પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનું આમંત્રણ કાર્ડ આવ્યું સામે

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનું આમંત્રણ કાર્ડ સામે આવ્યું છે. હવે બંનેના લગ્નની સત્તાવાર તારીખ સામે આવી છે. જે મુજબ આ કપલ 24 સપ્ટેમ્બરે પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાશે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના તમામ કાર્યક્રમો ઉદયપુરની હોટેલ લીલા અને તાજ લેક પેલેસમાં યોજાશે.

લગ્નના કાર્યો ક્યારે થશે?

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના કાર્ડ મુજબ, કપલના લગ્નના ફંક્શન 23 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 24 સપ્ટેમ્બર સુધી ચાલશે. અહીં લગ્નના કાર્યોની સંપૂર્ણ સૂચિ તપાસો:

  • ચુડા સમારોહ- 23 સપ્ટેમ્બર, સવારે 10:00 કલાકે
  • સંગીત- 23 સપ્ટેમ્બર, સાંજે 7:00 કલાકે
  • જયમાલા- 24 સપ્ટેમ્બર, બપોરે 3:30 કલાકે
  • ફેરા- 24મી સપ્ટેમ્બર, સાંજે 4:00 કલાકે
  • વિદાય- 24મી સપ્ટેમ્બર, સાંજે 6:30 કલાકે
  • રિસેપ્શન- 24 સપ્ટેમ્બર, રાત્રે 8:30 કલાકે