કોરોનાના કેસોની સંખ્યા 72 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 72 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 63,509 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 730 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 72,39,390 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,10,586 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 63,01,927 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 74,632 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,26,876એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 86.78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.53 ટકા થયો છે.

 વિટામિન સીનો ઓવરડોઝ નુકસાનકારક

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન કહે છે કે માત્ર વિટામિન સી જ નહીં પરંતુ કોઈ પણ ગોળી ડોક્ટરની સલાહ પર જ લેવી જોઈએ. વિટામિન સી એક એન્ટિઓકિસડન્ટ છે જે લોહીમાં રહેલા લ્યુકોસાઇટ શ્વેત રક્ત કોશિકાઓ માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી છે. આને કારણે શરીરમાં વાઇરસ સામે લડવાની શક્તિ મળે છે, પરંતુ તેમ છતાં  પણ ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ દવા નુકસાનકારક છે.  જો વિટામિન સીનો ઓવરડોઝ લેવામાં આવે તો  પેટમાં બળતરા, ઊલટી, ઝાડા, પેટ ભારે, કબજિયાત જેવી સમસ્યાઓ સર્જાય છે. તેનાથી ગળામાં દુખાવો અથવા શુષ્કતા, માથાનો દુખાવો અને થાક પણ થાય છે. વિટામિન સીની અતિશયતા આંખોમાં શુષ્કતા, બળતરા અને પટલ સ્ટેનિંગનું કારણ બની શકે છે, ગોળીઓનો વધુ માત્રા સ્નાયુઓની જકડાઇ જવા અને બિનજરૂરી પીડા પણ પેદા કરી શકે છે, તેનાથી કિડનીમાં પથરીની સમસ્યા થઈ શકે છે. અને વિટામિન સીનું  વધારે સેવન અને લાંબા સમય સુધી સેવન કરવાથી લીવરને પણ નુકસાન થાય છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.