Home Blog Page 1393

ભારતના જુદા-જુદા પ્રાંતમાં દિવાળી પર બને છે ટ્રેડિશનલ મીઠાઈ

દિવાળી, એટલે પ્રકાશનું પર્વ. વર્ષનો સૌથી મોટો તહેવાર એટલે પણ દિવાળી. ભારતીય સંસ્કૃતિમાં સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાં એક છે. આ દિવસે લોકો પોતાના ઘરને સુંદર સજાવે છે, સમગ્ર ઘરને દિવાઓથી પ્રજવલિત કરે છે. બાળકો અને મોટેરા ફટાકડા ફોડીને દિવાળીને મનમુકીને એન્જોય કરે છે. તો વળી એક બીજાને શુભેચ્છા પણ આપે છે. જોકે, આ ઉજવણીમાં મીઠાઈનું વિશેષ મહત્વ છે. અલબત્ત એમ કહેવું જરાય ખોટુ નથી કે મીઠાઈ વગર દિવાળીનો તહેવાર અધુરો છે. દેશના જુદા-જુદા રાજયોમાં દિવાળી ટાણે ખાસ મીઠાઈ બને છે, ત્યારે જાણીએ જુદા-જુદા પ્રાંતમાં  દિવાળી પર્વમાં બનતી મીઠાઈઓ વિશે..

ઘૂઘરા-ગુજરાત

ઘૂઘરાનું નામ સાંભળતા જ ભલભલાના મોંમાંથી પાણી છૂટી જાય. ઘૂઘરા વગર તો ગુજરાતીઓની દિવાળી જ અધૂરી ગણાય. હવે તો ઘૂઘરા બજારમાં તૈયાર પણ મળે છે. જો કે આજે પણ આ પરંપરાગત વાનગીઓ ગુજરાતી હોંશે હોંશે બનાવે છે. એક સમય હતો જ્યારે ઘૂઘરા માત્ર સોજીના જ બનાવવામાં આવતા, પરંતુ હવે એમાં પણ અનેક વેરાયટી છે. જેમ કે બેક્ડ ઘૂઘરા, કાજુ-બદામના ઘૂઘરા, સૂકા મેવાના રસાણ ઘૂઘરા, ખજૂરના ઘૂઘરા, તલના ઘૂઘરા, શાહી ઘૂઘરા.

અનારસા-મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રીયન દિવાળીની ઉજવણીનો મહત્વનો ભાગ, અનારસાએ ચોખાના લોટ અને ગોળથી બનેલી મીઠાઈ છે. મહારાષ્ટ્રમાં એને દિવાળીના ફરાળ એટલે કે મીઠા અને સ્વાદિષ્ટ નાસ્તા તરીકે માણવામાં આવે છે. આ એક ડીપ-ફ્રાઈડ મીઠા ભજીયા જેવી વાનગી છે જેમાં ખાસ કરીને ખસખસ વધારે હોય છે.

બાબરુ-હિમાચલ પ્રદેશ

બાબરુ એ હિમાચલ પ્રદેશની પ્રખ્યાત વાનગી છે. જે ખાસ કરીને દિવાળી સમયમાં બનાવવામાં આવે છે. બબરુ બનાવવા માટે, ઘઉંના લોટમાં, અજમો, મીઠું અને હળદર જેવા મસાલાનો ઉપયોગ કરીને કણક તૈયાર કરવામાં આવે છે. કણકમાંથી પરાઠા અથવા પૂરી વણી એમાં કાળા ચણાની દાળમાંથી બનાવેલી સ્વાદિષ્ટ સ્ટફિંગ અડધા ભાગમાં ભરવામાં આવે છે. બાકીનો અડધો ભાગ ફોલ્ડ કરી  ભરણને અંદરથી સીલ કરાય છે. દિવાળીમાં આ વાનગી ખીર અથવા રબડી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

નારીકોલ લારુ – આસામ

આસામની લોકપ્રિય મીઠાઈ છે જે નારિયેળના લાડુ તરીકે પણ ઓળખાય છે. તે કાપલી નાળિયેર, લીલી એલચી પાવડર, ઘી અને ખાંડનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને દિવાળી સમયમાં આ વાનગી એકબીજાને આપવામાં આવે છે. તલ અને નારિયેળમાંથી તૈયાર થતી આ ડીશ આરોગ્યવર્ધક અને સ્વાદિષ્ટ છે.

છોડો શાક- પશ્ચિમ બંગાળ

ભારતભરમાં દિવાળી સમયે મીઠાઈ બનાવવાની પરંપરાની તુલનામાં પશ્ચિમ બંગાળ છોડો શાક નામનું એક સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર કરવામાં આવે છે. જેમાં 14 લીલા પત્તાવાળા શાકનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાળી પૂજા માટે બનાવવામાં આવતી એક ખાસ ડિશ છે, જેને ઘણા તહેવારો અને ખાસ દિવાળીમાં બનાવવામાં આવે છે.

 ગવલુ-આંધ્ર પ્રદેશ

ગવલુ મૂળ આંધ્ર પ્રદેશની મીઠાઈ છે, જે ખાસ કરીને દિવાળીના સમયમાં બનાવવામાં આવે છે. ગવલુ એ માત્ર મીઠાઈ જ નહીં પરંતુ આંધ્રપ્રદેશમાં એને સમાજના સાંસ્કૃતિક વારસાના એક ભાગ તરીકે પણ જોવામાં આવે છે. ગવલુ, એના સ્વાદ અને સામગ્રી સાથે, સ્થાનિક પ્રથા અને પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.

માવા કચોરી – રાજસ્થાન

જોધપુર (રાજસ્થાન)ની આ સ્વાદિષ્ટ વાનગી દિવાળીના તહેવારોમાં ખૂબ ખવાય છે. આ માવા કચોરી સૂકા મેવા અને માવાથી ભરપૂર હોય છે. જેને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. માવા કચોરી ખાવામાં ખૂબ હેવી હોય છે પરંતુ દિવાળીમાં દરેક ઘરમાં અવશ્ય બને છે.

શુફ્તા- કાશ્મીર

જમ્મૂ અને કાશ્મીરનું એક પારંપરિક ગળ્યું વ્યંજન એટલે શુફ્તા. મિશ્રિત સૂકા મેવા અને ખાંડની ચાસણી અને મસાલાથી બનાવવામાં આવે છે. જેમાં ઘણા ડ્રાયફ્રુટ્સ હોય છે. ડ્રાયફ્રૂટ્સને પહેલાં પાણીમાં પલાળવામાં આવે છે અને પછી ઘી અને મસાલા સાથે થોડી ખાંડ મિક્સ કરી બનાવવામાં આવે છે. લોકો આ વ્યંજનનો સ્વાદ વધારવા માટે અંદર ગુલાબની પાંદડીઓ અને કેસર પણ મિક્સ કરે છે. દિવાળીમાં આ વાનગી વધારે બનાવવામાં આવે છે.

હેતલ રાવ

૨૦ ઓક્ટોબર ૨૦૨૪

પંચાંગ 20/10/2024

ઝારખંડ ચૂંટણી માટે BJP એ પ્રથમ યાદી જાહેર કરી

ઝારખંડમાં ભાજપે વિધાનસભા ચૂંટણી માટે 66 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 66માંથી 11 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. ઝારખંડમાં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં લોકસભા ચૂંટણી હારેલા 4 ઉમેદવારોને ટિકિટ આપી. સીતા સોરેન જામતારાથી જનરલ સીટ પર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે સમીર ઉરાંને બિશનપુરથી વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે. સુદર્શન ભગતને ગુમલા અને ગીતા કોડાને જગન્નાથ કોર્ટથી ટિકિટ આપવામાં આવી છે.

 

જ્યારે પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સરાઈકેલાથી ચૂંટણી લડશે. પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના પુત્ર બાબુલાલ સોરેનને ઘાટસિલાથી, પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડાની પત્ની મીરા મુંડાને પોટકા અને પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસની પુત્રવધૂ પૂર્ણિમા દાસ સાહુને જમશેદપુર પૂર્વથી ટિકિટ આપવામાં આવી છે.

એબીવીપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઝારખંડ ભાજપના પૂર્વ અધ્યક્ષ દિનશાનંદ ગોસ્વામીને બહારગોરાથી ટિકિટ આપવામાં આવી છે અને પૂર્વ આઈપીએસ અરુણ ઉરાનને સિસાઈથી ટિકિટ આપવામાં આવી છે.

 

NDAએ શુક્રવારે તેના સાથી પક્ષો વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કરી હતી. ઝારખંડમાં ભાજપ 68 સીટો પર, ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU) 10 સીટો પર જ્યારે જનતા દળ (યુનાઈટેડ) બે સીટો પર અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એક સીટ પર ચૂંટણી લડશે.

ચંપાઈ સોરેનની સાથે તેમના પુત્રને પણ ટિકિટ મળી છે
ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદી પરથી સ્પષ્ટ થાય છે કે પાર્ટીએ જૂના વર્તમાન ધારાસભ્યો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથે જ ઘણા નવા ચહેરાઓ પણ ધ્યાન ખેંચે છે. પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની સાથે તેમના પુત્ર બાબુલાલ સોરેનને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી, વિપક્ષના નેતા અમર બૌરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની પત્ની મીરા મુંડાને પણ ટિકિટ આપવામાં આવી છે.

ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ પાર્ટી ઓફિસમાં કાર્યકરો અને નેતાઓની ભીડ એકઠી થવા લાગી હતી અને નેતાઓ અને કાર્યકરોએ એક અવાજે કહ્યું હતું કે ઝારખંડમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે.

ગુજરાતમાં લોકરક્ષક અને PSI ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર

રાજ્ય પોલીસ વિભાગમાં LRD અને PSI ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. આ અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે મહત્ત્વની માહિતી આપી છે. તેમણે LRD અને PSI બંનેમાં ફોર્મ ભર્યા હોય તેમને મૂંઝવતા સવાલોના જવાબો આપ્યા છે. આ સાથે ભરતીની તારીખોનો પણ અંદાજ આપ્યો છે.

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ‘લોકરક્ષક દળ તથા PSI ભરતીની આગળની પ્રક્રિયા ચાલુ છે. શારીરિક કસોટી માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. 25 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી શરૂ કરવા માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. લગભગ 45 દિવસમાં શારીરિક કસોટીની કામગીરી પૂર્ણ કરાશે. પહેલા પીએસઆઈની શારીરિક કસોટી લેવાશે. જેથી તેની લેખિત કસોટી યોજાશે. ત્યારબાદ લોકરક્ષક દળની લેખિત કસોટી યોજાશે. બંને કસોટીઓ SSCની કસોટીઓ પહેલા પૂર્ણ થાય તે માટેનું આયોજન છે. ઉમેદવારો અત્યારથી તૈયારીઓ શરૂ કરી દે.

આ અંગે IPS હસમુખ પટેલે કહ્યું હતું કે, 25 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી લેવામાં આવશે. PSIની લેખિત કસોટી ડિસેમ્બર અંત અથવા જાન્યુઆરીમાં યોજાઈ શકે. લોકરક્ષક દળની લેખિત કસોટી જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીમાં લેવાઈ શકે. શારીરિક કસોટી માટે ઉમેદવારોને મેદાન ઉપલબ્ધ કરાવવા માટે સંસ્થાઓને અપીલ. રાજ્યના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પણ શારીરિક તૈયારીઓ માટે ઉપલબ્ધ કરાવાશે. ઉમેદવારો માટે હેલ્પ લાઈન નંબર આપવામાં આવશે. એક કરતાં વધુ ફોર્મ ભર્યું હશે તેના બધા જ ફોર્મ મર્જ કરવામાં આવશે.

કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની વિરુદ્ધ FIR દાખલ

મુંબઈ: કોરિયોગ્રાફર રેમો ડિસોઝા, તેની પત્ની અને અન્ય પાંચ સામે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં 11.96 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે શનિવારે આ જાણકારી આપી. 26 વર્ષીય ડાન્સરની ફરિયાદના આધારે રેમો, તેની પત્ની લીઝલ અને અન્ય પાંચ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 465 (બનાવટી), 420 (છેતરપિંડી) અને અન્ય હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. 16 ઓક્ટોબરના રોજ રોડ પોલીસ સ્ટેશનમાં સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. FIR મુજબ ફરિયાદી અને તેના સહયોગીઓ સાથે 2018 થી જુલાઈ 2024 વચ્ચે કથિત રીતે છેતરપિંડી થઈ હતી.

એફઆઈઆર મુજબ ડાન્સ મંડળીએ એક ટેલિવિઝન શોમાં પ્રદર્શન કર્યું હતું અને જીતી હતી. આરોપ છે કે આરોપીઓએ કથિત રીતે એવું બહાનું કાઢ્યું કે જૂથ તેમનું છે અને 11.96 કરોડ રૂપિયાની ઈનામની રકમની ઉચાપત કરી. આ કેસમાં અન્ય આરોપીઓ ઓમપ્રકાશ શંકર ચૌહાણ, રોહિત જાધવ, ફ્રેમ પ્રોડક્શન કંપની, વિનોદ રાઉત, એક પોલીસકર્મી અને રમેશ ગુપ્તા છે એવું અધિકારીએ જણાવ્યું હતું. તેમજ તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલુ છે.

રેમો ડિસોઝા ડાન્સ રિયાલિટી શોના જજ છે
કોરિયોગ્રાફર હોવા ઉપરાંત, રેમો 2009 થી ઘણા ડાન્સ રિયાલિટી શોમાં જજ પણ રહી ચૂક્યા છે. તે ડાન્સ ઈન્ડિયા ડાન્સ, ઝલક દિખલા જા, ડાન્સ પ્લસ, ડાન્સ ચેમ્પિયન્સ, ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર, ડીઆઈડી લિટલ માસ્ટરના જજ હતા. તેમજ ડીઆઈડી સુપર મોમ્સ સહિત અન્ય ઘણા ડાન્સિંગ શોને જજ કર્યા છે. 2018 અને 2024 ની વચ્ચે તેમણે ડાન્સ પ્લસ (સીઝન 4, 5, 6), ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર, હિપ હોપ ઈન્ડિયા અને ડાન્સ પ્લસ પ્રો સહિતના ઘણા શોમાં જજ તરીકે સેવા આપી છે. આ દિવસોમાં રેમો તેની પ્રાઇમ વિડિયો ફિલ્મ બી હેપ્પી ની રિલીઝની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને ઇનાયત વર્મા લીડ રોલમાં જોવા મળશે. રેમો દ્વારા નિર્દેશિત અને લિઝલ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં એકલ પિતા અને તેની પુત્રીની વાર્તા જોવા મળશે. આ ફિલ્મમાં નોરા ફતેહી, નાસર, જોની લીવર અને હરલીન સેઠી પણ છે.

અમરેલીમાં આકાશી વીજળી ત્રાટકતા 5 મજૂરોના કરુણ મોત, 3 ગંભીર

અમરેલી: ગુજરાતમાં વિદાય સમયે પણ વરસાદ ખમ્મયા કરી રહ્યો નથી. જે વરસાદ ખેડૂતોમાટે મિત્ર ગણાતો હોય, એ વરસાદ આજે ખેડૂતોન વેરી બન્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ભરમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે છૂટોછવાયો સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે અમરેલીના લાઠીમાં વીજળીના કડાકા સાથે વરસાદ બાદ આંબરડી ગામે ખેત મજૂરો પર આકાશી વીજળી ત્રાટકી હતી. જેથી 5 લોકોના મોત થયા છે. આંબરડી ગામમાં મૃતકોના પરીવાર પર શોકનો માહોલ છવાયો છે. પ્રાથમિક માહિતી મુજબ કપાસની ખેતીકામ કરી પરત ફરી રહેતા પાંચેય મજૂરોનો આકાશી આફતે જીવ લીધો છે. જ્યારે ત્રણ લોકો ગભરાઈ જતા ઢંસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના ત્યારે થઈ હતી, જ્યારે આ લોકો ખેતરમાંથી કામ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આકાશમાંથી વીજળી પડતાં 5 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે બાકીના 3 લોકો ગભરાઈ જતાં તેમની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૃત્કોમાં ભારતીબેન ભાવેશભાઈ સાંથળીયા ઉંમર 35 વર્ષ, શિલ્પાબેન વિજયભાઈ સાંથળીયા ઉંમર 18 વર્ષ, રિદ્ધિબેન ભાવેશભાઈ સાંથળીયા ઉંમર 7 વર્ષ, રૂપાલીબેન દલસુખભાઈ ઉંમર 8 વર્ષ, રાધેભાઈ ભાવેશભાઈ સાંથળીયા ઉંમર 5 વર્ષનો સમાવેશ થાય છે.

6 દિવસમાં 70 વિમાનોને બોમ્બની ધમકી, સુરક્ષા એજન્સી એલર્ટ

એરલાઈન્સને બોમ્બની ધમકીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. દરમિયાન, શનિવારે 5 ઇન્ડિગો પ્લેનને બોમ્બની ધમકી મળી છે. અકાસા એરલાઈન્સની પાંચ ફ્લાઈટને પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે. ઈન્ડિગોએ કહ્યું કે તે મુંબઈથી ઈસ્તાંબુલની ફ્લાઈટ નંબર 6E17 સંબંધિત પરિસ્થિતિથી વાકેફ છે.

મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા 

કંપનીએ કહ્યું, “યાત્રીઓ અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે માર્ગદર્શિકા મુજબ તમામ જરૂરી સાવચેતી રાખી રહ્યા છીએ.” અન્ય એક નિવેદનમાં, ઈન્ડિગોએ કહ્યું કે, અમે દિલ્હીથી ઈસ્તાંબુલ જતી ફ્લાઈટ 6E11 સંબંધિત પરિસ્થિતિથી વાકેફ છીએ. મુસાફરો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. સોમવાર (14 ઓક્ટોબર 2024) થી, 70 થી વધુ ફ્લાઇટ્સને બોમ્બની ધમકીઓ મળી છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે બોમ્બની ધમકી

આ પહેલા શુક્રવારે મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX 196 પર ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી, જેમાં 189 મુસાફરો સવાર હતા. આ ફ્લાઈટ બપોરે 1.20 કલાકે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. જો કે તપાસ દરમિયાન એરક્રાફ્ટની તલસ્પર્શી તપાસ બાદ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

આ પહેલા ત્રણ ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જે પાછળથી ખોટી સાબિત થઈ હતી. સાવચેતીના ભાગરૂપે, એક વિમાનને ફ્રેન્કફર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. વિસ્તારાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, દિલ્હીથી ઉડતી ત્રણ ફ્લાઈટ્સને શુક્રવારે સોશિયલ મીડિયા પર સુરક્ષાની ધમકીઓ મળી હતી, ત્યારબાદ તમામ સંબંધિત અધિકારીઓને પ્રોટોકોલ મુજબ તરત જ એલર્ટ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીના હસ્તે અનિલ નાયક ટેક્નિકલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન

નવસારી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 19મી ઓક્ટોબરના રોજ ગણદેવી તાલુકાના ખારેલ ગામે, એ.એમ. નાયક રૂરલ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ તથા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કર્યું. સંબોધનમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનએ ભારતને સ્કિલ કેપિટલ – કૌશલ્ય હબ બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. આ દિશામાં દક્ષિણ ગુજરાતના યુવાનોને આગળ વધારવામાં આ સંસ્થા નિર્ણાયક ભૂમિકા ભજવશે. યુવા પેઢી ટેકનોલોજી અને અદ્યતન સુવિધાઓ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે ગુજરાતમાં સ્કીલ ડેવલેપમેન્ટ યુનિવર્સીટી કાર્યરત કરી છે. આ યુનિવર્સિટીમાં વોકેશનલ તાલીમ ઉપરાંત ડ્રોન, AI સહિત અધ્યતન ટેકનોલોજીના વિવિધ કોર્સનો સમાવેશ કરાયો છે.મુખ્યમંત્રીએ વ્યવસાયિક પ્રશિક્ષણ કેન્દ્ર અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર વિશે કહ્યું કે, આ પ્રશિક્ષણ કેન્દ્રએ શાળા છોડી દેનારા મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવ્યા છે. અનેક સમુદાયોના દિકરા-દિકરીઓના વિકાસમાં ભાગીદાર બનાવ્યા છે.નાયક ચેરિટેબલ ટ્રસ્ટ અને નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના ચેરમેન, પદ્મવિભૂષણ એ.એમ.નાયકે આ અવસરે કહ્યું કે, ગરીબોની સેવા કરી તેઓને વિકાસની ધારામાં લાવવા એ મારા દાદા અને પિતાનું સ્વપ્ન હતું. જેઓના સંસ્કારના કારણે આજે આ કાર્યોને હું આગળ વધાવી રહ્યો છું. આ ઇન્સ્ટિટ્યુટની સ્થાપનાથી વંચિત ગરીબોને રહેવાની વ્યવસ્થા સાથે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળે છે. અમારી તમામ ઇન્સ્ટિટ્યુટમાં ઉચ્ચ કોટિની સુવિધાઓ આપવામાં આવે છે. અમારી સાથે ૪૦ જેટલી સંસ્થાઓ જોડાયેલી છે.અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય શાળા પૂર્ણ ન કરનારા યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ સુવિધા પૂરી પાડે છે. અહીં 6,000થી વધુ શાળા છોડનારા વિદ્યાર્થીઓને તાલીમ આપીને, વિવિધ ઉદ્યોગોમાં રોજગાર મેળવવા માટે આવશ્યક કૌશલ્ય પૂરું પાડયું છે. અહીં આપવામાં આવતી તાલીમ સંપૂર્ણપણે મફત છે. જેથી નબળી આર્થિક પરિસ્થિતિ, વિદ્યાર્થીના શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં અવરોધ રૂપ ન બને. મફત કોર્સની સુવિધા સાથે આ સેન્ટર વિદ્યાર્થીઓ માટે વસવાટની સુવિધા પણ પૂરી પાડે છે અને મુસાફરીના ખર્ચને આવરી લેવા માટે ભથ્થાં પણ આપે છે. હાલમાં અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓની સંખ્યા 1500 પ્રતિ વર્ષ થઈ ગઈ છે.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદગમ શબ્દ સુરોત્સવમાં સંગીત અને ગઝલની મોહક મહેફિલ

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી 18 ઓક્ટોબર 2024ના હોલ, ગાંધીનગર ખાતે ઉદ્દગમ શબ્દ સુરોત્સવ આયોજન કરવામાં આવ્યું. મુખ્ય મેહમાન ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, સ્વાવલંબી ભારત અભિયાનના જિલ્લા સમનવ્યક ધર્મેન્દ્રભાઈ ભટ્ટ, રાજ્યપાલ પ્રેસ સેક્રેટરી હિરેનભાઈ ભટ્ટ, સમાજ સેવી આશાબેન સરવૈયા,  ચાણક્ય જોષી, સંજયભાઈ થોરત, વીણાબેન વોરા,  ભીખુદાન ગઢવી, ડો. મયુર જોષીએ દીપ પ્રાગટ્ય કર્યું હતું.

મુખ્ય મેહમાન હેમાબેન ભટ્ટે ઉદગમના કાર્યોની પ્રસંશા કરતાં જણાવ્યું કે “ઉદગમ ગાંધીનગરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિચારને ધ્યાનમાં રાખીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સારું સંગીતના વિવિધ કાર્યો બદલ અભિનંદન પાઠવીને સહકારની બાંહેધરી આપી હતી”

ઉદ્દગમ શબ્દ સુરોત્સવમાં ભારતના વિશ્વ પ્રસિદ્ધ શાયરો નિદા ફાઝલી, મિર્ઝા ગાલિબ, ગુલઝાર, એહમદ મીર વગેરેની જાણીતી ગઝલો ગાયિકા ડો. મિતાલી નાગએ ‘ફિઝાં ભી હૈ જવાં જવાં’ ગઝલથી શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમના સહ ગાયક હિરેન બારોટ સાથે મળીને સલોના સા સજન, મેરા કુછ સામાન પડા હૈ, ફિર સાવન કી પવન ચલી, શાંત ઝરુખે વાટ નિરખતી, ફિર છીડી રાત ફૂલોં કી,  કિસી નજર કો તેરા ઇન્તેઝાર, હમ તેરે શહર મ આયે હૈ,આજ જાને કી જીદ ના કરો, રંજીસ હી સહી દિલ હીઁ દુઃખાને કે લિયે આ,હોશવાલોં કો ખબર ક્યા, જગજીત સિંહ મેલેડી તુમ કો દેખા તો યે ખયાલ આયા,તુમ ઇતના જો મુસ્કારે રહે હો,ઝૂકી ઝૂકી સી નજર બેકરાર હૈ કી નહિ, હોઠોં સે છું લો તુમ મેરા ગીત અમર કર દો,રસ્મે ઉલ્ફત કો નીભાયે કૈસે,મેં ખયાલ હું કિસી ઔર કા મુજે સોચતા કોઈ ઓર હૈ,ચમકતે ચાંદ કો ટુટા હુઆ તારા બના ડાલા,ઝુસ્તઝુ જિસકી થી ઉસકો તો ના પાયા હમને, નયન ને બંધ રાખીને તમને જોયા છે, ચાંદી જૈસા રંગ હૈ તેરા,બાદ શ્રોતાઓની વિવિધ ફરમાઈશ અને અંતે દમાદમ મસ્ત કલંદર ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરીને રસતરબોળ કરી દીધા હતા.