નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજના દિવસે ભોપાલની મુલાકાતે છે. તેમણે જમ્બૂરી મેદાનમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહાસંમેલનમાં ભાગ લીધો હતો. ત્યાંથી PM મોદીએ મહિલા સશક્તીકરણનો સંદેશ આપ્યો હતો.
તેમણે કહ્યું હતું કે આજના અમુક મોટા સ્પેસ મિશન્સમાં ઘણી મોટી સંખ્યામાં મહિલા વૈજ્ઞાનિકો કામ કરી રહી છે. ચંદ્રયાન-3 મિશનમાં તો 100થી વધુ મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો જોડાયેલી હતી.
દેવી અહિલ્યાબાઈ ભારતની વારસાની એક મોટી સંરક્ષક હતી. જ્યારે દેશની સંસ્કૃતિ પર, આપણા મંદિરો અને તીર્થસ્થળો પર હુમલા થઈ રહ્યા હતા, ત્યારે લોકમાતાએ તેમને સંરક્ષિત કરવાની જવાબદારી ઉઠાવી હતી. તેમણે કાશી વિશ્વનાથ સહિત દેશભરનાં અનેક મંદિરો અને તીર્થોનું પુનર્નિર્માણ કર્યું હતું.
मध्य प्रदेश के भोपाल में आज लोकमाता देवी अहिल्याबाई होल्कर के 300वें जयंती समारोह का हिस्सा बनना मेरे लिए परम सौभाग्य की बात है। https://t.co/IHWiqMsese
— Narendra Modi (@narendramodi) May 31, 2025
જમ્બૂરી મેદાનમાં જનસભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકર- આ નામ સાંભળતાં જ મનમાં શ્રદ્ધાનો ભાવ ઉત્પન્ન થાય છે. તેમના મહાન વ્યક્તિત્વ વિશે બોલવા માટે શબ્દો ઓછા પડી જાય છે. દેવી અહિલ્યાબાઈ એ નમૂનો છે કે જ્યારે ઇચ્છાશક્તિ હોય, દ્રઢ સંકલ્પ હોય તો પરિસ્થિતિઓ કેટલી પણ વિરોધી કેમ ન હોય, પરિણામ લાવી શકાય છે.
ભોપાલ પહોંચતાં જ PM મોદીએ એક રોડ શો કર્યો હતો, જેમાં તેમણે જનતાનું અભિવાદન સ્વીકાર્યું. આ દરમિયાન વડા પ્રધાનની સાથે CM મોહન યાદવ પણ કારમાં હાજર હતા. આ રોડ શોનો અંત જમ્બૂરી મેદાનમાં થયો જ્યાંથી મોદીએ જનસભાને સંબોધી હતી.
