જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ

-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા. પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોએ ઘટનાસ્થળે બે આતંકીઓને ઘેરી લીધા છે.

 

પોલીસે જણાવ્યું કે ધરમસાલના બજીમલ વિસ્તારમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ. અધિકારીઓએ જણાવ્યું કે અથડામણમાં એક અધિકારી, એક સૈનિકના જીવ ગયા અને અન્ય એક સુરક્ષાકર્મી ઘાયલ થયો. તેમણે જણાવ્યું કે ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.