અમદાવાદમાં કારઅકસ્માતમાં સાઇકલચાલકનું મોત

અમદાવાદઃ શહેરના નહેરુ બ્રિજ પરથી પસાર થતા અજાણ્યા સાઇકલચાલક પર કાર ફરી વળતાં ઘટના સ્થળે જ એનું મોત નીપજ્યું હતું. શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય માટે જુદી-જુદી યોજના હેઠળ સરકારે મોટી સંખ્યામાં વાહનો ભાડે લીધાં છે. આજે ‘ વડીલો ની સુખાકારી’ નામક યોજના ની અલ્ટો કાર લાલ દરવાજાથી આશ્રમ રોડ તરફ જતી હતી એ વેળા એ કારનો સાઇકલ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાઇકલચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જાતાં નહેરુ બ્રિજ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળ પર આવી ઝીણવટ ભરી તપાસ કરી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે એક્સિડન્ટ રિસર્ચ કરતી ટીમ પર આવી પહોંચી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજ દબાણો ના થાય , વાહનો પાર્ક કરી લોકો અડિંગો ના જમાવે એ માટે પોલીસ પેટ્રોલિંગ જરૂરી છે. અજાણ્યા સાઇકલચાલક પર જે કાર ફરી વળી એ ખાનગી ભાડાની કાર પર ‘એએમસી ઓન ડ્યુટી ‘નું કાગળ ચોંટાડવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)