રેલવે સ્ટેશનોનો પુનરુદ્ધાર કરવા ‘યુઝર ચાર્જ’ વસૂલશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવે 700-1050 સ્ટેશનો પર પેસેન્જરોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અને વધુ આવક ઊભી કરવા માટે ‘એફોર્ડબેલ યુઝર્સ ચાર્જીસ’ લગાવવાની યોજના બનાવી રહી છે. જોકે રેલવેની 50 રેલવે સ્ટેશનોને આધુનિકીકરણની પ્રારંભિક યોજના છે. આ સ્ટેશનોના પુનર્વિકાસ માટે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ કરવામાં આવશે.

નીતિ આયોગના CEO અમિતાભ કાંતે ગઈ કાલે કહ્યું હતું કે 2021 સુધીમાં 50 સ્ટેશનોનો પુનર્વિકાસ કરવાનો ઉદ્દેશ છે. જોકે એક પૂર્વ નિર્ધારિત અને ‘એફોર્ડેબલ યુઝર ચાર્જ’ રેલવે દ્વારા સૂચિત કરવામાં આવશે, પણ આ માટે પેસેન્જરો પર કોઈ વધારાનો બોજ નાખવામાં નહીં આવે. રેલવે આ માટે એક લાખ કરોડનું મૂડીરોકાણ કરશે. આ માટે 10 સ્ટેશનો માટે RFQ (request for qualification) મગાવવામાં આવ્યાં છે. ગ્વાલિયર અને સુરત સહિત આઠ સ્ટેશનો માટે ભાગીદારીની ઓફર આવી ગઈ છે, એમ કાંતે વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં કહ્યું હતું.

જોકે એરપોર્ટની જેમ ‘યુઝર ફી’ આ રેલવે સ્ટેશનોના પુનરુદ્ધાર કરવા સુધી સીમિત નહીં અને એને ટૂંક સમયમાં મોટાં સ્ટેશનો પર લાગુ કરવામાં આવશે, જે ફૂટફોલ પ્રોજેક્શનને આધારે હશે, દેશમાં કુલ 7000 સ્ટેશનો છે.રેલવે નેટવર્કના વિસ્તરણની સાથે અમે વધુ ને વધુ સ્ટેશનોનો પુનરુદ્ધાર કરીશું. આ ફી માત્ર 10થી 15 ટકા હશે( 7000 સ્ટેશનોમાં) લાગુ થશે, એમ રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમારે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે આ વપરાશકર્તાઓને જાણ કરવામાં આવશે.

વપરાશકર્તાઓ માટે આ ચાર્જ ફરજિયાતપણે એક ટોકન એમાઉન્ટ છે, જે બધા પેસેન્જરો માટે સુવિધા સારી ઉપલબ્ધ કરવા માટે રાખવામાં આવશે, એમ રેલવે મંત્રાલયના એક અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું હતું. આ સ્ટેશનના વિકાસ પૂરો થવા સુધી માત્ર મેનેજમેન્ટ દ્વારા એકઠો કરવામાં આવશે. આ પહેલાં જો કોઈ ‘યુઝર ચાર્જ’ વસૂલવા માટે જરૂરિયાત હશે તો એ માત્ર રેલવે પાસે જશે અને સામાન્ય પેસેન્જરો માટે સુવિધામાં સુધારો કરવા માટે રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓને સારી સુવિધા આપવા અને આવક ઊભી કરવા માટે ‘યુઝર ફી’ લગાવવામાં આવશે, જેથી સ્ટેશનો પર પેસેન્જરોના ટ્રાફિકનું નિયમન કરવામાં મદદ મળશે.