કોરોના વાઇરસના કેસોની સંખ્યા 70,000ને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસમાં વધારો સતત ચાલુ છે. દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 70,756 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં આ વાઇરસને લીધે 2293 લોકોનાં મોત થયાં છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3604 નવા કેસ નોંધાયા છે અને આ વાઇરસને લીધે 87 લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ વધીને 31.73 ટકા થયો છે. જોકે થોડા રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી આ બીમારીમાંથી 22,455 લોકો સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. જોકે હાલ કોવિડ-19થી સંક્રમિત 44,029 લોકોની સારવાર ચાલી રહી છે.

લોકડાઉનમાંથી ધીમે-ધીમે બહાર આવવું

વડા પ્રધાન મોદીએ રાજ્યોને ધીમે-ધીમે લોકડાઉનમાંથી બહાર આવવાની સલાહ આપતાં કહ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ કોવિડ-19 સામે લડવા માટે સૌથી મોટું હથિયાર છે. તેમણે રાજ્યોના મુખ્ય પ્રધાનોને કોરોના વાઇરસ ગ્રામીણ વિસ્તારોમાં ના ફેલાય એની તાકીદ કરી હતી. આ ઉપરાંત તેમણે આરોગ્ય સેતુ એપ વધુ ને વધુ લોકો ડાઉનલોડ કરે એની હિમાયત કરી હતી.

વિશ્વમા કોરોના કેસોની સંખ્યા 42 લાખને પાર

વિશ્વભરમાં કોરોના કેસોની સંખ્યા 42,55,942 થઈ ગઈ છે અને આ વાઇરસથી અત્યાર સુધી 2,87,332 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

દેશમાં કોરોના કેસોની સંખ્યા રાજ્યવાર આ મુજબ હતી.