અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ અગાઉ 6 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ અલ્લુ અર્જુને પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. અલ્લુ અર્જુને થોડા સમય પહેલા પુષ્પા 2નું પોસ્ટર શેર કરીને નવી તારીખનો ખુલાસો કર્યો છે. આ પોસ્ટરમાં અલ્લુ અર્જુન મોંમાં સિગાર અને હાથમાં પિસ્તોલ લઈને ઉભો જોવા મળી રહ્યો છે. પોસ્ટના કેપ્શનમાં અભિનેતાએ હેશટેગના ઉપયોગ સાથે લખ્યું છે, “પુષ્પા 2 ધ રૂલ 5 ડિસેમ્બરે આવી રહી છે.
View this post on Instagram
અગાઉ આ તારીખે રિલીઝ થવાની હતી
તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં આવેલી પુષ્પા ફ્રેન્ચાઈઝીનો બીજો ભાગ અગાઉ 6 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થવાનો હતો. જો કે, હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને તે નિર્ધારિત રિલીઝ તારીખના 1 દિવસ પહેલા એટલે કે 5મી ડિસેમ્બરે રિલીઝ થશે.
નિર્માતાઓના આ નિર્ણયથી ફિલ્મને ફાયદો થઈ શકે છે કારણ કે જો ફિલ્મ 6 તારીખે રિલીઝ થઈ હોત તો તેને વીકએન્ડના એક દિવસ પહેલા જ મળી હોત, પરંતુ ફિલ્મ શુક્રવારને બદલે 5 ડિસેમ્બરે ગુરુવારે રિલીઝ થશે. જેના કારણે ફિલ્મને વીકએન્ડના 2 દિવસ પહેલા એટલે કે વીકેન્ડ સુનામીના 2 દિવસ પહેલા તોફાન શરૂ થઈ ગયું હશે.













શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિતની સમિતિની રચના કરી તથા સ્થળ સંબંધિત રૂટ, જોખમો, પ્રવાસના લાભાલાભ વગેરે વિસ્તૃત ચર્ચા કરવાની રહેશે. આ ઉપરાંત જો શાળાનો પ્રવાસ રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીની મંજૂરી લેવાની રહેશે. અને જો શાળાનો પ્રવાસ રાજ્યની બહારનો હોય તો કમિશનર/ નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરીની મંજૂરી લેવાની રહેશે. જો શાળાનો પ્રવાસ વિદેશનો હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય પાસેથી મંજૂરી લેવાની રહેશે.
વડોદરાની ભાગોળે આવેલા દુમાડ ગામના સૌથી યુવા સરપંચ કલ્પનાબેન ચૌહાણને જૂઓ તો માન્યામાં જ ના આવે કે આવો યુવાન ચહેરો એક આખા ગામનું નેતૃત્વ કરતો હશે. પણ આ હકીકત છે. ગામની આ દલીત દીકરી દુમાડના વિકાસ અને સ્વચ્છતા માટે તનતોડ મહેનત કરી રહી છે.
ડિસેમ્બર–૨૦૨૨ દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં એક હજાર જેટલા મતોથી વિજેતા બનેલા કલ્પનાબેને ૧૭-૦૧-૨૦ના રોજ દુમાડ ગામના સરપંચનું પદ ગ્રહણ કર્યું. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૨ વર્ષ અને બી.કોમ.નો અભ્યાસ પૂર્ણ કોલેજમાંથી સ્નાતક થઈ તાજેતાજા બહાર આવ્યા હતા.
કોલેજથી સીધા ગ્રામ પંચાયતમાં કેવી રીતે આવવાનું થયું? એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, “મારા પિતા કાંતિભાઇ ચૌહાણ પોતે ૨૫ વર્ષથી ગ્રામ પંચાયતના સભ્ય છે. વળી, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મહિલા સશક્તિકરણ અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપે છે. તેમણે નેતૃત્વનો એક સશક્ત અને સ્વચ્છ ચહેરો દેશ સમક્ષ પ્રસ્તુત કર્યો છે. તેનાથી પ્રેરાઇને સરપંચ બનવાનું નક્કી કર્યું. પિતાનો સહયોગ મળ્યો. ગામ લોકોનો ટેકો મળ્યો.”
સરપંચ બન્યા પછી ગામમાં કરવામાં આવેલા વિકાસકામોની રૂપરેખા આપતા કલ્પનાબેન કહે છે, “અમે ગ્રામ પંચાયતની આવક વધારી છે. વ્યવસાય વેરાની આવક સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ કરી આવકનો સ્ત્રોત મજબૂત કરતા આજે ગ્રામ પંચાયતનું સ્વભંડોળ રૂ. ૭૫ લાખ જેટલું છે. આ ઉપરાંત આ કાર્યકાળમાં અમે રૂ. ૧૪થી ૧૫ કરોડના વિકાસના કામો કર્યા છે. જેમાં માર્ગો, ગામના તળાવનું બ્યુટીફિકેશન, આંગણવાડી, પ્રાથમિક શાળાનું નિર્માણ સહિતના કામોનો સમાવેશ થાય છે.”
કલ્પનાબેનની શૈક્ષણિક કારકીર્દિ પણ ઉજ્જવળ રહી છે. એમ.એસ.ડબલ્યુ.ના બે સેમેસ્ટરમાં ડિસ્ટિક્શન, કોલેજ, શાળામાં પણ પ્રથમ વર્ગ મેળવીને તેઓ ઉત્તીર્ણ થયા છે.
દુમાડ ગામને સ્વચ્છ બનાવવા માટે તેમણે કછોટો વાળ્યો છે. ગામમાં ઘરે-ઘરે જઇને લોકોને સમજાવ્યા છે. શેરી બેઠકો કરી. તેનું પરિણામ મળ્યું. ગામ ચોખ્ખુ ચણાક થયું. માત્ર જિલ્લા સ્તરે જ નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ દુમાડને માન મળ્યું. બીજી ઓક્ટોબરે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્વચ્છ ભારત દિવસના કાર્યક્રમાં ઉપસ્થિત રહેવા ગુજરાતમાં માત્ર કલ્પનાબેનને જ આમંત્રણ મળ્યું હતું.
દુમાડ ગામમાં ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવામાં આવે છે. તેનું સેગ્રિગેશન કરવામાં આવે છે. કચરે સે આઝાદી ફાઉન્ડેશનની મદદથી આ પ્લાસ્ટિકના કચરાને વિવિધ વસ્તુઓમાં પરિવર્તિત કરવામાં આવે છે. ગામના તળાવ ફરતે મૂકવામાં આવેલા બાંકડા પૈકી કેટલાક આ પ્લાસ્ટિકમાંથી બન્યા છે.
દુમાડ ગામમાં ૧૩૨૬ ઘરો છે. ગામની વસ્તી ૫૨૪૪ છે. જેમાંથી સ્ત્રીની સંખ્યા ૨૫૫૭ અને પુરુષની સંખ્યા ૨૬૮૭ છે. ગામના તલાટી મંત્રી શ્રી મિતાબેન ચૌધરી અને ઉપસરપંચ ઉષાબેન પરમાર છે. ગામનું સુકાન મહિલાઓના હાથમાં છે. ગ્રામજનો અને પંચાયતના સભ્યોના સામુહિક યત્નોથી દુમાડ આદર્શ ગામ બન્યું છે.