દક્ષિણ ભારતીય સિનેમા અને ખાસ કરીને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પોતાની અદભુત કોમેડી ટાઈમિંગ અને ગંભીર અભિનયના જોરે કરોડો દર્શકોના દિલ જીતનાર પીઢ અભિનેતા સલીમ કુમારનું શનિવારે નિધન થયું છે. તેઓ માત્ર 56 વર્ષના હતા. સલીમ કુમારના અકાળ અવસાનથી સમગ્ર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, અભિનેતા છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. શનિવારે અચાનક તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક કોચ્ચિની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં આઈસીયુ (ICU) માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને વેટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હોવા છતાં ડોક્ટરો તેમનો જીવ બચાવી શક્યા ન હતા. પિતાના વારસાને આગળ ધપાવતા તેમનો પુત્ર ચંદુ સલીમ કુમાર પણ હાલ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સક્રિય અભિનેતા તરીકે કામ કરી રહ્યો છે.
ભારતીય હોકીના સુવર્ણ યુગ તરફ આગળ વધી રહેલા દેશના યુવા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યું છે. જાપાનમાં રમાયેલા અંડર-18 હોકી એશિયા કપ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં ભારતીય ટીમે યજમાન જાપાન સામે એકતરફી અને પ્રચંડ વિજય મેળવીને એશિયા કપના પ્રખ્યાત ખિતાબ પર કબજો મેળવી લીધો છે. જાપાનના કાકામીગાહારા (Kakamigahara) સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મહા-ફાઇનલમાં ભારતે જાપાનને હોકીના મેદાન પર સ્તબ્ધ કરી દીધું હતું અને આખી મેચમાં પોતાની પકડ મજબૂત રાખીને ફાઇનલ મેચ 4-1 થી જીતી લીધી હતી. આ મેગા જીત બાદ ભારતીય ખેમામાં ભારે ઉત્સાહનો માહોલ છે અને ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે.
આશિષ તાનીની સુપર હેટ્રિક અને ભારતનું આક્રમણ
જાપાન સામેની આ હાઈ-વોલ્ટેજ ફાઇનલ મેચમાં ભારતીય ટીમે શરૂઆતની પ્રથમ મિનિટથી જ યજમાન ટીમ પર માનસિક અને ટેકનિકલ દબાણ બનાવી રાખ્યું હતું. રમતની શરૂઆત થતાં જ ભારતીય ફોરવર્ડ લાઇન આક્રમક મૂડમાં જોવા મળી હતી. પહેલા ક્વાર્ટરની બીજી જ મિનિટે ભારતના સ્ટાર ખેલાડી આશિષ તાનીએ ફિલ્ડ ગોલ દાગીને ભારતને 1-0 ની પ્રારંભિક લીડ અપાવી દીધી હતી. આ પ્રારંભિક ગોલ બાદ આશિષ તાની અટક્યો ન હતો. તેણે જાપાનના ડિફેન્સને વેરવિખેર કરતા મેચની 28મી મિનિટે અને ત્યારબાદ 34મી મિનિટે વધુ બે શાનદાર ગોલ દાગ્યા હતા. આ સાથે જ આશિષે ફાઇનલ મેચમાં પોતાની અદભુત હેટ્રિક પૂરી કરીને જાપાનની ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. આશિષ ઉપરાંત ભારતીય ટીમના કેપ્ટન કેતન કુશવાહાએ પણ શાનદાર રમત બતાવી હતી. કેપ્ટન કેતને મેચની 30મી મિનિટે શાનદાર ગોલ કરીને સ્કોરબોર્ડ પર ભારતની સ્થિતિ અત્યંત મજબૂત કરી દીધી હતી. સામે પક્ષે જાપાનની ટીમ ભારતના અભેદ્ય ડિફેન્સ સામે માત્ર 1 જ ગોલ કરવામાં સફળ રહી હતી, જેના કારણે આખી મેચમાં ભારતનો દબદબો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
ચેમ્પિયન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પર પૈસાનો વરસાદ
ભારતીય જુનિયર ટીમે વિદેશી ધરતી પર ઇતિહાસ રચીને ગોલ્ડ મેડલ જીત્યા બાદ, દેશમાં હોકીની સર્વોચ્ચ સંસ્થા હોકી ઇન્ડિયા (Hockey India) એ વિજેતા ટીમના ખેલાડીઓ માટે તિજોરી ખોલી દીધી છે. હોકી ઇન્ડિયાએ સત્તાવાર જાહેરાત કરી છે. એશિયા કપ જીતનારી ભારતીય અંડર-18 હોકી ટીમના પ્રત્યેક ખેલાડીને 3-3 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. ટીમની આ ઐતિહાસિક સફરમાં પડદા પાછળ રહીને મહેનત કરનારા સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને પણ પ્રોત્સાહન સ્વરૂપે 1.5 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
પીએમ નરેન્દ્ર મોદીએ પાઠવ્યા હાર્દિક અભિનંદન
ભારતીય ટીમની આ શાનદાર અને ગૌરવપૂર્ણ જીત બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુવા ખેલાડીઓની પીઠ થાબડી હતી. પીએમ મોદીએ પોતાના અભિનંદન સંદેશામાં લખ્યું કે, “આપણા યુવા હોકી ખેલાડીઓની અસાધારણ અને શાનદાર ઉપલબ્ધિ! 2026 ના અંડર-18 એશિયા કપમાં વિજય મેળવવા બદલ ભારતીય અંડર-18 હોકી ટીમને મારા તરફથી હાર્દિક અભિનંદન. આખી ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમે અદ્ભુત કૌશલ્ય અને અદભુત ટીમ વર્કનું પ્રદર્શન કર્યું છે, જેનું પરિણામ ફાઇનલમાં મળેલી આ યાદગાર જીત તરીકે આપણી સામે આવ્યું છે. આ જીત એ વાતની સાબિતી છે કે દેશના યુવાનોમાં હોકીની લોકપ્રિયતા સતત વધી રહી છે. ભવિષ્યના તમામ પ્રયાસો અને મેચો માટે આખી ટીમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વડા પ્રધાન આર્થિક સલાહકાર પરિષદ (PM-EAC)ના સભ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન વૈશ્વિક અસ્થિરતા અને પડકારો વચ્ચે ભારતના આર્થિક વિકાસને વધુ ગતિ આપવા માટે વિવિધ વિચારો અને ઉપાયો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ‘ઇઝ ઓફ લિવિંગ’ અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને વધુ સુધારવા માટે જરૂરી સુધારાઓ અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સભ્યોએ પશ્ચિમ એશિયાના સંકટની ભારત તેમ જ વૈશ્વિક અર્થતંત્ર પર થતી અસરનું પણ મૂલ્યાંકન કર્યું હતું. આ બેઠક એવા સમયે યોજવામાં આવી છે જ્યારે વિશ્વનાં અર્થતંત્રો ભૂ-રાજકીય તણાવ, વેપાર ક્ષેત્રની અનિશ્ચિતતાઓ અને અસમાન વિકાસદર જેવા પડકારોનો સામનો કરી રહી છે.
આર્થિક મજબૂતી માટે નાગરિકોને અપીલ
ગયા મહિને પશ્ચિમ એશિયાના સંકટની પૃષ્ઠભૂમિમાં વડા પ્રધાન મોદીએ દેશની આર્થિક મજબૂતી જાળવવા અને આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે નાગરિકોને સાત મહત્વપૂર્ણ અપીલો કરી હતી. તેમણે પર્યાવરણમિત્ર વિકલ્પોને અપનાવવા પર ભાર મૂક્યો હતો.
વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા આપવાનો આગ્રહ
વડા પ્રધાને નાગરિકોને શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ અપનાવવા, ઇંધણનો વપરાશ ઘટાડવા, એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવા, સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ વધારવા, રસોઈના તેલનો ઓછો ઉપયોગ કરવા, કુદરતી ખેતી અપનાવવા અને સોનાની ખરીદીથી દૂર રહેવાની અપીલ કરી હતી.
ઇંધણના ભાવમાં થતા ઉતાર-ચઢાવનો સામનો કરવા માટે તેમણે પરિવહનના વિકલ્પોમાં ફેરફાર કરવાની પણ સલાહ આપી હતી. તેમણે લોકોને શક્ય હોય ત્યાં સુધી મેટ્રો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા, ખાનગી વાહન જરૂરી હોય ત્યારે કારપૂલિંગ અપનાવવા, માલ પરિવહન માટે રેલવેને પ્રાથમિકતા આપવા અને ઇલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
PM Modi (@narendramodi) posts, “Chaired a meeting of the Economic Advisory Council to the Prime Minister. Deliberated on a wide range of issues relating to India’s economic transformation and long-term development priorities. Also shared perspectives on adding more momentum to… pic.twitter.com/PkKiJqp4o8
આ દરમિયાન પાંચ જૂને જાહેર થયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર નાણાકીય વર્ષ 2025-26ની ચોથા ત્રિમાસિક (Q4)માં ભારતના અર્થતંત્રએ બજારની અપેક્ષાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ માટે આર્થિક વિકાસ દર 7.7 ટકા નોંધાયો છે.
નવી દિલ્હીઃ ઉનાળામાં પાકિસ્તાનનાં અનેક શહેરોની સ્થિતિ ખરાબ છે. દેશની આર્થિક રાજધાની કરાચી ગંભીર જળસંકટમાંથી પસાર થઈ રહી છે. આ સંકટ માટે પાકિસ્તાનની જળ વ્યવસ્થાપન પ્રણાલીને મોટા ભાગે જવાબદાર માનવામાં આવે છે, પરંતુ લોકોનું કહેવું છે કે આ સમસ્યાને વધુ ગંભીર બનાવવામાં સિંધુ જળ સંધિની સ્થિતિએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલ 2025એ પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે સિંધુ જળ સંધિને સ્થગિત કરી હતી અને પોતાના વિસ્તારમાંથી પાણી છોડવાનું બંધ કર્યું હતું. હવે તેની અસર પાકિસ્તાનમાં જળસંકટના રૂપમાં અનુભવાઈ રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કરાચીમાં પાણીની અછતને લઈને રાજકારણ પણ ગરમાયું છે. પાણીનું યોગ્ય અને પૂરતું સંચાલન ન કરવા બદલ વિરોધ પક્ષો વડા પ્રધાન શહબાઝ શરીફની સરકારને ઘેરી રહ્યા છે.
જળસંકટનો સામનો કરવામાં પીપીપી સરકાર નિષ્ફળ?
અહેવાલો અનુસાર જમાત-એ-ઇસ્લામીના (JI) પ્રમુખ હાફિઝ નઈમ ઉર રહમાને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) પર તીખો પ્રહાર કર્યો છે. તેમણે વધતા જળસંકટ અને તેના કથિત ગેરવહીવટ માટે પીપીપીને જવાબદાર ઠેરવી છે. તેમનું કહેવું છે કે પીપીપી વર્ષોથી કરાચીની સત્તામાં છે, છતાં આજ સુધી શહેરની પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકી નથી. હાલ જળસંકટ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ખાસ કરીને ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) દરમિયાન કરાચીમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બની હતી.
સરકાર પર મૂળભૂત સુવિધાઓ ન આપી શકવાનો આરોપ
હાફિઝ નઈમે જણાવ્યું હતું કે પાણી જેવી મૂળભૂત જરૂરિયાતોની અછત અને નાગરિક સુવિધાઓની કમી વચ્ચે લોકો પોતાની ધાર્મિક પરંપરાઓનું પાલન કરતા રહ્યા. તેમણે કહ્યું હતું કે ઈદની રજાઓ દરમિયાન લોકો પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરતા જોવા મળ્યા. JI પ્રમુખે આરોપ લગાવ્યો કે પીપીપીની આગેવાની હેઠળની સિંધ સરકાર લોકોને જરૂરી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે.
સિંધુ નદી પર ટેલિમેટ્રી સિસ્ટમ અને નાણાકીય સંકટ
પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયે ચાલુ અને પ્રસ્તાવિત વિકાસ યોજનાઓ માટે અંદાજે 969 અબજ પાકિસ્તાની રૂપિયાની જરૂરિયાત દર્શાવી છે. આગામી વિકાસ બજેટમાં 41 ચાલુ પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે, જેમાં એક નવી યોજના પણ ઉમેરવામાં આવી છે. જોકે સરકારે માત્ર 179 અબજ રૂપિયા ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેને કારણે સમગ્ર યોજના અમલમાં મૂકવામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
અમદાવાદઃ આસારામના આશ્રમ નજીક બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. 45,000 ચોરસ મીટરથી વધુ જમીન ખાલી કરાવવામાં આવી રહી છે. આ જમીનની કિંમત 500 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આસારામના મોટેરા આશ્રમ ટ્રસ્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ તે નામંજૂર થયા બાદ અમદાવાદ વિકાસ પ્રાધિકરણ (AUDA) દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન આશ્રમમાં રહેતા લોકોએ વિરોધ પણ કર્યો હતો. ઘણા લોકોને આશ્રમ છોડવો પડ્યો હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ પોલીસ પરિસ્થિતિને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે.
આજે 37 મકાનો તોડવામાં આવશે
ઝોન-2ના ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે આજે ચાંદખેડા વિસ્તારમાં મોટેરા ગામ હેઠળ આવતાં 37 મકાનો તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેના માટે ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે અને દરેક ટીમ સાથે પોલીસ દળ જોડવામાં આવ્યું છે.
દરેક ટીમમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર (PI), બે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને 25 પોલીસ જવાનો સામેલ છે. એ ઉપરાંત રિઝર્વમાં પણ એક PI, બે PSI અને 25 અધિકારીઓ તહેનાત રાખવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહીનું સંચાલન એસપી ડિવિઝન દ્વારા કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકાએ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે, જરૂરી મંજૂરીઓ મેળવી છે અને રહેવાસીઓ સાથે બેઠક પણ યોજી હતી.
VIDEO | Ahmedabad, Gujarat: Demolition action near Asaram Bapu Ashram is underway with municipal authorities carrying out proceedings on 37 structures under tight security arrangements. Around 125 police personnel and multiple police teams have been deployed to maintain law and… pic.twitter.com/QuZEoXJIY5
ગુજરાત હાઈકોર્ટની બે ન્યાયાધીશોની ખંડપીઠે 16 એપ્રિલ, 2026એ આસારામ આશ્રમની અપીલ ફગાવી દીધી હતી. આ નિર્ણય બાદ અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી 45,000 ચોરસ મીટરથી વધુ જમીન રાજ્ય સરકારને પરત મેળવવાનો માર્ગ મોકળો થયો હતો. આશ્રમે અમદાવાદ જિલ્લા કલેક્ટરના જમીન પરત લેવાના આદેશ સામે કાનૂની લડત શરૂ કરી હતી. આ જમીન અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી છે. એવી માન્યતા છે કે આ જમીન 2030ના કોમનવેલ્થ ગેમ્સ અથવા ભવિષ્યના ઓલિમ્પિક આયોજન માટે ઉપયોગી બની શકે છે.
ગાંધીનગર: ગુજરાતના પોલીસ બેડામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરીને અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર (Commissioner of Police) જ્ઞાનેન્દ્ર સિંહ મલિક (G. S. Malik)ને ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા (DGP – Director General and Inspector General of Police) તરીકે નિયુક્ત કર્યા છે. શનિવાર, 6 જૂન 2026ના રોજ ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં ઇનચાર્જ રાજ્ય પોલીસ વડા તરીકે સેવા આપતા કે.એલ.એન. રાવ ટૂંક સમયમાં નિવૃત્ત થઈ રહ્યા હોવાથી, આ મહત્વપૂર્ણ બદલી અને બઢતી સાથે હવે ગુજરાતને કાયમી અને પૂર્ણકાલીન DGP મળ્યા છે.1993ની બેચના સિનિયર IPS અધિકારી જી. એસ. મલિક પોતાના 32 વર્ષના લાંબા કાર્યકાળમાં અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. અમદાવાદના પોલીસ કમિશનર તરીકેની કામગીરી બાદ, હવે તેઓ આખા રાજ્યના પોલીસ તંત્રની કમાન સંભાળશે. જી. એસ. મલિકની આ બઢતીને પગલે હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે.તાત્કાલિક અસરથી સોંપાઈ કમાન
ગૃહ વિભાગના નોટિફિકેશન મુજબ, આ ખાલી પડેલી કેડર પોસ્ટ પર તાત્કાલિક અસરથી G. S. Malikની નિમણૂક કરવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલના આદેશથી આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને પહેલા એલ. એન. રાવ જવાબદારી સંભાળી રહ્યા હતા. જી. એસ. મલિક બીએસએફમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. હવે તે ગુજરાતના કાયમી ડીજીપી બની ગયા છે.
નવી દિલ્હીઃ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શ્રેયસ અય્યરને ભારતની નવી T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એ સાથે જ ભારતીય ક્રિકેટના નવા ઉદયતા સ્ટાર વૈભવ સૂર્યવંશીને ત્રણેય ટીમોમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ અને કુલદીપ યાદવને ત્રણેય ટીમોમાં સ્થાન નથી મળ્યું. જ્યારે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર પ્રિન્સ યાદવને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
કેપ્ટન તરીકે શાનદાર રેકોર્ડ
શ્રેયસ અય્યરે પોતાની કેપ્ટનશિપ હેઠળ વર્ષ 2025માં પંજાબ કિંગ્સને આઈપીએલની ફાઇનલ સુધી પહોંચાડી હતી. તે પહેલાં 2024માં તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું હતું. એ ઉપરાંત મુંબઈને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ જિતાડી હતી.
ઇજાઓને કારણે તે ટીમ ઈન્ડિયામાં વારંવાર અંદર-બહાર થતો રહ્યો હતો. જોકે હાલમાં તે ભારતીય વન-ડે ટીમનો ઉપ-કેપ્ટન છે અને હવે તેમને T20 ટીમની કમાન સોંપવામાં આવી છે.
વર્ષ 2006માં ભારતને તેનો પ્રથમ ટી20 કેપ્ટન મળ્યો હતો. ત્યારથી અત્યાર સુધી 14 ખેલાડીઓ ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશિપ કરી ચૂક્યા છે. જેમાં એમએસ ધોની, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ એવા કેપ્ટન રહ્યા છે જેમણે T20 વર્લ્ડ કપ જીત્યો છે. હવે શ્રેયસ અય્યર ભારતનો 15મો T20 કેપ્ટન બન્યો છે.
ભારતીય ક્રિકેટમાં નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે, જેમાં શ્રેયસ અય્યરને T20 ટીમની કમાન સોંપવામાં આવી છે અને યુવા પ્રતિભા વૈભવ સૂર્યવંશીને ત્રણે ટીમમાં તક આપવામાં આવી રહી છે.
ફરાહ ખાને અનિલ કપૂર વિશે એક મોટો ખુલાસો કર્યો છે. જાણો અનિલ કપૂરને હવે ફિલ્મ સેટ કેમ ગમતા નથી? અને ડેવિડ ધવને સલમાન, સંજય દત્ત અને અનિલ કપૂર વિશે શું કહ્યું…
ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાને તાજેતરમાં વરુણ ધવન, ડેવિડ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુરને તેમના રસોઈ વ્લોગ માટે તેમના ઘરે આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ફરાહ અને ડેવિડે ફિલ્મ નિર્માણના જૂના દિવસોની યાદ અપાવી અને ચર્ચા કરી કે સમય જતાં ફિલ્મ સેટ પર કામ કેવી રીતે બદલાયું છે. ફરાહે એ પણ ખુલાસો કર્યો કે અભિનેતા અનિલ કપૂરે તાજેતરમાં જ તેમને કહ્યું હતું કે તેમને હવે સેટ પર કામ કરવામાં પહેલા જેટલો આનંદ નથી આવતો.
અનિલ કપૂરને હવે સેટ પર રહેવાનું ગમતું નથી
વાતચીત દરમિયાન ફરાહ ખાને ડેવિડ ધવન સાથે એવા કલાકારો સાથે કામ કરવા વિશે વાત કરી જે ઘણીવાર ઘણા કલાકો મોડા પહોંચે છે. જોકે, ડેવિડે કહ્યું કે તેમની સાથે કામ કરવું હજુ પણ મજાનું હતું.
ત્યારબાદ ફરાહ ખાને ફિલ્મ સેટ પરના વર્તમાન વાતાવરણ વિશે અનિલ કપૂરની વાત શેર કરતા કહ્યું,”અનિલે મને કહ્યું,ફરાહ, આજકાલ જ્યારે હું સેટ પર જાઉં છું, ત્યારે હવે એટલી મજા નથી આવતી. એ બધી મજા જતી રહી છે.”
ડેવિડ ધવને પોતાનો અનુભવ શેર કર્યો.
ડેવિડ ધવને કહ્યું,”મેં આ લોકો સાથે કામ કર્યું છે; તેઓ અદ્ભુત છે. સલમાન, ગોવિંદા, સંજય દત્ત અને અનિલ કપૂર કદાચ મોડા આવ્યા હશે, પણ જ્યારે તેઓ શોટ આપે વ્યક્તિ ખુશ થઈને ઘર જાય. ક્યાંય પણ તેમની કામ કરી શકતો હતો. લોકેશનની સમસ્યા છે, કોઈ વાંધો નહીં અહીં કરી લઈએ, એવું એમનું વલણ હતું. ”
ડેવિડ ધવન “હૈ જવાની તો ઇશ્ક હોના હૈ” પછી નિવૃત્તિ લેશે
તાજેતરમાં રિલીઝ થયેલી ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ “હૈ જવાની તો ઇશ્ક હોના હૈ” હાલમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ડેવિડ ધવનના પુત્ર વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં છે. મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે પણ મુખ્ય ભૂમિકામાં છે.જીમી શેરગિલ, મૌની રોય, મનીષ પોલ, ચંકી પાંડે અને રાકેશ બેદી પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળે છે. આ ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. તેને દિગ્દર્શક તરીકે ડેવિડ ધવનની છેલ્લી ફિલ્મ તરીકે પણ ઓળખવામાં આવી રહી છે.
અમદાવાદ: દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રમાં ગોવા અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વરસાદનું જોર થોડું ઘટશે. પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જેવાં જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે. જોકે, આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે, વીજળીના કડાકા-ભડાકા અને મધ્યમ વરસાદની શક્યતા છે.
છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. શહેરમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટું પડવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વાતાવરણ સંપૂર્ણ સૂકું થઈ જશે. જોકે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં આગામી 6 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ ચાલુ રહેશે.
નવી દિલ્હીઃ ડિજિટલ સંગઠન કોકરોચ જનતા પાર્ટી (CJP) શનિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણાં-પ્રદર્શન કરી રહી છે. પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેના નેતૃત્વમાં યોજાયેલા આ પ્રદર્શનમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે. વિવિધ પરીક્ષા પેપર લીકની ઘટનાઓને કારણે યુવાનોમાં ફેલાયેલા અસંતોષને ધ્યાનમાં રાખીને આ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે અભિજિત દીપકે બોસ્ટનથી ભારત આવ્યા છે અને તેઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે. દિલ્હી પોલીસે પ્રદર્શન માટે મંજૂરી આપી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ એરપોર્ટ પર પહોંચેલા દિલ્હી પોલીસના અધિકારીઓએ ત્યાં જ અભિજિત સાથે મુલાકાત કરીને તેમને પ્રદર્શનની પરવાનગી આપી હતી. ત્યાર બાદ તેઓ સીધા જંતર-મંતર પહોંચ્યા, જ્યાં પહેલેથી જ CJPના સમર્થકો એકત્ર થવા લાગ્યા હતા. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Prime minister should resign!
— Cockroach Janta Party (@CJP_for_India) June 5, 2026
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે બધા કોકરોચ સીધા જંતર-મંતર પહોંચે, સંસદ માર્ગ પોલીસ સ્ટેશન નહીં. અમે સવારે 10 વાગ્યાથી શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કરીશું. તેમણે સમર્થકોને સમયસર પહોંચીને આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી. હાલ CJPના સમર્થકો જંતર-મંતર પર પ્રદર્શન કરી રહ્યા છે. પાર્ટી દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ ઉઠાવવામાં આવી રહી છે.
धर्मेंद्र प्रधान इस्तीफ़ा दो!
शिक्षा मंत्री को हमने चुन कर भेजा है, हमारे टैक्स से उनको तनख्वाह मिलती है!
उनके शासन काल में करोड़ों युवाओं का भविष्य अंधकार में है।
— Cockroach is Back (@Cockroachisback) June 6, 2026
વડા પ્રધાને રાજીનામું આપવું જોઈએઃ CJP
કોકરોચ જનતા પાર્ટીએ X પર એક પોસ્ટ શેર કરીને વડા પ્રધાનના રાજીનામાની માગ કરી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે વડા પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ. પ્રદર્શનકારીઓએ નારા લગાવતા કહ્યું હતું કે કોકરોચ આવી રહ્યા છે, ધર્મેન્દ્ર પ્રધાન જઈ રહ્યા છે.જંતર-મંતર પર એકત્ર થયેલા સમર્થકો પરીક્ષા અનિયમિતતાઓ સામે કાર્યવાહી અને શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારીની માગ કરી રહ્યા છે.