કોરોનાના કેસોની સંખ્યા 86 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 86 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,281 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 512 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 86,36,011 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,27,571  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 80,13,783 લોકો માત આપી ચૂક્યા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,94,657એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

ફાઇઝરની કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 90 ટકા અસરકારક

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની વેક્સિન બનાવવામાં વ્યસ્ત ફાઇઝરે જણાવ્યું હતું કે ત્રીજા તબક્કામાં કોવિડ-19 વેક્સિન 90 ટકા અસરકારક છે. કંપનીએ જણાવ્યું હતું કે વેક્સિન ડેટા પર પ્રારંભિક નજર રાખવાની માલૂમ પડે છે વેક્સિન કોવિડ-19ને અટકાવવા માટે 90 ટકા અસરકારક થઈ શકે છે. કંપનીએ કહ્યું હતું કે કંપની આ મહિનના અંત સુધીમાં અમેરિકી નિયામકોની સાથે વેક્સિનને ઇમર્જન્સીમાં ઉપયોગમાં લેવા માટે અરજી કરવા માટે ટ્રેક પર છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.