાયેલના નિર્દોષ નાગરિકોને મારવાની યોજના બનાવી રહ્યું છે.

આયર્ન ડોમ ઈરાનની મિસાઈલોથી અથડાઈ રહ્યો છે

ઈરાન તરફથી મિસાઈલ છોડવામાં આવતા જ ઈઝરાયેલે તેની સુરક્ષા કવચ આયર્ન ડોમને સક્રિય કરી દીધું છે. હાલમાં ઈઝરાયેલનો સંપૂર્ણ જોર ઈરાનની મિસાઈલોને રોકવા પર છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ ઈરાનની મિસાઈલને તોડી પાડવાની શરૂઆત ઈઝરાયેલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કરી છે. અમે તમામ પ્રકારના જોખમો અને હુમલાઓનો સામનો કરવા સક્ષમ છીએ.

ઈરાને કહ્યું- જો ઈઝરાયેલ જવાબ આપશે તો વધુ હિંસક હુમલા કરશે

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાને લઈને સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં ઈસ્માઈલ હનીયેહ, હસન નસરાલ્લાહ અને અબ્બાસ નિલફોરુશનને શહીદ ગણાવવામાં આવ્યા છે. તે કહે છે કે આ હત્યાઓના જવાબમાં અમે ઇઝરાયેલ પર ડઝનબંધ રોકેટ વડે હુમલો કર્યો છે. જો ઇઝરાયેલ આનો જવાબ આપશે, તો અમે વધુ વિનાશક હુમલા કરીશું.

ઈઝરાયેલ પર મિસાઈલ હુમલાની તૈયારી કરી રહ્યું છે ઈરાન

લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની હત્યા બાદ ઈરાન ભડકી રહ્યું છે. ઈરાન હવે ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાને આવા સંકેતો મળ્યા છે. એવું જાણવા મળ્યું છે કે ઈરાન ઈઝરાયેલ પર મિસાઈલ હુમલાની તૈયારી કરી રહ્યું છે. જો ઈઝરાયેલ પર હુમલો થશે તો ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

IDF એ ઈરાનના ઈઝરાયેલ પર સંભવિત હુમલાને લઈને નિવેદન આપ્યું છે. સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે આ સમયે ઈઝરાયેલ પાસે ઈરાન તરફથી કોઈ હવાઈ ખતરા અંગે કોઈ ઈનપુટ નથી. IDF હાઈ એલર્ટ પર છે. ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તરફથી એક મોટું નિવેદન આવ્યું છે.

ઇઝરાયેલી લોકો સલામતી સૂચનાઓનું પાલન કરે છે

વડાપ્રધાન નેતન્યાહૂએ ઈઝરાયેલના લોકોને હોમ ફ્રન્ટ કમાન્ડની સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા કહ્યું છે. તેનું કારણ એ છે કે વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ચેતવણી આપી છે કે ઈરાન બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરી શકે છે. ઈઝરાયેલ દુષ્ટ ઈરાનની ધરી સામે ઝુંબેશની વચ્ચે છે. ઇઝરાયેલ તેના નાગરિકોને ઉત્તરમાં તેમના ઘરે પાછા મોકલવા માટે કટિબદ્ધ છે. પરંતુ, આગળ મોટા પડકારો છે. આપણે બધાએ સાથે ઊભા રહેવાનું છે.

તેમણે કહ્યું, અમે સાથે મળીને લડીશું અને સાથે મળીને જીતીશું. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ ઈઝરાયેલ અને અમેરિકન મીડિયાને જણાવ્યું કે ઈરાન ટૂંક સમયમાં ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. અમે આ હુમલા સામે ઇઝરાયેલને બચાવવા માટેની તૈયારીઓને સક્રિયપણે સમર્થન આપી રહ્યા છીએ. ઈરાન દ્વારા ઈઝરાયેલ પર સીધો લશ્કરી હુમલો ઈરાન માટે ગંભીર પરિણામો લાવશે.

IDF તેની આક્રમક ક્ષમતાઓ સાથે તૈયાર

IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું છે કે અત્યાર સુધી ઈરાન તરફથી ઈઝરાયેલ પર કોઈ હવાઈ હુમલો થયો નથી. IDF તેની રક્ષણાત્મક અને આક્રમક ક્ષમતાઓ સાથે તૈયાર છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના આ તણાવ વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગનનું નિવેદન પણ આવ્યું છે. તેણે કહ્યું છે કે તુર્કી લેબનોનની સાથે ઉભા રહેશે. તેને દરેક રીતે સાથ આપશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના વધામણા કર્યા

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ આજ રોજ 100 ટકા ભરાય ચૂક્યો છે. ત્યારે ડેમ 100 ટકા ભરાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે. આ સિઝનમાં નર્મદા ડેમ પ્રથમવાર 100 ટકા ભરાયો છે. જ્યારે હવે ડેમના વધામણાં બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉપરવાસમાંથી પાણીની આવક 51,777 ક્યુસેક થઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા નદીમાં પાણીની જાવક 50,847 ક્યુસેક છે. અત્યાર સુધીમાં નર્મદા ડેમનો 1 દરવાજો 1 મીટર ખોલવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ તે આજે બપોરે 12 વાગ્યા આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે નર્મદા ડેમના વધામણા કર્યા હતા. જે બાદ નર્મદા ડેમના વધામણાં બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવ્યા છે.  કેવડિયાના બ્રાહ્મણો દ્વારા તમામ વિધિ સાથે મા નર્મદાના વધામણાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરવામાં આવ્યા છે. નર્મદા નદી બે કાંઠે થવાના કારણે ભરૂચ, નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદાના નવા નીરના વધામણાં કર્યા બાદ CMએ સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી આ સાથે જ અધિકારીઓ સાથે પણ મુલાકાત લઈને કામગીરી અંગે માહિતી મેળવી હતી.

વિધાનસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઊલટફેર?

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના નજીકના ભવિષ્યમાં ચૂંટણી થવાની છે, પણ અહીંના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યમાં ભાજપ અને શિવસેના UBT નેતાઓની વચ્ચે મુલાકાતની અટકળો છે. વંચિત બહુજન આઘાડીએ દાવો કર્યો છે કે ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડનવીસ ને ઉદ્ધવની વચ્ચે મીટિંગ થઈ છે.  

પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં ભાજપ ચીફ જે. પી. નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. શું ઠાકરેનો પાલા બદલાવાની યોજના છે? જોકે આ અંગે બંને પક્ષોએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.પાર્ટીના પ્રવક્તા સિદ્ધાર્થ મોકલે દ્વારા એક વિડિયો સંદેશ જારી કરવામાં આવ્યો છે. મોકલેનો દાવો છે કે રાઉત 25 જુલાઈએ નડ્ડાને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે  આ પછી 5 ઓગસ્ટે મહારાષ્ટ્રના નાયબ CM દેવેન્દ્ર ફડણવીસ માતોશ્રી બંગલે ગયા હતા. તેઓ એકલા જ ગયા હતા. બંને વચ્ચે બે કલાક સુધી મુલાકાત ચાલી હતી.

તેમણે કહ્યું હતું કે આ પછી છઠ્ઠી ઓગસ્ટે ઠાકરે દિલ્હી ગયા હતા. ઠાકરેએ સ્પષ્ટ કરવું જોઈએ કે તેમની દિલ્હી મુલાકાતમાં તેમની સાથે કોણ હતું અને તેઓ કોને મળ્યા હતા. અમે જે માહિતી મેળવી છે તે લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

ભાગલપુરમાં અચાનક બોમ્બ બ્લાસ્ટ, 7 બાળકો ઘાયલ

બિહારના ભાગલપુરમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ઘટનાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. હબીબપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શાહજાંગી પાસેના મેદાનમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ત્યાં રમતા સાત બાળકો ફટકા માર્યા હતા. ત્રણ બાળકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘાયલોને ભાગલપુરની સદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો પડઘો લગભગ 1 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે.

હબીબપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શાહજંગી મેદાનની બાજુની ગલીમાં બાળકો ઘરની સામે રમી રહ્યા હતા, તે દરમિયાન આ બોમ્બ બ્લાસ્ટ થયો. બાળકો હાથમાં દેશી બનાવટનો બોમ્બ લઈને રમી રહ્યા હતા જે અચાનક ફાટતા સાત બાળકો ઘાયલ થયા હતા જેમાંથી ત્રણ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી વિસ્ફોટના અવશેષો એકત્ર કર્યા હતા, જો કે ઘટનામાં ઘાયલ બાળકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે બોમ્બ ક્યાંથી આવ્યો તેની માહિતી તેમની પાસે નથી. પોલીસ ઘાયલ બાળકોની પૂછપરછ કરી રહી છે. ડોગ સ્કવોડની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે.

14 મંદિરોમાંથી સાંઈની મૂર્તિઓ હટાવવામાં આવી, જાણો કેમ ?

ઉત્તર પ્રદેશના વારાણસીના મંદિરોમાં સ્થાપિત સાંઈની મૂર્તિને લઈને ઝઘડો થયો છે. અત્યાર સુધી 14 મંદિરોમાંથી સાંઈની મૂર્તિ હટાવવામાં આવી છે. પ્રખ્યાત બડા ગણેશ મંદિરમાંથી પણ સાંઈની મૂર્તિ હટાવી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ કામ સનાતન રક્ષક સેનાના અજય શર્માના નેતૃત્વમાં થઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ હિન્દુ સંગઠનોના નિશાના પર વધુ 28 મંદિર છે. હિન્દુ સંગઠનોનો આરોપ છે કે સાઈ મુસ્લિમ છે. તેમનો સનાતન ધર્મ સાથે કોઈ સંબંધ નથી, તેથી જ પ્રતિમા હટાવવામાં આવી રહી છે. સંગઠનોનું કહેવું છે કે તેઓ સાંઈ પૂજાની વિરુદ્ધ નથી પરંતુ મંદિરોમાં મૂર્તિઓ સ્થાપિત કરવા દેશે નહીં.

 

કર્ણાટકમાં પતિ-પત્ની વચ્ચે ફસાયું MUDA લેન્ડ કૌભાંડ

બેંગલુરુઃ કર્ણાટકનાં CM સિદ્ધારમૈયાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી પર સવાલ ઊભા કર્યા છે. EDએ સિદ્ધારમૈયાની વિરુદ્ધ મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધ્યો છે. CM સિદ્ધારમૈયાએ કહ્યું છે કે મૈસુર અર્બન ડેવલમેન્ટ ઓથોરિટી મામલામાં PMLAની જોગવાઈ લાગુ નથી થતી. CM સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે હું રાજીનામું નહીં આપું.

રાજ્યમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કર્ણાટકના CM સિદ્ધારમૈયા સામે કેસ દાખલ કર્યો છે. ગયા સપ્તાહે જ કર્ણાટકના લોકાયુક્તે રાજ્યના CM અને અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ મામલો મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) પ્લોટ ફાળવણી સાથે સંબંધિત છે. કોર્ટના આદેશ બાદ CMસિદ્ધારમૈયા અને અન્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

બીજી બાજુ, CMનાં પત્ની પાર્વતીએ મૈસુર ડેવલપમેન્ટ અર્બન ડેવલપમેન્ટ આથોરિટી (MUDA)ને પત્ર લખીને તેમને ફાળવાયેલા 14 પ્લોટ સરેન્ડર કરવાની ઇચ્છા જણાવી છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે હું મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મને સોંપવામાં આવેલા 14 પ્લોટને પરત કરવા માગું છું. હું આ પ્લોટ્સનો કબજો પણ MUDAને પાછો આપું છું. આ મામલે MUDAને હવે ત્વરિત પગલાં લેવા વિનંતી કરું છું.

તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે મૈસુરમાં મારા પરિવાર સામે કરવામાં આવેલા આરોપોથી હું ખૂબ જ દુખી છું. મેં ક્યારેય કલ્પના કરી ન હતી કે મારા ભાઈ બાબુને કુટુંબના વારસામાં મળેલા પ્લોટથી આટલી હંગામો મચી જશે કે મારા પતિને આ મુદ્દાને કારણે ખોટા આરોપોનો સામનો કરવો પડી શકે છે. મારા માટે મારા પતિના માન, પ્રતિષ્ઠા અને માનસિક શાંતિ કરતાં કોઈ ઘર, પ્લોટ કે મિલકત વધુ મહત્ત્વની નથી. આટલાં વર્ષો સુધી સત્તામાં રહ્યા પછી મેં ક્યારેય મારા કે મારા પરિવાર માટે કોઈ અંગત લાભ માગ્યો નથી. તેથી, મેં આ વિવાદના કેન્દ્રમાં રહેલા 14 MUDA પ્લોટ પરત કરવાનો નિર્ણય લીધો છે.