કોરોના સંક્રમિતોની સંખ્યા 1.31 લાખ અને 3867 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધીને 1,31,868 સુધી પહોંચી ગઈ છે અને 3867 લોકોનાં મોત થયાં છે. આરોગ્ય મંત્રાલય અનુસાર પાછલા 24 કલાકમાં 6767 નવા કેસ સામે આવ્યા છે અને 147 લોકોનાં મોત થયાં છે. આ બીમારીમાંથી 54,441 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. નવા કેસ સામે આવ્યાના મામલે ફરી રેકોર્ડ તૂટ્યો છે. પાછલા 24 કલાકમાં આજે નવો રેકોર્ડ નોંધાયો છે. રિકવરી રેટ વધીને 41.28 ટકા થયો છે.

છેલ્લા એક મહિનામાં એક લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

છેલ્લા એક મહિનામાં એક લાખથી વધુ લોકો આ વાઇરસથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત છેલ્લા એક મહિનામાં આ વાઇરસે 3000થી વધુનો ભોગ લીધો છે. આ સપ્તાહમાં પ્રતિ દિન આશરે 5500 નવા કેસ નોંધાયા છે. ડેટા મુજબ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવેલા લોકોમાંથી કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી ટ્રેનો અને બસોમાંથી આવેલા પ્રવાસી મજૂરો અને સ્ટુડન્ટ્સ તેમના વતન પાછા ફર્યા છે, એમાંથી નવા કેસો સામે આવી રહ્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.