કોરોનાના કેસોની સંખ્યા 89 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 89 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,576 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 585 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 89,58,483 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,31,578  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 83,83,602 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,43,303એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.58 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.

કોરોના કેસનો રાફડો

વડોદરાના નોડલ ઓફિસર શીતલ મિસ્ત્રીએ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે આગામી 15 દિવસમાં કોરોના કેસનો રાફડો ફાટશે. દિવાળીમાં નિયમ ભંગથી સ્થિતિ વિકટ બની રહી છે. તેમણે નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. કોરોના વિસ્ફોટ માટે તહેવારોમાં બજારોમાં લોકોએ માર્ગદર્શિકાનો કરેલ ભંગ કારણભૂત હોવાનો ખુલાસો કર્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.