Home Blog Page 1099

ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે ‘ચારણ-કન્યા’ વાટિકાનું ઉદ્ઘાટન

ધંધુકા: રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે ગત 9મી માર્ચના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘ચારણ-કન્યા’ વાટિકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે ગુજરાતનું પ્રથમ કાવ્ય આધારિત થીમ પાર્ક છે. આ પાર્ક મેઘાણીની 1928માં લખાયેલી પ્રસિદ્ધ કવિતા “ચારણ-કન્યા” પર આધારિત છે.

‘ચારણ-કન્યા’ વાટિકાનું ઉદ્ઘાટન

નવી ઉદ્ઘાટિત ‘ચારણ-કન્યા’ વાટિકા મુલાકાતીઓને મેઘાણીની સાહિત્યિક કૃતિનો જીવંત અનુભવ કરાવે છે. પાર્કમાં 30થી વધુ જીવનતુલ્ય શિલ્પો છે, જે કવિતાના દૃશ્યો અને ગીરના સમૃદ્ધ વનજીવનને દર્શાવે છે. આ પહેલ મેઘાણીના વારસાનું સન્માન કરવાની સાથે ભવિષ્યની પેઢી માટે શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ સેવા આપે છે.

મયુર વાકાણી અને આનંદ ટિકેનું શિલ્પકાર્યમાં યોગદાન

પ્રસિદ્ધ કલાકાર અને અભિનેતા મયુર વાકાણી, જેઓ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટેલિવિઝન શ્રેણીમાં “સુંદર મામા” તરીકે જાણીતા છે, તેમણે પાર્કના શિલ્પોની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ અગાઉ તેમના શિલ્પ કાર્ય માટે સન્માનિત થઈ ચૂક્યા છે. મયુર વાકાણીએ કલાકાર આનંદ ટિકે સાથે મળીને “ચારણ-કન્યા”ની ભાવનાને તેમના કળા દ્વારા જીવંત કરી છે.

મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

પાર્કના ઉદ્ઘાટન ઉપરાંત, આ પ્રસંગે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉમેરો ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને તેને આકાર આપનાર વ્યક્તિઓના સન્માનની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

‘મેઘાણી વંદના’ સાંસ્કૃતિક કાર્યક્રમ

ઉત્સવનું સમાપન ‘મેઘાણી વંદના’ નામના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયું. જેમાં ગુજરાતી લોકસંગીત અને કવિતાની સમૃદ્ધ પરંપરાનું પ્રદર્શન કરવામાં આવ્યું. અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટ જેવા પ્રતિષ્ઠિત કલાકારોએ મેઘાણીની રચનાઓ રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા.

આ દિવસના કાર્યક્રમોએ ઝવેરચંદ મેઘાણીની અવિનાશી વારસાને સન્માનિત કર્યો અને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને જાળવવાની અને ઉજવવાની મહત્વતાને મજબૂત કરી. ‘ચારણ-કન્યા’ વાટિકાના સફળ ઉદ્ઘાટન અને સંબંધિત ઉત્સવોએ આ ક્ષેત્રમાં સાંસ્કૃતિક પહેલ માટે એક નવી મર્યાદા સ્થાપિત કરી છે.

“કેનેડા ક્યારેય અમેરિકાનો ભાગ નહીં બને” સત્તા પર આવતાની સાથે માર્ક કાર્નેનો ટ્રમ્પ પર પ્રહાર

માર્ક કાર્ને, બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર, હવે કેનેડાના નવા વડાપ્રધાન બન્યા છે. તેઓએ લિબરલ પાર્ટીના નેતૃત્વની ચૂંટણીમાં 85.9% મત સાથે જીત મેળવી છે.પદ સંભાળતા જ, કાર્નેએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા અંગેના નિવેદનોનો પ્રતિસાદ આપ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “અમેરિકા આપણા સંસાધનોનું શોષણ કરવા માંગે છે. જો તેઓ સફળ થશે તો આપણે સમાપ્ત થઈશું. કેનેડા કોઈપણ રીતે અમેરિકાનો ભાગ બની શકે નહીં.”

કાર્નેએ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ્સ અંગે પણ નિંદા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, “ડોના લ્ડ ટ્રમ્પે અમારા ઉત્પાદનો પર અયોગ્ય ટેરિફ લાદ્યા છે, જે કેનેડિયન પરિવારો, કામદારો અને વ્યવસાયો પર હુમલો છે. પરંતુ અમે તેને સફળ થવા દઈ શકીએ નહીં.” કાર્ને પ્રથમ એવા કેનેડિયન વડાપ્રધાન છે જેઓ અગાઉ કોઈ વિધાનસભા કે કેબિનેટનો અનુભવ રાખતા નથી. તેઓના આર્થિક અનુભવને કારણે, તેઓ દેશને આર્થિક પડકારોમાંથી બહાર કાઢવામાં સફળ થશે તેવી અપેક્ષા છે.માર્ક કાર્નેના વડાપ્રધાન તરીકેના નિમણૂક સાથે, કેનેડાની રાજકીય દિશામાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે.

IIFA Awardsમાં કોણે-કોણે પાડ્યો વટ, જુઓ સુંદર તસવીરો

IIFA Awards 2025: પિંક સિટી જયપુરમાં આઈફા એવોર્ડ્સની ધામધુમ જોવા મળી. ગત રોજ એટલે કે રવિવારે વિજેતાઓને એવોર્ડ્સ આપી સમારોહનું સમાપન થયું. આ સાંજ ઝળહળતાં સિતારાઓ અને કલા ક્ષેત્રના વિવિધ કલાકારોથી સજ્જ હતી. એક તરફ કાર્પેટ પર સેલેબ્સના ગ્લેમર અંદાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા તો બીજી તરફ, સ્ટેજ પર પણ કલાકારોએ અદ્ભુત પ્રદર્શન કર્યુ.

(Photo: IANS)

અવોર્ડ્સ નાઈટમાં રેખાથી માંડીને કરીના કપૂર, માધુરી દીક્ષિત, ક્રિતી સેનોન, સહિતની અભિનેત્રીઓનો સુંદર અંદાજ જોવા મળ્યો હતો. આ સાથે શાહિદ કપૂર અને કાર્તિક આર્યન સહિતના અભિનેતાઓ પણ ઠાઠમાઠમાં દેખાયા.

(Photo: IANS)

(Photo: IANS)

(Photo: IANS)

(Photo: IANS)

(Photo: IANS)

 (Photo: IANS)

Jaipur: Singer Shreya Ghoshal at the green carpet during the IIFA Digital Awards 2025 in Jaipur on Sunday, March 09, 2025. (Photo: IANS)

છોટા ઉદેપુરમાં તાંત્રિકે બાળકીનો નરબલી ચઢાવ્યો

છોટા ઉદેપુરઃ દેશમાં ‘નરબલી’ અંધશ્રદ્ધા કે શિક્ષણ પરનો અભિશાપ, દેવી-દેવતાઓના નામની આડમાં બેરોકટોક ચાલે છે. જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે પાંચ વર્ષની બાળકીની બલિ આપવાની ઘટના બની છે. જ્યાં અંધશ્રદ્ધાને કારણે ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ ભૂવાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી બલિ ચઢાવી દીધી.

તાંત્રિક લાલુ હિંમત તેની સામે રહેતી બાળકીને ઉઠાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને તાંત્રિક વિધિ કરી માસૂમ બાળકીના ગળા ઉપર કુહાડીનો હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી, આટલું જ નહીં, આ ભૂવો બાળકીના દોઢ વર્ષના નાના ભાઈને પણ ઉઠાવી ગયો હતો. જોકે ગામલોકોએ જોઈ જતાં એ બાળકને છોડાવી પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને લઈ મામલતદાર સાથે પોલીસ ઘટનાસ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપી તાંત્રિક લાલુની ધરપકડ કરી છે.

રાજ્ય વિધાનસભામાં ગયા વર્ષે ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને (તેનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ વિધાનસભામાં સર્વાનુમતે મંજૂર થઈ ગયું હતું.

ધૂળેટી પૂર્વે રંગો પિચકારીઓનું ધૂમ વેચાણ શરૂ

અમદાવાદ: હોળી-ધૂળેટીના તહેવારને લઈને બજારોમાં તેની સામગ્રીનું દરેક વિસ્તારમાં વેચાણ થઇ રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદની મધ્યમાં આવેલા જૂના હોલસેલ બજારમાં આધુનિક, નવી વેરાઇટીવાળી સામગ્રી મળી રહી છે. આ વર્ષે ઇકોફ્રેન્ડલી કલર, પિચકારીઓની વિવિધ સાઇઝ અને ડિઝાઇન બજારમાં આવી ગઇ છે. પરંતુ મોંધવારીને પગલે હોલસેલ બજારમાં માલ સામાનની અછત વર્તાય છે. છુટક વેપારમાં સતત તેજી જોવા મળે છે.દિલ્હી દરવાજાના વેપારી પ્રકાશભાઈ ચિત્રલેખા.કોમને કહે છે આ વર્ષે ફાયરમાં એટલે કે આગ ઓલવવામાં વપરાતા સિલિન્ડર જેવા આકારમાં રંગોની માગ વધી છે. વિવિધ રંગોથી ભરેલા સિલિન્ડર બે કિલો, ચાર કિલો, છ કિલોમાં ઉપલબ્ધ છે. સિલિન્ડરની પીન ખોલી દેતાં એક સાથે જ તમામ કલર ઠલવાઈ જાય છે.શહેરની લારીઓ, સિઝનેબલ મંડપો, દુકાનોમાં છોટા ભીમ, સુપરમેન, સ્પાઇડરમેન, જાણીતા ક્રિકેટરોના સ્ટીકર સાથે અનેક ડિઝાઇનમાં પિચકારીઓ આવી ગઇ છે. રૂપિયા 30થી માંડી 1500 સુધીની પિચકારીઓ બાળકોના મનોરંજન માટે બજારમાં ઉપલબ્ધ છે.વિવિધ રંગોના પેકેટ- ડબ્બા, પ્રાકૃતિક રંગોના પેકેટ, હીરાકણીની ડબ્બીઓ અને ફુગ્ગાના પેકેટ બજારમાં ઉપલબ્ધ છે. લગ્ન જેવા પ્રસંગોમાં ફૂટતાં ‘કલરફૂલ’ ફટાકડાની આઈટમ તેમજ બંદૂકમાંથી નીકળતા કલર આ વર્ષે પણ બજારમાં અવનવા સ્વરૂપે આવી ગયા છે. બંદૂકના ધડાકા સાથે ફૂટતા ઉડતાં કલર, સિલિન્ડર કલર્સ, ઇલેક્ટ્રિક પિચકારીઓ, ફૂગ્ગા સાથે રંગ-રસિયા મોજ-મસ્તીમાં આવી જાય છે.તમામ તહેવારો અને ઉત્સવોમાં જગ્યા રાખી વેપાર કરતાં વિજયભાઈ ચિત્રલેખા.કોમને કહે છે આ વર્ષે વેપારીઓના મંડપ, લારીઓ છે. મોંઘવારીના કારણે આગળથી જ માલ-સામાન ઓછો આવી રહ્યો છે. આ વર્ષે હોળી ધૂળેટી પર્વે છેલ્લી ઘડીએ ગ્રાહકો વધશે એવી આશા છે.શહેરના જુદા-જુદા બજારમાં ધાણી, મમરા, ખજૂર અને રંગબેરંગી હારડા જેવી હોળીની ખાદ્ય સામગ્રીનું વેચાણ શરૂ થઇ ગયું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

ગોંડલના પૂર્વ MLA વિવાદમાં, રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે CBI તપાસની માંગ

ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિંહ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમના બંગલા પાસે પિતા-પુત્રને માર માર્યો હોવાના આરોપ વચ્ચે હવે પુત્રનો મૃતદેહ રાજકોટથી મળી આવતા પિતાએ આક્ષેપ કર્યા હતા. ઉલ્લેખનીય છે આ મામેલ ફરિયાદ સ્થાનિક પોલીસે નહીં લેતા એસ.પી.ને ફરિયાદ કરવામાં આવી હતી. જેનાથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તપાસ ઘોડા છૂટા મેલતાની સાથે પોલીસને જાણવા મળ્યું કે, રાજકોટ નજીક વાહનની અડફેટે આવી યુવકનું મૃત્યુ થયું છે. આ મામલે રાજસ્થાનના સાંસદે હનુમાન બેનિવાલે પણ પ્રતિક્રિયા આપી છે.

ગોંડલમાં પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે જેમણે થોડા સમય પહેલા આક્ષેપ કર્યા હતા કે, 2જી માર્ચના રોજ મારા પુત્ર સાથે હું મોટા અવાજથી બોલતા બોલતા પૂર્વ ધારાસભ્યના ઘર પાસેથી નીકળો ત્યારે જયરાજસિંહ જાડેજા સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ પૂર્વ ધારાસભ્યએ ખોટી રીતે માર્યા પણ હતા. જે બાદ વાત થાળે પડતા રતનલાલ શંકરલાલ તેમના પુત્ર રાજકુમાર સાથે ઘરે પરત ફર્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.’ આ દરમિયાન પોલીસને ત્રણ દિવસ પહેલા કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દીશામાં તપાસ શરૂ કરી હતી. જે મરનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો છે.

ગોંડલના યુવકના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના સાંસદે હનુમાન બેનિવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ અંગે CBI તપાસની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે, ‘હું ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં રાજસ્થાનના ભીલવાડાના યુવાન રાજકુમાર જાટની હત્યા તરફ લોકોનું ધ્યાન દોરું છું અને આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરું છું કારણ કે આ હત્યા કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ આવી રહ્યું છે. જાટ સમુદાયના યુવાનની હત્યા સહન કરવામાં આવશે નહીં. હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ. હું ગુજરાતમાં રહેતા મારા સમુદાયના ભાઈઓને અપીલ કરું છું કે તેઓ આ પરિવારને મદદ કરે અને ન્યાયની લડાઈમાં તેમને ટેકો આપે. હું ગુજરાત પોલીસને કહેવા માંગુ છું કે, પરિવાર પર અનૈતિક દબાણ ન કરવું જોઈએ. આ હત્યા કેસમાં તાત્કાલિક FIR દાખલ કરવી જોઈએ અને ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ’

ઝાકિર હુસૈનને યાદ કરી ભાવુક થયા શંકર મહાદેવન, લખી આવી પોસ્ટ

પ્રખ્યાત બૉલિવૂડ સંગીતકાર અને ગાયક શંકર મહાદેવને સ્વર્ગસ્થ તબલા વાદક ઝાકિર હુસૈન સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેમને તેમની 74મી જન્મજયંતિ પર યાદ કર્યા છે. ઝાકિર હુસૈનીનો જન્મ દિવસ રવિવાર, 9 માર્ચે હતો, પરંતુ શંકર મહાદેવને સોમવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઝાકિર હુસૈન સાથેની એક તસવીર શેર કરી, તેમને તેમના માર્ગદર્શક અને ગુરુ તરીકે યાદ કર્યા.

ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા શંકર મહાદેવને લખ્યું, “મારા પ્રિય ગુરુ અને માર્ગદર્શકને જન્મદિવસની શુભકામનાઓ. અમને હંમેશા આશીર્વાદ આપતા રહો. તમે હંમેશા, દરેક સમયે, દરેક જગ્યાએ અમારી સાથે છો. સંગીતના દરેક સ્વરમાં હું તમને યાદ કરું છું. ઝાકીર ભાઈ, હું તમને ખૂબ પ્રેમ કરું છું.”

73 વર્ષની વયે અવસાન થયું

પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનનું ગયા વર્ષે 15 ડિસેમ્બરે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ફેફસાના રોગને કારણે 73 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના પરિવાર દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.

છ દાયકાની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ જીત્યા

ઝાકીર હુસૈન વિશ્વના સૌથી પ્રખ્યાત તબલા વાદકોમાંના એક હતા. તેમને અનેક સન્માનો પણ એનાયત કરવામાં આવ્યા હતા. તેમને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે છ દાયકાની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ પણ જીત્યા. તેમણે 2009 માં તેમનો પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો. આ પછી, 2024 માં 66મા ગ્રેમી એવોર્ડ્સમાં, તેમણે 3 અલગ અલગ આલ્બમ માટે 3 ગ્રેમી એવોર્ડ જીત્યા.

શંકર મહાદેવન વિશે વાત કરીએ તો, ‘દિલ ચાહતા હૈ’ અને ‘કલ હો ના હો’ જેવી ફિલ્મોમાં સંગીત આપનાર શંકર મહાદેવનની ગણતરી ભારતના મહાન સંગીતકારોમાં થાય છે. શંકર મહાદેવન એક ગાયક હોવાની સાથે સાથે સંગીતકાર પણ છે અને તેમણે ‘મિતવા’ સહિત ઘણા બોલિવૂડ ગીતો ગાયા છે.

શું મહારાષ્ટ્રમાં ઔરંબઝેબની કબર પર ચલાવાશે બુલડોઝર?

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે મુગલ બાદશાહ ઔરંગઝેબની કબરને દૂર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે બધાનું માનવું છે કે છત્રપતિ સંભાજીનગરમાં સ્થિત ઔરંગઝેબની મજારને દૂર કરવામા આવવી જોઈએ. જોકે આ કાનૂનના દાયરામાં કરવામાં આવવું જોઈએ, કેમ કે પાછલી કોંગ્રેસ સરકારે આ સ્થળને આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ના સંરક્ષણમાં આપી દીધું હતું.

મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને સતારાથી ભાજપના સાંસદ ઉદયનરાજે ભોસલેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની મજારને દૂર કરવાની માગ કરી હતી.

તેઓ ઔરંગઝેબની કબર હટાવવા માગે છે  પણ કોંગ્રેસને કારણે નથી કરી શકતા, ફડણવીસે કેમ કહ્યું આવું? મહારાષ્ટ્રમાં બજેટ સત્ર દરમિયાન ઔરંગઝેબની કબર પર રાજકારણ શરૂ થઈ ગયું છે. ઘણા લોકોએ માગ કરી છે કે મહારાષ્ટ્રમાં સ્થિત ઔરંગઝેબનું સમારકામ કરવામાં ન આવે. ગઈ કાલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ અંગે સ્પષ્ટ નિવેદન આપ્યું હતું. હવે ભાજપ ધારાસભ્ય સુધીર મુનગંટીવારે પણ ઔરંગઝેબની કબર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.

બજેટ સત્ર પહેલા મિડિયા સાથે વાત કરતાં સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે આ બજેટમાં સમાજના તમામ વર્ગોને કેન્દ્ર બિંદુ તરીકે રજૂ કરવામાં આવશે. અમે ચૂંટણી ઢંઢેરામાં જે પણ વચનો આપ્યાં છે તે પૂરાં કરીશું. અમે આ વિઝન સાથે કામ કરી રહ્યા છીએ. ઔરંગઝેબની કબર વિશે વાત કરતાં સુધીરે કહ્યું કે સરકારે એ કબરને રિપેર કરાવવા માટે પૈસા ન આપવા જોઈએ.

 

અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્યનાં 24 પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમોચન

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત 24 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. 115 વર્ષથી ગુજરાતીઓને સસ્તા દરે શિષ્ટ સાહિત્ય પ્રદાન કરનાર સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ‘અખંડ આનંદોત્સવ’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.આ પ્રસંગે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અધ્યક્ષ એવાં અમિત શાહે જણાવ્યું હતું કે કોઈ પણ ભાષાનું અસ્તિત્વ અને સાતત્ય ત્યારે જ ગૌરવમય બને છે જ્યારે તેને આગળ ધપાવવા–પોષવા સારસ્વત લોકો આગળ આવે.ગોવર્ધનરામ ત્રિપાઠી, નર્મદ, મહાત્મા ગાંધી, કાકાસાહેબ કાલેલકર, નરસિંહ મહેતા, સુંદરમ્ જેવા અનેક ગુજરાતી સાહિત્યકારો એ આપેલો સાહિત્ય વારસો જાળવવાની અને તેનું સંવર્ધન કરવાની જવાબદારી ગુજરાતી ભાષાના સારસ્વતો, ચાહકો, ભાષાવિદોની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાંચન પ્રવૃત્તિને વેગ આપવા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કરાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા-તાલુકાઓમાં પુસ્તકાલય માટે મોટી રકમની ફાળવણી કરી છે, તે પ્રશંસાને પાત્ર છે. સાહિત્યમાં સત્વ ઉમેરવાનું, વાંચનને વધુ રસપ્રદ બનાવવાનું કામ સારસ્વત લેખકોએ જ કરવું જોઈશે. વિચારોની ઊંચાઈ પ્રાપ્ત કરવા અને વિચારોને સદમાર્ગે વાળવાનું કામ વાંચન કરી શકે, બીજું કોઈ નહીં. દેશનું ભવિષ્ય નક્કી કરવામાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા પુસ્તકાલયમાં લોકોની સંખ્યા કેટલી છે, તે મહત્ત્વનું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

અમિતભાઈ શાહે પોતાના વતનમાં બાળપણ દરમિયાન પોતાના વતન ના ગામની લાઇબ્રેરીના લાઇબ્રેરીયને આપેલી શિખામણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બાળક કે વિદ્યાર્થી નાનપણથી વાંચવાની ટેવ રાખશે, ઇન્ટરનેટના આકર્ષણો વચ્ચે પણ વાંચનની ટેવને જાળવી રાખશે તો જીવનમાં આવનારી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિ કે વિઘ્નો વચ્ચે ટકી જશે. વાંચનની યાત્રા કુતૂહલ, જિજ્ઞાસાની સંતુષ્ટી, રસની જાગૃતિ, જ્ઞાન પ્રાપ્તિ અને અંતે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ સુધીની હોય છે. જીવનનું કલ્યાણ કરવું હોય તો વાંચન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.ભિક્ષુ અખંડાનંદ દ્વારા શરૂ કરાયેલી સસ્તું સાહિત્ય નિર્માણ અને વિતરણની વર્ષો જૂની પરંપરા ચાલી આવી રહી છે તેનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, ભિક્ષુ અખંડાનંદે વાંચનનું મૂલ્ય સમજ્યું અને વાંચનને સસ્તુ બનાવ્યું. વ્યક્તિને આગળ લઈ જવા અને જ્ઞાનની વૃદ્ધિ કરવા માટે ઉપયોગી એવાં પુસ્તકો – સાહિત્યને સસ્તાભાવે લોકો સુધી પહોંચાડ્યાં. પુનઃ મુદ્રિત થયેલાં 24 પુસ્તકોમાંથી મોટાભાગનાં પુસ્તકોની અનેક આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે, તે આ પુસ્તકોની સફળતા દર્શાવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ૧૯૦૭માં સ્થપાયેલી આ સંસ્થા ભાષા, સાહિત્ય અને શિક્ષાની જ્યોત દ્વારા સમાજને 116 વર્ષથી માર્ગદર્શન અને પ્રેરણા આપી રહી છે. ધર્મ, આરોગ્ય, મહાપુરુષોના જીવનચરિત્ર, રાષ્ટ્રનિર્માણ જેવા અનેકવિધ વિષયોનો વાંચન રસથાળ સસ્તા દરે લોકો સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય સસ્તુ સાહિત્ય ટ્રસ્ટે કર્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આગળ તેમણે જણાવ્યું કે, રાજ્યના દરેક તાલુકામાં વાંચન રસિકોને ઉત્તમ લાઇબ્રેરીની સુવિધા મળી રહે તે આ સરકારે સુનિશ્ચિત કર્યુ છે. આ વર્ષના બજેટમાં ૭૧ તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા રૂપિયા ૧૬ કરોડ અને ૫૩ આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં ઈ-લાઇબ્રેરીની સુવિધાઓ વિકસાવવા માટે આયોજન કર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.સસ્તું સાહિત્ય દ્વારા પુનઃમુદ્રિત તમામ 24 પુસ્તકોમાં સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે પ્રસ્તાવના લખી છે. આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, વરિષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરી, સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હર્ષદભાઈ જે. શાહ, પરેશભાઈ અમીન અને પ્રશાંતભાઈ અમીન, સ્થાનિક ધારાસભ્યો, જાણીતા સાહિત્યકારો સહિત મોટી સંખ્યામાં સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીદેવીની આ હિટ ફિલ્મની સિક્વલ બનાવશે બોની કપૂર

‘મિસ્ટર ઈન્ડિયા’ અને ‘નો એન્ટ્રી’ જેવી ફિલ્મો બનાવનારા નિર્માતા બોની કપૂર હવે તેમની પુત્રી ખુશી કપૂર સાથે ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે આ ફિલ્મ ખુશીની માતા અને અભિનેત્રી શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ‘મોમ’ ની સિક્વલ હોઈ શકે છે. આ માહિતી ખુદ બોની કપૂરે આપી હતી.

 (Photo: IANS/Sanjay Tiwari)

‘નો એન્ટ્રી’ પછી બોની ખુશી સાથે ફિલ્મ બનાવશે

IIFA એવોર્ડ્સ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે બોની કપૂરે તેમની પુત્રીઓ ખુશી અને જ્હાન્વી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ તેમની આગામી ફિલ્મમાં તેમની પુત્રી ખુશી કપૂરને લઈ શકે છે. તેમણે કહ્યું, “મેં ખુશીની ‘આર્ચીઝ’ થી લઈને ‘લવયાપા’ અને ‘નાદાનિયાં’ સુધીની બધી ફિલ્મો જોઈ છે. ‘નો એન્ટ્રી’ પછી હું ખુશીને લઈ ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યો છું. આ ફિલ્મ ‘મોમ 2’ પણ હોઈ શકે છે. ખુશી તેની માતાના પગલે ચાલવાનો પ્રયાસ કરી રહી છે. તેમની માતા એક ટોચની ફિલ્મ અભિનેત્રી હતી. મને આશા છે કે જાહ્નવી અને ખુશી પણ આવી જ સફળતા મેળવશે.”

શ્રીદેવીને ‘મોમ’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો

2017 માં રિલીઝ થયેલી શ્રીદેવીની ફિલ્મ ‘મોમ’ તેમની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન રવિ ઉદ્યાવર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ બોની કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રીદેવીને ફિલ્મમાં તેમના શાનદાર અભિનય માટે મરણોત્તર શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

બોની કપૂર હાલમાં 2005ની હિટ કોમેડી ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મ વિશે માહિતી આપતા બોનીએ કહ્યું, “નો એન્ટ્રી જુલાઈ-ઓગસ્ટમાં રિલીઝ થશે. તેમાં ઘણી અભિનેત્રીઓ મુખ્ય ભૂમિકામાં છે. તેથી હું હમણાં કંઈપણ વિશે વાત કરી શકતો નથી. અમે તેમાંથી કેટલાકને અંતિમ સ્વરૂપ આપી દીધું છે અને કેટલાકને હજુ અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. એકવાર અંતિમ સ્વરૂપ મળી ગયા પછી ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.”