Home Blog Page 1194

રજનીકાંતની કબાલી ફિલ્મના નિર્માતા કેપી ચૌધરીનું નિધન

સાઉથ સિનેમામાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. રજનીકાંતની ફિલ્મ કબાલીનું નિર્માણ કરનારા નિર્માતા કેપી ચૌધરીનું નિધન થયું છે. તેલુગુ સિનેમાના ઘણા મોટા પ્રોજેક્ટ્સનો ભાગ રહ્યો હતો. હવે અચાનક તેમના મૃત્યુના સમાચારથી સ્ટાર્સ તેમજ ચાહકોને આઘાત લાગ્યો છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, પોલીસે માહિતી આપી હતી કે તેલુગુ ફિલ્મ નિર્માતા કેપી ચૌધરીનો મૃતદેહ ગોવાના એક ગામમાં લટકતો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે છેલ્લા સાત મહિનાથી ભાડાના મકાનમાં એકલો રહેતો હતો.

પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી

રજનીકાંતની ફિલ્મ કબાલીના તેલુગુ વર્ઝનનું નિર્માણ કરનાર 44 વર્ષીય નિર્માતા કેપી ચૌધરીનો મૃતદેહ સિઓલિમ ગામમાં ભાડાના ઘરમાંથી મળ્યો. ઉત્તર ગોવાના પોલીસ અધિક્ષક અક્ષત કૌશલે સમાચાર એજન્સીને આ માહિતી આપી. તેમણે કહ્યું કે અંજુના પોલીસ સ્ટેશનની સિઓલિમ ચોકીને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

અહેવાલ મુજબ, કેપી ચૌધરીએ આજે ​​સવારે તેમના મિત્રનો ફોન ઉપાડ્યો નહીં. આ પછી તેણે ફ્લેટના માલિકને ફોન કર્યો અને માલિક તેને જોવા આવ્યો. જ્યારે તે કેપી ચૌધરીને મળવા ગયો ત્યારે તેનો મૃતદેહ લટકતો મળી આવ્યો. આ પછી તરત જ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી. અહેવાલો દાવો કરી રહ્યા છે કે કેપી ચૌધરી નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા હતા. તેમના પર દેવાનો બોજ પણ ઘણો વધારે હતો. તેમને ઉદ્યોગમાં ઘણી નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો જેના કારણે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું.

કેપી ચૌધરી ખમ્મલ જિલ્લાના બોનાકલના રહેવાસી હતા. તેમની પાસે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક ડિગ્રી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે પુણેની એક એન્જિનિયરિંગ સંસ્થામાં ઓપરેશન્સ ડિરેક્ટર તરીકે કામ કર્યું. આ પછી વર્ષ 2016 માં કેપીએ રજનીકાંતની ફિલ્મ કબાલીનું નિર્માણ કર્યું. તમને જણાવી દઈએ કે તેમણે સરદાર ગબ્બર સિંહ, કનિથન અને સીતામ્મા વકિટલો સિરીમલે ચેટ્ટુના વિતરણ અધિકારો પણ ખરીદ્યા હતા.

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં આઠ બેઠકો પર ભાજપ વિજયી

જૂનાગઢઃ સ્થાનિક મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત કોંગ્રેસે એક પણ ઉમેદવારનાં નામોની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે કોંગ્રેસની આ વ્યૂહરચના નિષ્ફળ થઈ છે, કારણ કે ઉમેદવારી ફોર્મ ભર્યાના એક દિવસ બાદ કોંગ્રેસના નવ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા છે.

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટો ધડાકો થયો છે, જેમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં આઠ બેઠકો પર ભાજપ ચૂંટણી પહેલાં જ જીતી ગયો છે, જયારે વોર્ડ નંબર-14 અને વોર્ડ નંબર-3માં ભાજપ બિનહરીફ જીત્યું છે. વોર્ડ નંબર-12ના કોંગ્રેસના ઉમેદવાર દિલીપ ગલે ભાજપના સમર્થનમાં ફોર્મ પરત ખેંચી લીધું. ચૂંટણી પહેલાં જ ભાજપનો આઠ બેઠક પર વિજય થયો છે, તો બીજી બાજું કોંગ્રેસમાં મોટું ભંગાણ થતા દોડધામ મચી ગઈ છે.

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના મુદ્દે અનેક વોર્ડમાં વિવાદ સર્જાયો છે. જૂનાગઢના વોર્ડ નં.9 ના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવા માગ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું કે ઉમેદવારે એસસી-એસટીમાં હોવા છતાં OBCમાં ફોર્મ ભર્યું હોવાનો દાવો કરાયો છે. થોડા સમય પહેલા એટ્રોસfટી કેસમાં એસસી-એસટીનો દાખલો રજૂ કર્યો હતો. એક જ વ્યક્તિ પાસે બે અલગ-અલગ દાખલા હોવાની રજૂઆત કોંગ્રેસના ઉમેદવારે કરી છે. ચૂંટણી પંચ દ્વારા રજૂઆતને ગ્રાહ્ય રાખવામાં ન આવી હોવાનો વકીલનો દાવો છે.

 

રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળી, કપાસ અને તુવેરની મોટા પ્રમાણમાં આવક

રાજકોટ: આજે શહેર માર્કેટ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક નોંધાય હતી. ડુંગળી સહિત કપાસ, તુવેરની પણ સારા પ્રમાણમાં આવક નોંધાય છે. રાજકોટ APMCમાં આજે લાલ ડુંગળીની સૌથી વધુ 6700 ક્વિન્ટલ આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે ડુંગળીના પાકના ખેડૂતોને 130થી 400 રૂપિયા ભાવ મળ્યો હતો. ડુંગળી બાદ કપાસની 2051 ક્વિન્ટલ આવક થઈ હતી. જેનો ખેડૂતોને 1311 થી 1480 રૂપિયા ભાવ મળ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજોકટ APMCમાં આજે તુવેરની 3 હજાર ક્વિન્ટલ આવક નોંધાય છે. જગતના તાતને એક મણ તુવેરનો 1200 થી 2498 રૂપિયા ભાવ મળ્યો હતો. યાર્ડમાં તુવેરની સાથોસાથ સોયાબીનની 250 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને એક મણ સોયાબીનનો 770 થી 803 રૂપિયા ભાવ મળ્યો હતો. યાર્ડમાં ટુકડા ઘઉંની 350 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની 60 ક્વિન્ટલ આવક થઈ છે. ખેડૂતોને ટુકડા ઘઉંનો 601 થી 639 રૂપિયા અને લોકવન ઘઉંનો 570 થી 620 રૂપિયા ભાવ મળ્યો હતો. શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટા અને ટામેટાંની આવક જોવા મળી રહી છે. બટેટાની આવક 3200 ક્વિન્ટલ થઈ છે. ખેડૂતોને એક મણ બટાકાનો 170 થી 280 રૂપિયા ભાવ મળી રહ્યો છે. જ્યારે એક મણ ટામેટાંનો 100 થી 200 રૂપિયા ભાવ મળી રહ્યો છે. આજે યાર્ડમાં ટામેટાંની આવક 1680 ક્વિન્ટલ થઈ છે. જ્યારે લીંબુના ભાવ 200 થી 800, લીલા મરચા 300 થી 500, રીંગણા 300 થી 500 અને ભીંડો 800 થી 1000 રૂપિયા એક મણનો બોલાઈ રહ્યો છે.

હવે મહાકુંભમાં જવા માટે ગુજરાતમાંથી ઉપડશે 5 એસટીની વોલ્વો, બુકીંગ શરૂ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ચાલતા મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ગુજરાતના શ્રદ્ધાળુઓને પહોંચતા કરવા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એસટીની વોલ્વો અમદાવાદથી શરૂ કરવામાં આવી હતી. હવે આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 4 ફેબ્રુઆરીથી 5 નવી વોલ્વો બસો શરૂ કરવામાં આવી છે.

જેમાં અમદાવાદ ઉપરાંત હવે વડોદરા અને રાજકોટથી 1થી વધુ, સુરતથી 2 બસો શરૂ કરવામાં આવશે. આ બસોનું ઓનલાઇન બુકિંગ આજે (2 ફેબ્રુઆરી) સાંજે 5 વાગ્યાથી એસ.ટી નિગમની વેબસાઇટ પરથી કરી શકાશે. સુરત તથા રાજકોટ ખાતેથી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા મધ્યપ્રદેશની બોર્ડર બારણ ખાતે કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને વડોદરા ખાતેથી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) ખાતે કરવામાં આવી છે.

એસટીની નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. 7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 નક્કી કરવામાં આવ્યું છે. આ નવી બસનું ઓનલાઇન બુકિંગ આજે 2 ફેબ્રુઆરી 2025 ના રોજ સાંજે 5 કલાક થી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.

HMDના આગામી મિશનનો ભાગ બનવા માટે હું આતુર છું: જિમી શેરગિલ

નવી દિલ્હીઃ હ્યુમન મોબાઇલ ડિવાઇસે આજે પ્રખ્યાત અભિનેતા જિમી શેરગિલ સાથે તેની સફળ ભાગીદારીને રિન્યુ કરવાની જાહેરાત કરી છે, જેને પગલે દેશમાં HMDના ફીચર ફોન પોર્ટફોલિયોના ચહેરા તરીકેની તેમની ભૂમિકાને લંબાવવામાં આવી છે. દેશભરના ગ્રાહકો સાથે મજબૂત સબંધ જોડવામાં ‘ખૂબ ચલેગા’ ઝુંબેશની નોંધપાત્ર સફળતાને પગલે કરારની મુદત વધારવામાં આવી છે.

જિમી શેરગિલનું વિશ્વસનીય વ્યક્તિત્વ લાખો ભારતીયોને વિશ્વસનીય અને ઇનોવેટિવ મોબાઇલ ફોન પહોંચાડવાની HMDની પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે એવું પ્રારંભિક ભાગીદારીમાં સ્થપાયેલા મજબૂત પાયાને આધારે આ કરાર રિન્યુ કરવામાં આવ્યો છે. આ ભાગીદારીની મુદત લંબાવવા અંગે ટિપ્પણી કરતાં HMD ઇન્ડિયા અને APACના CEO અને VP રવિ કુંવરે જણાવ્યું હતું કે અમને જિમી શેરગિલ સાથેના અમારી ભાગીદારીની મુદત લંબાવવાનો આનંદ છે. પ્રેક્ષકો સાથેના તેમના અધિકૃત જોડાણ અને વિશ્વસનીય અભિનયે અમારી બ્રાન્ડના સંદેશ અને ઇનોવેશનની વાતનો લોકોમાં વ્યાપ વધાર્યો છે. તેમનાં મૂલ્યો અને સ્વીકાર્યપણું ટેક્નોલોજીને દરેક માટે સુલભ બનાવવાના હ્યુમન મોબાઇલ ડિવાઇસના સ્વપ્ન સાથે એકદમ પૂરક છે.

જિમી શેરગિલે ભાગીદારીના રિન્યુઅલ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું હતું કે હ્યુમન મોબાઇલ ડિવાઇસિસ સાથેની મારી સફર શાનદાર રહી છે અને અમારું પહેલું અભિયાન ખૂબ જ સફળ રહ્યું છે. હું આ સંબંધ ચાલુ રાખવા માટે ઉત્સાહિત છું. ગુણવત્તા અને વિશ્વસનીયતા માટેની બ્રાન્ડની પ્રતિબદ્ધતા મારા પોતાના સિદ્ધાંતો સાથે સુસંગત છે. હું HMDના આગામી મિશનનો ભાગ બનવા માટે આતુર છું.

આ કરારની મુદત લંબાયા પછી HMDના સંખ્યાબંધ ફીચર ફોન માટે વિવિધ પ્લેટફોર્મ પર આગામી ઝુંબેશમાં જિમી શેરગિલ જોવા મળશે. આ ભાગીદારી લક્ષિત ગ્રાહકો પ્રેક્ષકો સુધી પહોંચવા અને અનેકવિધ પ્રોડક્ટ અંગે જાગૃતિ ફેલાવવા માટેની HMDની વૈવિધ્યસભર માર્કેટિંગનો એક ભાગ છે.

દ્વારકાધીશ મંદિર પર શંકાસ્પદ ડ્રોન, મુંબઇના યુટ્યુબરની ધરપકડ

દ્વારકા: દેવ ભૂમિમાં પ્રતિબંધિત ડ્રોન વિસ્તારની આસપાસ સોમવારે 3જી ફેબ્રુઆરીના રોજ શંકાસ્પદ ડ્રોન દેખાત તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વહેલી સવારે ડ્રોન દેખાતાની સાથે જ પોલીસ ફોર્સ એક્શનમાં આવી અને સર્ચ ઓપરોશન હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ થોડા જ સમયમાં ડ્રોન ઉડાડનાર વ્યક્તિને ઝડપી પાડ્યો હતો છે.

આખી વાત એમ છે કે સોમવારે (3 ફેબ્રુઆરી) વહેલી સવારે દ્વારકાધીશના મંદિરના શિખર પર પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાયું હતું. જેની જાણ થતાં તંત્રએ તુરંત કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ડ્રોન ઉડાડનાર મુંબઈના એક શખસની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ શખસ મુંબઈનો રહેવાસી છે અને એક યુટ્યુબર છે. તે પોતાની યુટ્યુબ ચેનલ માટે વિવિધ જગ્યાનું ડ્રોનથી શૂટિંગ કરે છે અને વીડિયો બનાવે છે. દ્વારકા પોલીસે મંજૂરી વિના ડ્રોન ઉડાડવાના કારણે શખસ પર કાયદાકીય કાર્યવાહી કરી, વધુ તપાસ હાથ ધરી છે.

Union Budget 2025: આર્સેલર-મિત્તલ ગ્રુપ અને HOF ગ્રુપની બજેટ પર પ્રતિક્રિયા

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1લી ફેબ્રુઆરીએ આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ પર ગરીબ-મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક છે. આના પર HOF ગ્રુપના ચેરમેન, આર્સેલર-મિત્તલ નિપ્પોન સ્ટીલના CEOનું શું કહેવું છે?

પ્રવીણ પટેલ, ચેરમેન, HOF ગ્રુપવ્યક્તિગત આવકવેરાના દરમાં ઘટાડો એ એક આવકારદાયક પગલું છે. જેનાથી લોકોના હાથમાં વધુ નાણાં રહેશે, જે વપરાશ અને બચતને વેગ આપશે. કરમુક્ત આવક મર્યાદા 12 લાખ રૂપિયા સુધી વધારીને, સરકારે ખાતરી કરી છે કે મધ્યમ વર્ગ પાસે વધુ ખર્ચ કરવાની શક્તિ છે. આનાથી રિટેલ, ઓટોમોબાઇલ્સ અને હાઉસિંગ જેવા મુખ્ય ક્ષેત્રોમાં માગ વધશે, જેનાથી અર્થતંત્ર પર સકારાત્મક અસર પડશે. “મેક ઇન ઇન્ડિયા”ને આગળ વધારવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતું રાષ્ટ્રીય ઉત્પાદન મિશન પણ યોગ્ય દિશામાં એક પગલું છે.

દિલિપ ઓમ્મેન, CEO, આર્સેલર-મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા“કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે અને વિકસિત ભારત@2047 એજન્ડા હેઠળ સરકારની ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. મૂડી ખર્ચ માટે 11.21 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરીને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જે ખાસ કરીને સ્ટીલ ક્ષેત્ર માટે વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. નવીનીકરણીય ઊર્જા પર સમગ્ર ધ્યાન આપવું એક પ્રશંસનીય પગલું છે. પરમાણુ ઉર્જા પર વધારાનું ધ્યાન કેન્દ્રિત કરી, 2047 સુધીમાં 100 ગીગાવોટના લક્ષ્ય, ભારતના ગ્રીન ઉર્જા ક્ષેત્રના  ટ્રાન્સફોર્મેશનમાં સહાય કરશે. શિપ બિલ્ડિંગ અને સમુદ્રી વિકાસ પ્રોજેક્ટ્સ થકી સ્ટીલ ઉદ્યોગ તેમજ MSME માટે વધારાની નાણાકીય જોગવાહીથી પણ લાભ થશે. જે બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયોને નાણાંકીય સપોર્ટ મેળવવામાં મદદ કરશે.”

જૈનિક વકીલ, CA, અમદાવાદઆવકવેરા મર્યાદા વધારીને 12 લાખ કરીને સરકારે એક સંતુલિત કાર્ય કરવાનો પ્રયાસ કર્યો છે. બજેટ દ્વાર લગભગ 25-30 લાખ વ્યક્તિગત કરદાતાઓને વાર્ષિક આશરે 1,00,000 રૂપિયા બચશે. તે વાહન ખરીદવા, ઈલેક્ટ્રોનિક વસ્તુ જેવાં વિવિધ મૂડી ખર્ચને વેગ આપશે. તેમજ સમયસર EMI ચુકવણી નિશ્ચિત કરશે. અર્થતંત્રમાં કન્ઝમ્પશનનો ભાગ લગભગ 60% છે, તેથી આ સમયે તેને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી હતું. સરકારે ચોક્કસ મુદ્દાઓને સંબોધવાનો પ્રયાસ કર્યો છે જે દેશના સેક્ટર સ્પેસિફિક મુદ્દાઓ અને વિસંગતતાઓ નિવારવા મદદ કરી શકે છે.

ઉમેશ ઉત્તમચંદાની, MD, DevX

કેન્દ્રીય બજેટ 2025 ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. સ્ટાર્ટઅપની નોંધણી લાભોને પાંચ વર્ષ માટે લંબાવવાથી સરકારનો ઉદ્યોગ સાહસિક વૃદ્ધિ માટે સતત ટેકો પ્રદર્શિત થાય છે. ‘શહેરોને વૃદ્ધિ હબ તરીકે’ અને ‘શહેરોના સર્જનાત્મક પુનર્વિકાસ’ માટે ₹1 લાખ કરોડની ફાળવણી સાથે અર્બન ચેલેન્જ ફંડની જાહેરાત મેનેજ્ડ ઑફિસ સ્પેસ ક્ષેત્ર માટે રોમાંચક તકો રજૂ કરે છે. શિક્ષણ માટે AI માટે ₹500 કરોડની ફાળવણી સાથે એક Centre of Excellence (ઉત્કૃષ્ટતા કેન્દ્ર)ની સ્થાપના ભાવિ કામદારોના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું છે. AI પ્રતિભા વિકાસમાં આ રોકાણ વ્યવસાયો માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. કારણ કે અમે આપણા કાર્યસ્થળો અને સેવાઓમાં અદ્યતન ટેક્નોલોજીનું એકીકરણ ચાલુ રાખીએ છીએ.

ટેરિફ વોરથી USમાં ફલ, શાકભાજી સહિત અનેક ચીજવસ્તુઓ થશે મોંઘી

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીવચન પૂરું કરતાં મેક્સિકો, કેનેડા અને ચીનથી આયાતી માલસામાન પર ટેરિફ લગાવવાનું એલાન કર્યું છે. આ ટેરિફ બીજી ફેબ્રુઆરી, 2025થી લાગુ થશે. ટ્રમ્પે સ્વીકાર કર્યો હતો કે આ પગલું ટૂંકા ગાળા માટે અમેરિકી ગ્રાહકો માટે મોંઘું થવાની શક્યતા છે. જોકે તેમણે અમેરિકાને ફરીથી મહાન બનાવવાની દિશામાં જરૂરી પગલું ગણાવ્યું હતું.

કેનેડા અને મેક્સિકોથી આયાત થતા માલસામાન પર 25 ટકા ટેરિફ લાગશે. કેનેડાથી આવતી એનર્જી ચીજવસ્તુઓ પર 10 ટકા ટેરિફ લાગશે. ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર 10 ટકા ટેરિફ લાગશે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ નિર્ણયથી અમેરિકી અર્થતંત્રને નુકસાન થશે. આ નિર્ણયથી રિટેલમાં ચીજવસ્તુઓની કિંમત વધી જશે. ફૂડ પ્રોડક્ટ, ફ્યુઅલ, કાર દારૂ, ઇલેક્ટ્રોનિક્સ, રમકડાં અને ઘર બનાવવામાં વપરાતો માલસામાન મોંઘો થશે.

મેક્સિકો ને કેનેડા અમેરિકી બજારોમાં ફળો, શાકભાજી, અનાજ, માંસ અને ડેરી ઉત્પાદનોના સૌથી મોટા સપ્લાયર છે. મેક્સિકોથી આવનારાં ફળો ને શાકભાજીઓ પર વધુ ચાર્જથી અમેરિકી કરિયાણા બજારમાં કિંમતો વધવાની શક્યતા છે. મેક્સિકો 2024માં અમેરિકામાં 46 અબજ ડોલરના એગ્રિકલ્ચર પ્રોડક્ટ નિકાસ કરી ચૂક્યું છે. એમાં 8.3 અબજ ડોલરની તાજી શાકભાજી, 5.9 અબજ ડોલરથી બીયર ને પાંચ અબજ ડોલરની ડિસ્ટિલ્ડ સ્પિરિટ્સ સામેલ છે. આ સાથે એવાકાડો, ટામેટાં અને તાજાં ફળોની કિંમતોમાં નોંધપાત્ર વધારો થશે.

કેનેડા અમેરિકાને ઓઇલ અને ગેસનું સૌથી મોટું સપ્લાયર છે. 2024માં અમેરિકાએ કેનેડાથી 97 અબજ ડોલર મૂલ્યું ઓઇલ અને ગેસ આયાત કર્યું છે. નવા 10 ટકા ટેરિફથી અમેરિકી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીઝ પર અસર પડશે, કેમ કે અમેરિકાની 60 ટકા ઓઇલ સપ્લાય કેનેડાથી થાય છે. એનાથી અમેરિકામાં પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાની સંભાવના છે.

ગુજરાતના ટેબ્લોને ત્રીજું સ્થાન મળવા બદલ કલાકારોને CMએ અભિનંદન પાઠવ્યા

૭૬માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલ ગુજરાત ટેબ્લોના કલાકારોની ટીમે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં ગુજરાતના ટેબ્લોને ત્રીજું સ્થાન મેળવવા બદલ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે.એલ.બચાણી, અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ, નાયબ માહિતી નિયામક જિગર ખુંટ સહિત માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ” ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી છે.

ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તે વિકાસ ગાથા પ્રાચીન વિરાસતની ઝાંખી સાથે પ્રસ્તુત થઈ હતી. ગુજરાતની ઝાંખીના ૧૨મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને ૨૧મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પો સી-૨૯૫ એરક્રાફ્ટ ઉત્પાદન યુનીટ, સેમી કન્ડક્ટર ચીપ અને તેના આનુષંગીક ઉપકરણો તથા અટલ બ્રિજ વગેરનું બખૂબી નિદર્શન કરવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીના નિવેદન પર સંસદમાં હંગામો

સોમવારે બજેટ સત્રના ત્રીજા દિવસે, લોકસભામાં ત્યારે હોબાળો થયો જ્યારે વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભાષણ આપવા માટે ઉભા થયા. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે જો આપણા દેશમાં સારી ઉત્પાદન વ્યવસ્થા હોત, તો વિદેશ મંત્રીને આટલી વાર જઈને પીએમને અમેરિકન રાષ્ટ્રપતિના રાજ્યાભિષેકમાં હાજરી આપવા વિનંતી ન કરવી પડતી. વિદેશ મંત્રીને એટલી બધી મહેનત ન કરવી પડે કે તેઓ અમેરિકા જઈને કહે કે કૃપા કરીને અમારા વડા પ્રધાનને ફોન કરો. આ દરમિયાન પીએમ મોદી પણ ગૃહમાં હાજર હતા.

ભાજપે વિરોધ વ્યક્ત કર્યો

રાહુલ ગાંધીના આ આરોપો પર ભાજપના સાંસદોએ હોબાળો મચાવ્યો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા આવા પાયાવિહોણા આરોપો લગાવી શકતા નથી. જો રાહુલ ગાંધી પાસે કોઈ પુરાવા હોય તો તેમણે ગૃહમાં રજૂ કરવા જોઈએ. પણ આવા આરોપો ના લગાવો. ઓછામાં ઓછા બધાએ રાષ્ટ્રીય મુદ્દાઓ પર સાથે રહેવું જોઈએ. રિજિજુએ કહ્યું કે વિપક્ષી નેતાએ ગંભીર રહેવું જોઈએ.