દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે કરોડને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિન-પ્રતિદિન કોરોના કેસોમાં નવો રેકોર્ડ બની રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,57,229 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં સતત 13મા દિવસે કોરોનાના સાડાત્રણ લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3449 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,02,82,833 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,22,408 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,66,13,292  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,20,289 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 34,47,133 પહોંચી છે. રિકવરી રેટ વધીને 81.91 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.10 ટકા થયો છે.

દેશમાં 15.89 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 15,89,32,921 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 17,08,390 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.