કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 40,000ની નજીક, 83 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં કોવિડ-19 સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો વધીને 39,980 પર પહોંચ્યો છે. અત્યાર સુધી આ વાઇરસે 1301 લોકોનો ભોગ લીધો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. પાછલા 24 કલાકમાં 83 લોકોનાં મોત થયાં છે, જ્યારે 2644 નવા કેસ સામે આવ્યા છે. થોડા રાહતના સમાચાર એ છે કે આ બીમારીમાંથી અત્યાર સુધી 10,633 દર્દીઓ સ્વસ્થ થયા છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 34 લાખને પાર

વિશ્વમાં કોરોના વાઇરસ 187 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં કુલ 34,28,395 કેસો નોંધાયા છે અને આ વાઇરસથી અત્યાર સુધી 2,43,807 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. થોડા રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી આ બીમારીમાંથી 10,92,951 દર્દીઓ સ્વસ્થ થયા છે.

 ‘કોરોના વોરિયર્સ ડે’

દેશમાં સૌથી મોટા દુશ્મન કોરોના વાઇરસની સામે લડી રહેલા કોરોના યોદ્ધાઓને આજે ભારતીય સેનાઓએ વિશેષરૂપે આભાર વ્યક્ત કર્યો હતો. આ યોદ્ધાઓમાં ડોક્ટર્સ, નર્સ, પોલીસ, ડિલિવરી કર્મચારીઓ, બેન્ક કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ અને મિડિયા કર્મચારીઓ સામેલ છે. આ દિવસ બહુ અદભુત છે. સેનાએ કોરાન યોદ્ધાઓનો આત્મવિશ્વાસ વધારી રહી છે. આ એ લોકો છે, જે પોતાનો જીવ જોખમમાં મૂકીને કોરોના પીડિતોની સેવામાં લાગેલા છે. સેનાએ આજના દિવસને કોરોના વોરિયર્સ ડે નામ આપ્યું છે.

દેશમાં કોરોના વાઇરસની રાજ્યવાર નીચે મુજબ રહી હતી.