‘બધા મને છોડીને જતા રહ્યા’, ધર્મેન્દ્રના નિધનથી દુ:ખી આશા પારેખ

આશા પારેખને 60ના દાયકાની સૌથી લકી હિરોઈન માનવામાં આવતી હતી. તેણી અનેક બ્લોકબસ્ટર ફિલ્મોનો ભાગ હતા અને તેણીના સમયના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. હી-મેન ધર્મેન્દ્ર સાથેની તેમની જોડી પણ સુપરહિટ રહી હતી. આ દિગ્ગજ અભિનેતાના અવસાન પછી આશા પારેખે તેમની સાથેની મીઠી યાદો શેર કરી છે.

ધર્મેન્દ્ર ફક્ત એક એક્શન હીરો નહોતા. તેમની ફિલ્મોમાં એક્શન, ડ્રામા અને રોમાન્સનો સમાવેશ થતો હતો. ધર્મેન્દ્રનું 24 નવેમ્બર, સોમવારના રોજ 89 વર્ષની વયે અવસાન થયું. તેમના નિધનથી તેમનો પરિવાર, સમગ્ર ઉદ્યોગ અને ચાહકો શોકમાં ડૂબી ગયા. દિવંગત અભિનેતા સાથે કામ કરનારા ઘણા કલાકારોએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. એક સમય હતો જ્યારે ધર્મેન્દ્રની આશા પારેખ સાથેની જોડી હિટ હતી. આશા પારેખને 60ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંની એક માનવામાં આવતી હતી, જેઓ તેમના આકર્ષણ અને સ્મિતથી દર્શકોને મોહિત કરતા હતા. ધર્મેન્દ્ર સાથે આશા પારેખની જોડી મોટા પડદા પર હિટ રહી. બંનેએ “આયે દિન બહાર કે” અને “મેરા ગાંવ મેરા દેશ” સહિત લગભગ અડધો ડઝન ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. હવે, આશા પારેખ ધર્મેન્દ્રના નિધનથી ખૂબ જ દુઃખી છે. પીઢ અભિનેત્રીએ હી-મેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આશા પારેખે ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો
આશા પારેખ અને ધર્મેન્દ્રની જોડી મોટા પડદા પર હિટ રહી હતી. તેઓએ દર્શકોના દિલ પર રાજ કર્યું. બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં આશા પારેખે ધર્મેન્દ્રના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું. ધર્મેન્દ્રના નિધન પછી તેણીએ ભાવનાત્મક રીતે કહ્યું, “બધા મને એક પછી એક છોડી ગયા… હવે, ધરમજી નથી. મારું હૃદય સની, બોબી, એશા અને આહના માટે દુ:ખી છે. તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હશે.”

આશા પારેખે ધર્મેન્દ્રની યાદો શેર કરી

આશા પારેખે આગળ જણાવ્યું કે કેવી તેણીએ જે કલાકારો સાથે મજા કરી હતી અને ફિલ્મોમાં કામ કર્યુ હતું હવે તે તમામ મોટાભાગે જતા રહ્યા અને તેમના માટે યાદો બની ગયા છે. તેણી કહે છે કે તે એક આખા યુગના અંત જેવું છે. તેણી તેના સહ-કલાકારોના નિધનથી ખાલીપણું અનુભવે છે. તેણીએ કહ્યું, “હું એક મજાક-પ્રેમી વ્યક્તિ હતી, અને તે પણ હતો. પરંતુ કેમેરા ફરતા જ અમે ગંભીર થઈ જતા.” તે કેમેરા સામે સ્વાભાવિક હતો. મને હૃષિકેશ મુખર્જીની સત્યકામમાં તેનો અભિનય ખૂબ ગમ્યો. મારે તેની સાથે હૃષિદાનું “ચુપકે ચુપકે” પણ કરવાનું હતું, પણ પછી શું થયું તે ખબર નથી. પણ મેં તેની સાથે જે કામ કર્યું તે ખૂબ જ મજેદાર હતું.

ધર્મેન્દ્રનું અવસાન

24 નવેમ્બર, 2025 ના રોજ 89 વર્ષની વયે પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું, જેના કારણે ભારતીય ફિલ્મ ઉદ્યોગ શોકમાં ડૂબી ગયો. ચાહકો અને ઉદ્યોગના સાથીઓએ “શોલે” સ્ટારના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું. અમિતાભ બચ્ચન, આમિર ખાન, અક્ષય કુમાર, સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિત અનેક સ્ટાર્સે પણ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.