અમેરિકાએ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું, ભારતને ચેતવણી આપી

અમેરિકી અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમણે અમેરિકામાં એક શીખ અલગતાવાદીની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. આ મામલે ભારતને ચેતવણી પણ આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ષડયંત્રનું નિશાન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના નેતા ગુરપતવંત સિંહ પન્નુ હતા.

“યુએસ અધિકારીઓએ યુ.એસ.માં એક શીખ અલગતાવાદીની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો,” ફાઇનાન્શિયલ ટાઇમ્સ (FT) એ બુધવારે આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને અહેવાલ આપ્યો.