સરકારી કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ

મોદી સરકારે પેન્શન સ્કીમને લઈને મોટો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજનાની જગ્યાએ યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપવામાં આવી છે. સરકારે કહ્યું કે જે કર્મચારી 25 વર્ષથી કામ કરે છે તેને સંપૂર્ણ પેન્શન મળશે. યુપીએસ સ્કીમથી 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. આ યોજના 1 એપ્રિલ, 2025 થી લાગુ કરવામાં આવશે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક સાથે સંબંધિત માહિતી આપતાં કહ્યું કે, 10 વર્ષ સુધી સેવા આપનારાઓને 10,000 રૂપિયા પેન્શન મળશે. જો કર્મચારીઓની સેવા દરમિયાન મૃત્યુ થાય છે, તો તેમની પત્નીઓને 60 ટકા પેન્શન આપવામાં આવશે. સરકારે કહ્યું કે તેનો નિર્ણય રાજ્ય સરકાર પણ લાગુ કરી શકે છે. કર્મચારીઓ પર આ યોજનાનો કોઈ બોજ રહેશે નહીં. આ યોજના 1 એપ્રિલ 2025 થી લાગુ થશે.

સરકારે કહ્યું કે જો કોઈ કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ કામ કર્યું હોય, તો તેને નિવૃત્તિ પહેલા છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના ઓછામાં ઓછા 50 ટકા પેન્શન તરીકે મળશે. જો કોઈ પેન્શનર મૃત્યુ પામે છે, તો તેના પરિવારને મૃત્યુ સમયે મળેલા પેન્શનના 60 ટકા મળશે.