શ્રાવણ : 1251 કિલો પારામાંથી બનેલું પારદેશ્વર મહાદેવનું શિવલિંગ

વહેલાલ : શ્રાવણ મહિનામાં ભક્તો મહાદેવના મંદિરે જઈ દૂધ જળ બિલ્વપત્રથી શિવલિંગની પૂજા કરી ભોળાનાથની ભક્તિમાં લીન થઈ જાય છે. વિશ્વ આખાયમાં મોટાભાગના શિવ મંદિરોમાં શિવલિંગ પથ્થર સ્વરૂપે જ જોવા મળતું હોય છે. પરંતુ અમદાવાદ થી દહેગામ રોડ નરોડાથી થોડા જ અંતરે આવેલા વહેલાલ ગામનું પારદેશ્વર મહાદેવ મંદિર એક માત્ર એવું મંદિર છે જેનું શિવલિંગ પારો અર્થાત મેરક્યુરીમાંથી બનેલું છે.

પ્રશ્ન થાય કે આ પારાનું શિવલિંગ..? વર્ષોની તપશ્ચર્યા જડીબુટ્ટીઓના મિશ્રણ અને અપાર શ્રધ્ધાના સમન્વયથી આ પારાનું શિવલિંગ બન્યું છે. આ પારદ શિવલિંગ, 26 જાન્યુઆરી 2001 માં આ મંદિર સ્થાપવામાં આવ્યું હતું.

નરોડા દહેગામ વચ્ચે આવેલા વહેલાલ ગામની સીમમાં આવેલું આ પ્રણવ પારદેશ્વર મહાદેવનું મંદિર અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં એક અનોખું મંદિર છે. અદભૂત અને અલૌકિક એવા આ પારદેશ્વર મહાદેવનું ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ છે. અહીંના સંસ્થાપક શ્રી શ્રી માં અનંતાનંદજી અહીંયા શિવપૂજા સહિત દિવ્ય જયોત આયુર્વેદક રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે.

જ્યાં જીવલેણ રોગ જેવા કે કેન્સરની પણ સફળ સારવાર થાય છે. આ શિવલિંગ બનાવવામાં ઉપયોગ થયેલ દુર્લભ જડીબુટ્ટીઓ અને પારાના લીધે આ શિવલિંગ પર અભિષેક કરાયેલું પાણી આયુર્વેદિક દવા બનાવવામાં અને વનસ્પતિઓના ઉછેર માટે કરવામાં આવે છે.

એક માન્યતા અનુસાર પૃથ્વી, પાતાળ અને આકાશ ત્રણે લોકોના શિવલિંગનું પૂજા કર્યાનું ફળ માત્ર આ પારદ શિવલિંગના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. પારદ શિવલિંગનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. સમગ્ર ભારત દેશમાં અનેક ખૂબી છે..ઘણાં શોધ સંશોધન ધર્મ આધ્યાત્મ વિજ્ઞાન એકબીજા સાથે જોડાયેલા છે. પારો બાંધવાની ક્રિયા વિજ્ઞાન પાસે નથી અને આપણા યોગીઓ પોતાના તપોબળ અને આયુર્વેદિક ઔષધિઓ સાથે અપાર શ્રધ્ધા અને વિશ્વાસના બળે આ કાર્ય સિધ્ધ કરીને બતાવ્યું છે. શ્રાવણ મહિનામાં જ નહિ પણ આખા વર્ષ દરમિયાન આ શિવલિંગના દર્શન કરવા લોકો વિદેશથી પણ આવે છે.

અનંતાનંદ માં ને આ આધ્યાત્મ અને આયુર્વેદનો વારસો ગિરનારી બાબા તરફથી મળ્યો હતો. ગિરનારી બાબા જડીબુટ્ટી વિજ્ઞાાનના ખૂબ જ પારંગત હતા. અનંતાનંદ માં ને જ પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી હતી. વહેલાલમાં આવેલા આ પવિત્ર તીર્થ સમાન પારદેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવો એક લ્હાવો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)