Home Blog Page 1394

મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીને લઈને અખિલેશ યાદવનું મોટું નિવેદન

મુંબઈ: મહારાષ્ટ્રના ધુલેમાં સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે સીટ વહેંચણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. અખિલેશે કહ્યું કે તેમની પાર્ટીએ મહા વિકાસ અઘાડી પાસે 12 સીટો માંગી છે. અમારી પાસે પહેલાથી જ બે ધારાસભ્યો છે. જો આપણે એ લોકો છીએ તો ઓછી સીટોથી સંતુષ્ટ છીએ. તેમણે કહ્યું કે તેમની પાર્ટી જોરદાર રીતે ચૂંટણી લડી રહી છે.

મહારાષ્ટ્રમાં સપાના કેટલાક ઉમેદવારોની જાહેરાતના સવાલ પર અખિલેશ યાદવે કહ્યું કે આ જાહેરાત એટલા માટે કરવામાં આવી છે જેથી અમારી પાર્ટીની તાકાત તો જોવા મળે. આ વખતે કોઈપણ પ્રકારનો વિલંબ ઈચ્છતા નથી. જ્યાં પાર્ટી મજબૂત છે ત્યાં અમે ઉમેદવારો આપ્યા છે.

હરિયાણાની ભૂલનું પુનરાવર્તન ન થવું જોઈએ

સપા વડાએ કહ્યું કે આપણે હરિયાણાની ભૂલનું પુનરાવર્તન ન કરવું જોઈએ. ભાજપ ખૂબ જ સ્માર્ટ પાર્ટી છે. તેઓ ત્યાં હારી ગયેલી ચૂંટણી જીતી ગયા હતા. જો મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર નહીં બનાવે તો દિલ્હીની સરકાર જશે. દિલ્હીમાં ભાજપ ગઠબંધન સાથે સરકાર ચલાવી રહી છે. ખબર નહીં એ બે સાથી ક્યારે તેને છોડી દે.

સપાએ આ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા

તમને જણાવી દઈએ કે મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન સાથે સીટ વહેંચણી પર ચર્ચા વચ્ચે સમાજવાદી પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેના પાંચ ઉમેદવારોની જાહેરાત કરી છે. આમાં રાજ્યના વડા અબુ આઝમી પણ સામેલ છે. સપાએ શિવાજી નગરથી અબુ આઝમીને ટિકિટ આપી છે. જ્યારે રઈસ શેખને ભિવંડી પૂર્વથી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે રિયાઝ આઝમીને ભીવંડી પશ્ચિમથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સપાએ માલેગાંવથી સાઈ-એ-હિંદને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે. સમાજવાદી પાર્ટીએ શનિવારે ઇર્શાદ જાગીરદારને ધુલે શહેરથી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે.

મહા વિકાસ અઘાડીમાં 258 બેઠકો પર સર્વસંમતિ બની છે

એવા અહેવાલો છે કે મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં 258 બેઠકો પર સર્વસંમતિ સધાઈ છે. લગભગ 30 બેઠકો પર ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીટ વહેંચણીમાં કોંગ્રેસના નેતા નાના પટોલેના જિદ્દી વલણથી ઠાકરે સેના ખૂબ જ નારાજ છે. ઠાકરે સેના ઈચ્છે છે કે નાના પટોલે બેઠક વહેંચણીની વાતચીતમાં હાજર ન રહે. આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પણ જાણ કરવામાં આવી છે.

પાંચ મહિનામાં આઠમા પગાર પંચની જાહેરાતની શક્યતા

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોટી ભેટ આપે એવી શક્યતા છે. આગામી પાંચ મહિનામાં કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની જાહેરાત થવાની શક્યતા છે. આ સિવાય સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે.

આ સિવાય પેન્શનર્સને લઘુતમ બેઝિક પેન્શનમાં વધારો થવાની ધારણા છે. લગભગ એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને આનો ફાયદો થશે. સરકાર લીલી ઝંડી આપતાં જ લઘુતમ બેઝિક સેલરી રૂ. 18,000થી વધીને રૂ. 34,500 થશે. આ સાથે લઘુતમ પેન્શન પણ વધીને રૂ. 17,200 થવાની શક્યતા છે.

સરકાર પાસે એવી અપેક્ષા છે કે આગામી બજેટમાં 2025માં આઠમા પગાર પંચની ઘોષણા કરશે. જોકે સરકાર એનો અમલ ક્યારે કરે છે, એ ખાસ જોવું રહ્યું, એમ એક યુનિયન નેતાએ કહ્યું હતું.

કેન્દ્ર સરકાર તરફથી 10 વર્ષ બાદ નવું પગાર પંચ બનાવવામાં આવે છે. પગાર પંચની સલાહના આધારે જ સરકારી કર્મચારીઓના પગાર સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવે છે. હાલનું પગાર પંચ 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરાયું હતું. એ હિસાબે આગામી પગાર પંચ બરાબર 10 વર્ષ બાદ 1 જાન્યુઆરી 2026થી લાગૂ થાય તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. જો સરકાર જાન્યુઆરી 2026થી તેને લાગૂ કરે તો તેના માટે પગાર પંચની રચના કરવી જરૂરી રહેશે.

સરકારી કર્મચારી યુનિયને પગાર વધારા માટે ખાસ મહત્વ ધરાવતા ફિટમેન્ટ ફેક્ટરને વધારીને 3.68નો યુઝ કરવાની માગ કરી હતી. પરંતુ સરકારે તેને 2.57 કરવાનો નિર્ણય લીધો હતો.

 

રાહુલ ગાંધી વિશે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ

નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ ઓડિયા અભિનેતા બુદ્ધાદિત્ય મોહંતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. એનએસયુઆઈના રાજ્ય એકમના પ્રમુખ ઉદિત પ્રધાને શુક્રવારે ‘કેપિટલ’ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં વિવાદાસ્પદ પોસ્ટ શેર કરવા બદલ મોહંતી સામે પગલાં લેવાની માંગ કરી હતી. આ પોસ્ટ હવે દૂર કરવામાં આવી છે.

પ્રધાને કહ્યું, “સોશિયલ મીડિયા પોસ્ટમાં મોહંતીએ કહ્યું છે કે NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું આગામી નિશાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હોવું જોઈએ. અમે અમારા નેતા વિરુદ્ધ આવી ટિપ્પણી સહન કરી શકતા નથી.” તેણે ફરિયાદ સાથે પોલીસને સોશિયલ મીડિયા પોસ્ટનો સ્ક્રીનશોટ પણ સબમિટ કર્યો હતો. પોલીસે કહ્યું કે તેમને ફરિયાદ મળી છે અને તેઓ તેની તપાસ કરી રહ્યા છે.

પોતાની વિવાદાસ્પદ પોસ્ટ માટે માફી માગતા મોહંતીએ શુક્રવારે ફેસબુક પર લખ્યું, “રાહુલ ગાંધીજી વિશેની મારી અગાઉની પોસ્ટનો હેતુ તેમને કોઈ પણ રીતે નિશાન બનાવવા, નુકસાન પહોંચાડવાનો કે અપમાન કરવાનો ન હતો… અને ન તો તેમની વિરુદ્ધ કંઈક લખવું હતું.” અજાણતામાં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે… એ મારો ઈરાદો નહોતો… હું દિલથી માફી માંગુ છું.

કોંગ્રેસમાંથી NCPમાં સામેલ થયેલા સિદ્દીકીની 12 ઓક્ટોબરે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે ખુલાસો કર્યો છે કે આ કેસમાં તાજેતરમાં પકડાયેલા પાંચ આરોપીઓએ હત્યા માટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ ચુકવણી અંગે મતભેદ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતાના પ્રભાવને કારણે આને ધ્યાનમાં રાખીને, તેણે પાછળથી હત્યા કરવાનો ઇનકાર કર્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ કહ્યું કે તેઓએ (હાલમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ) પૂર્વ ધારાસભ્ય સિદ્દીકીની હત્યામાં સામેલ લોકોને જરૂરી સામગ્રી અને અન્ય પ્રકારની મદદ પૂરી પાડી હતી.

સલમાન ખાને દુબઈથી મગાવી બુલેટપ્રૂફ કાર, જાણો કેટલી છે કિંમત!

મુંબઈ: બાબા સિદ્દીકીની હત્યા બાદ પોલીસ અને વહીવટીતંત્ર સલમાન ખાનની સુરક્ષાને લઈને વધુ સતર્ક બન્યું છે. કેમ કે સલમાન અને તેના પરિવારને છેલ્લાં એક વર્ષથી સતત પ્રત્યક્ષ અને પરોક્ષ ધમકીઓ મળી રહી છે. સલમાન ગેંગસ્ટર લોરેન્સ ગેંગના નિશાના પર છે. પરંતુ રાજકારણી અને સલમાન ખાનના નજીકના બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનને ફરી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ પછી તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને હવે સમાચાર મળી રહ્યા છે કે સલમાન પોતાની રીતે પણ પોતાની સુરક્ષામાં વધારો કરી રહ્યો છે.રિપોર્ટ અનુસાર, સલમાન ખાને બુલેટપ્રૂફ નિસાન પેટ્રોલ SUV ખરીદી છે. આ કાર ભારતીય બજારમાં ઉપલબ્ધ નથી, તેથી સલમાન તેને દુબઈથી આયાત કરાવી રહ્યો છે. કારની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે. આ સિવાય ભારતમાં કારની વહેલી ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે વધુ પૈસા ખર્ચવામાં આવશે.સલમાન ખાનની નવી નિસાન પેટ્રોલ SUVના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો એમાં હાઇ સિક્યોરિટી ટૂલ્સ, એક્સપ્લોસિવ એલર્ટ ઇન્ડિકેટર, પોઈન્ટ-બ્લેંક બુલેટ શોટ રોકવા માટે જાડા ગ્લાસ શીલ્ડ અને ડ્રાઈવર અથવા મુસાફરની ઓળખ અટકાવવા માટે બ્લેક શેડ કેમફ્લેશ છે. એના દ્વારા કારમાં બેઠેલા ડ્રાઈવર કે મુસાફરને બહારથી કોઈ ઓળખી શકશે નહીં.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દિવાળી માટે અગ્નિ સલામતી ગાઈડ લાઈન જાહેર

વડોદરા: દિવાળી નવા વર્ષના તહેવારો નિમિત્તે ફટાકડાના કારણે આગ લાગવાના બનાવો બનતા હોય છે. આ અંગે મહાનગરપાલિકા તંત્ર દ્વારા સલામતી માટે તકેદારી રાખવાની ગાઈડ લાઈન જાહેર કરાઇ છે. વડોદરા કોર્પોરેશનના તંત્રએ અપીલ કરી છે કે, જાહેરમાં ફટાકડા ફોડતી વખતે પ્રતિબંધિત વિસ્તારમાં નહીં ફોડવા જણાવ્યું છે. ઉપરાંત મકાનની છત કે છાપરા ઉપર પ્લાસ્ટિક લાકડું ગાદલા પેપર ઘાસ તથા બિનજરૂરી સામાન ખુલ્લો નહીં રાખવા સહિત બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે વડીલોએ અવશ્ય તેમની પાસે હાજર રહેવું.

દિવાળીના તહેવાર નીમિત્તે વડોદરા કોર્પોરેશન દ્વારા વધુમાં સલામત જગ્યાએ ફટાકડા મુકવા અને સાવચેતી રાખીને ફોડવા તથા કોઈપણ સંજોગોમાં ઘરમાં ફોડવાની અપિલ કરી છે. ઉપરાંત હવાઈ ગુબારા જેવા હવામાં ઊંચે જઈને ફૂટતા ફટાકડા પોલકે સાંકડી શેરીમાં નહીં ફોડતા ખુલ્લા મેદાનમાં જઈને ફોડવા અને સાવચેતી દાખવવા સહિત ફટાકડા ફોડવાની જગ્યાએ પાણી ભરેલું ડ્રમ, વાસણ રાખવા કોઈ કારણે આગ લાગે તો તત્કાળ રક્ષણ મળી શકે. આ ઉપરાંત લાઇસન્સ ધારક ફટાકડાની દુકાનમાંથી જ ખરીદીનો આગ્રહ રાખવો. નહીં ફોટા ફૂટેલા ફટાકડાની નજીક જવાની ક્યારેય ભૂલ કરવી નહીં. ખુલ્લા પ્લોટોમાં ઘાસ બળતણ ગોડાઉન સ્ક્રેપ સહિત માલ સામાન હોય તો અગાઉથી સફાઈ કરી દેવા પણ જરૂરી છે. દિવાળી નવા વર્ષના તહેવારોમાં આવી જગ્યાએ માલિકોએ પાણીનો સંગ્રહ રાખવો જરૂરી છે. રાત્રિના સમયે આવી જગ્યાએ વોચમેનને પણ ડ્યુટી આપવી જરૂરી છે. ફટાકડા ફોડતી વખતે નજીકમાં અન્ય ફટાકડાનો સંગ્રહ રાખવો નહીં. નાયલોનની સાડી, સિન્થેટિક કપડાં પહેરવા નહીં અને સુતરાઉ કપડા પહેરીને જ ફટાકડા ફોડવા હિતાવહ છે. આવી જ રીતે ફાયર બ્રિગેડના ઈમરજન્સી વાહનોની અવરજવર માટે જગ્યા રસ્તા ખુલ્લા રાખવા જરૂરી છે. આ અકસ્માત સમયે અગ્નિ શમન અને તાત્કાલિક સેવાઓના વિભાગને તાત્કાલિક જાણ કરવી જરૂરી છે.

રાજ્ય સરકાર લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે

રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪- ૨૫ માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવામાં આવશે.

વધુમાં બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ.ક્વિન્ટલ રૂ.૩૦૦/- નું બોનસ આપવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવાની રહેશે. જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તા.૩૧ ઓકટોબર ૨૦૨૪ સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ કરવામાં આવશે. આ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ એટલે કે તા. ૬ નવેમ્બર ૨૦૨૪ થી તા.૧૫ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવશે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે નોંધ ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના જે ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત છે, જે માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખેડૂતમિત્રોને નિગમ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ દસ્તાવેજ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા ખેડૂતોને જણાવવામાં આવે છે.

દસ્તાવેજ/ડોક્યુમેન્ટ્સની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહિ. નોંધણી બાબતે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે, તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

ટીમ ઇન્ડિયા 462 રનમાં ઓલઆઉટ, NZને 107 રનનો લક્ષ્યાંક

બેંગલુરુઃ ભારત અને ન્યુ ઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ રસપ્રદ તબક્કામાં પહોંચી છે. ભારત બીજા દાવમાં 99.3 ઓવરમાં 462 રનમાં ઓલઆઉટ થયું હતું. ન્યુ ઝીલેન્ડને જીતવા માટે 107 રનનો પડકાર મળ્યો છે. ચોથા દિવસે સરફરાઝ ખાન અને ઋષભ પંતે લડાયક બેટિંગ કરી હતી. સરફરાઝ ખાને 195 બોલમાં 18 ચોક્કા ને ત્રણ સિક્સરની મદદથી 150 રન બનાવ્યા હતા. જ્યારે પંતે 105 બોલમાં નવ ચોક્કા અને પાંચ સિક્સર સાથે 99 રન બનાવ્યા હતા. ત્યાર બાદ અન્ય બેટરો ખાસ કંઈ ક્રીઝ પર ટકી નહોતા શક્યા.

આ પહેલાં ન્યુ ઝીલેન્ડ ક્રિકેટ ટીમ પ્રથમ દાવમાં 402 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેણે ભારત સામે 356 રનની લીડ લીધી છે. ન્યુ ઝીલેન્ડ માટે રચિન રવિન્દ્રએ 157 બોલનો સામનો કરીને 134 રન બનાવ્યા હતા. તેણે 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટીમે 91.3 ઓવરમાં ઓલઆઉટ થતાં 402 રન બનાવ્યા હતા.

ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.

જોકે આ મેચમાં રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2500 રન બનાવનાર ભારતીય વિકેટકીપર બની ગયો છે. તેણે માત્ર 62 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા આ રેકોર્ડ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નામે હતો. તેણે 69 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે ફારુક એન્જિનિયરે 82 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના પ્રસ્તાવને LGની મંજૂરી

નવી દિલ્હી: કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સત્તામાં આવતા જ ઓમર અબ્દુલ્લા સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપરાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. સરકારના આ પ્રસ્તાવને હવે ઉપરાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી છે. ઓમર અબ્દુલ્લા કેબિનેટે આ પ્રસ્તાવને 17મી ઓક્ટોબરના રોજ જ મંજૂરી આપી દીધી હતી.  ઉપરાજ્યપાલ દ્વારા 19મી ઓક્ટોબર તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે. જો કે, આ અંગે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે.મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, “જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો એ એક પ્રક્રિયાની શરૂઆત હશે. જેનાથી જમ્મુ-કાશ્મીરના લોકોના બંધારણીય અધિકારોને પુનઃ પ્રાપ્ત કરી શકાશે અને તેમની ઓળખની રક્ષા કરી શકાશે.”

બાપુનગરમાં સરકારી અનાજના કૌભાંડનો પર્દાફાશ

અમંદાવાદ: બાપુનગરમાં રહેતા બે ભાઇઓ સરકારી જથ્થાના સસ્તા અનાજના વેપારીઓ પાસેથી બારોબાર અનાજ અને કઠોળનો જથ્થો બારોબાર ખરીદીને  ખોટા ઇનવોઇસ બિલના આધારે સગેવગે કરતા હોવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં સીઆઇડી ક્રાઇમે જેતલપુર પાસે ગોડાઉનમાં દરોડો પાડીને ઘંઉ, ચોખા, તુવેર દાળ અને બાજરાનો રૂપિયા 38 લાખનો જથ્થા સાથે કુલ 44 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે સગાભાઇઓ સહિત ચાર લોકો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. આ કૌભાંડમાં સસ્તા અનાજની દુકાનના વેપારીઓની સંડોવણી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને બાતમી મળી હતી કે બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા સુશીલ ગોયેલ સૌરભ ટ્રેડર્સના નામે  અમદાવાદમાં આવેલી સસ્તા અનાજની દુકાનોના વિક્રેતાઓ પાસેથી ખોટા બિલ બનાવીને લાભાર્થીઓના  હકનો અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરીને મોટા પ્રમાણમાં વેચાણ કરે છે. આ જથ્થો વી વી એગ્રોને આપવાનો હતો. પોલીસે વી વી એગ્રોના વસંતભાઇ પ્રજાપતિની પુછપરછ કરીને તેના ગોડાઉનમાં તપાસ કરતા બાજરીના રૂપિયા 2.45 લાખની કિંમતના 182 કટ્ટા, ચોખાના રૂપિયા 13.38 લાખની કિંમતના 1953 કટ્ટા, ઘઉંના રૂપિયા 12.40 લાખની કિંમતના 919 કટ્ટા અને તુવેર દાળના રૂપિયા 9.25 લાખની કિંમતના 125 કટ્ટા મળી આવ્યા હતા. આ કૌભાંડમાં સુશીલનો ભત્રીજો આશિષ ગોયેલ પણ સામેલ હતો. ઉલ્લેખનીય છે કે સુશીલ ગોયલ 2020થી સસ્તા અનાજની દુકાનોમાંથી બારોબાર સરકારી અનાજનો જથ્થો લઇને ગેરકાયદેસર વેચાણ કરતો હતો.

શ્રદ્ધા કપૂરે કર્યો મોટો ખુલાસો, ‘સ્ત્રી 2’ની સક્સેસ ક્રેડિટ વોર પર મૌન તોડ્યું

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં પોતાની ફિલ્મને લઈને ચર્ચામાં છે. ‘સ્ત્રી 2’ની ભવ્ય સફળતા પછી શ્રદ્ધા ઇન્સ્ટાગ્રામ પર ત્રીજી સૌથી વધુ ફોલો કરવામાં આવતી ભારતીય બની ગઈ છે અને હવે તે તેની આગામી ફિલ્મ ‘સ્ત્રી 3’ માટે સમાચારમાં છે.આ સાથે જ અભિનેત્રીએ ‘સ્ત્રી 2’ની અપાર સફળતાનો શ્રેય કોને આપવો જોઈએ તે અંગે ચાલી રહેલી ચર્ચાનો પણ અંત આણ્યો છે. તાજેતરમાં તેણે સમગ્ર કાસ્ટ અને ક્રૂની પ્રશંસા કરતા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેણીએ ફિલ્મની સફળતા પાછળ ટીમની સખત મહેનત હોવાનું પણ ભારપૂર્વક જણાવ્યું હતું.

‘સ્ક્રીન લાઈવ’ સેશન દરમિયાન શ્રદ્ધા કપૂરે એ પણ ખુલાસો કર્યો કે ‘સ્ત્રી 3’ પર કામ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ છે. ફ્રેન્ચાઈઝીની સફળતા વિશે વાત કરતાં શ્રદ્ધાએ કહ્યું,’પહેલા ભાગને જે પ્રકારનો પ્રેમ અને પ્રશંસા મળી હતી તે અમારી અપેક્ષા કરતાં ઘણી વધારે હતી. તે બધું ત્યાંથી શરૂ થયું. સિક્વલ બનાવવા માટે દિગ્દર્શક, લેખક અને નિર્માતાને શુભેચ્છા. માત્ર શો ખાતર સિક્વલ બનાવવી જરૂરી નથી – લોકોને થિયેટરોમાં લાવવા અને તેમને કંઈક વિશેષ બતાવવું છે. તેઓ સિક્વલ કેવી રીતે બનાવવી જોઈએ તેના પર ખરી રીતે ઉતર્યા અને સ્ટ્રી 2 ની વાર્તા ખૂબ જ સારી રીતે રજૂ કરી. સફળતા ક્રેડિટ વોર જેવી કોઈ વસ્તુ નથી, તે દરેકની મહેનત છે.

સક્સેસ ક્રેડિટ વોર પર શ્રદ્ધા કપૂરે પ્રતિક્રિયા આપી

શ્રદ્ધા કપૂરે વધુમાં કહ્યું હતું કે, ‘હું માનું છું કે ટીમની મહેનત અને દરેકની મહેનતને કારણે ફિલ્મને સફળતા મળે છે અને હા, ફિલ્મ જોયા પછી અંતે તો દર્શકો જ નક્કી કરે છે ને? કેવી છે ફિલ્મ? તેઓ મનોરંજન માટે તેમના ઘરેથી બહાર નિકળે છે અને મને ખુશી છે કે તે અમે આપી શક્યા. જ્યારે શ્રદ્ધાને સ્ત્રીની સિક્વલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ડિરેક્ટર અમર કૌશિક ‘સ્ત્રી 3’ માટે સ્ટોરી લઈને આવી ચૂક્યા છે. ‘જ્યારે અમર સાહેબે મને કહ્યું કે તેમની પાસે સ્ત્રી 3 માટે એક વાર્તા છે, ત્યારે હું ખૂબ જ ખુશ હતી કારણ કે મને ખબર હતી કે કંઈક ધમાકેદાક બનવાનું છે.’