ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેટની ODI ચાલી મેચ ચાલી રહી છે. આ ટેસ્ટ મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ પહેલી બે મેચ જીતીને 2.0ની લીડ મેળવી લીધી છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી અદ્ભુત રહ્યું છે. નોંધનીય બાબત છે કે આ ODIની ત્રીજી મેચ અમદાવાદ ખાતે રમાવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ઈંગ્લેન્ડની ટીમને ક્લીન સ્વીપ કરવા માગે છે. જ્યારે ઈંગ્લેન્ડ જીત મેળવવા પર હશે. આ મેચને લઈને બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ અને વર્તમાન આઈસીસી ચેરમેન જય શાહે મોટી જાહેરાત કરી છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 ફેબ્રુઆરીએ રમાનારી આ મેચ અંગે જય શાહે પોતાના સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી કે, ‘આ પ્રસંગે ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ નામની જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે.’ તેમણે લખ્યું કે, ‘12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચમાં એક જાગૃતિ પહેલ શરૂ કરવાનો ગર્વ છે, “અંગોનું દાન કરો, જીવન બચાવો”. રમતગમતમાં ક્ષેત્ર પ્રેરણા આપવાની, એક થવાની અને મેદાનથી અલગ સ્થાયી પ્રભાવ પેદા કરવાની શક્તિ છે. આ પહેલ મારફતે અમે દરેકને સૌથી મોટી ભેટ- જીવનની ભેટ આપવા તરફ એક પગલું ભરવાનો આગ્રહ કરીએ છીએ. એક વચન, એક નિર્ણય, ઘણા લોકોના જીવ બચાવી શકે છે.’
