વિશ્વના સૌથી લોકપ્રિય નેતા PM મોદીના નામે ઐતિહાસિક સિદ્ધિ

પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન તરીકે સંયુક્ત રીતે 8,931 દિવસ પૂરા કરીને ઇતિહાસ રચ્યો છે. 7 ઓક્ટોબર 2001થી શરૂ થયેલી તેમની આ અવિરત સફર આજે પણ ચાલુ છે. આ સાથે જ તેઓ ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ (100 Million) ફોલોઅર્સ ધરાવતા વિશ્વના પ્રથમ રાજનેતા પણ બન્યા છે. ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિને દેશભક્તિ અને અતૂટ જનસેવાનું પરિણામ ગણાવ્યું છે.

New Delhi: Prime Minister Narendra Modi delivers his remarks via video conferencing during the centenary celebrations of the Arya Vaidya Sala Charitable Hospital in Kerala on Wednesday, January 28, 2026. (Photo: IANS/PMO)

રેકોર્ડબ્રેક સફર

ગુજરાતના CM થી દેશના PM સુધીના 8,931 દિવસ, નરેન્દ્ર મોદી બન્યા ભારતના સૌથી લાંબા સમયના શાસક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નામે વધુ એક અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાવી છે. તેઓ ભારતમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા સરકારના વડા તરીકે સેવા આપનાર નેતા બન્યા છે. તેમની આ સફરના મુખ્ય પડાવો નીચે મુજબ છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે (2001 – 2014)

નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. તેઓ 21 મે 2014 સુધી આ પદ પર રહ્યા, એટલે કે 13 વર્ષથી વધુ સમય સુધી તેમણે ગુજરાતનું નેતૃત્વ કર્યું. તેઓ ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી પણ છે.

ભારતના વડાપ્રધાન તરીકે (2014 – વર્તમાન)

26 મે 2014 ના રોજ તેમણે પ્રથમવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ 2019 અને હવે 2024ની લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી જીત મેળવીને તેઓ એનડીએ (NDA) સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. મોદી એવા પ્રથમ વડાપ્રધાન છે જેમની પાસે વડાપ્રધાન બનતા પહેલા કોઈ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો સૌથી લાંબો અનુભવ હતો.

ડિજિટલ દુનિયાના ‘કિંગ’

વર્ષ 2026ની શરૂઆતમાં પીએમ મોદીએ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ નવો રેકોર્ડ બનાવ્યો છે.

ઇન્સ્ટાગ્રામ

101 મિલિયન (10 કરોડથી વધુ) ફોલોઅર્સ સાથે તેઓ વિશ્વના પ્રથમ રાજનેતા બન્યા છે.

X (ટ્વિટર)

106 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

છેલ્લા 10 વર્ષોમાં તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશ્વના તમામ નેતાઓ કરતા સૌથી વધુ એક્ટિવ રહ્યું છે.

દિગ્ગજ નેતાઓની અભિનંદન વર્ષા

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, પીએમ મોદીની આ સફર પારદર્શિતા અને નિરંતર જનસેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ એક દુર્લભ વિરાસત છે. જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે નોંધ્યું કે, છેલ્લા 24 વર્ષથી એક પણ રજા લીધા વિના સતત કામ કરવું એ પીએમ મોદીના સમર્પણની પરાકાષ્ઠા છે. ગરીબ કલ્યાણ યોજનાઓ અને વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત ઓળખ એ તેમની મહેનતનું જ પરિણામ છે.