રામ નવમીના પાવન પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 એપ્રિલે તમિલનાડુની મુલાકાતે રહેશે અને દેશ માટે ઐતિહાસિક દિવસ બનાવશે. બપોરે લગભગ 12 વાગ્યે, તેઓ દેશના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સમુદ્રી રેલ બ્રિજ નવો પંબન બ્રિજનું ઉદ્ઘાટન કરશે. તેઓ જહાજ અને ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુલના સંપૂર્ણ સંચાલનનું અવલોકન પણ કરશે.જે બાદ તેઓ 12:45 વાગ્યે રામનાથસ્વામી મંદિર જઈ દર્શન અને પૂજા કરશે. અહીંથી તેઓ બપોરે 1:30 વાગ્યે મોટી જાહેરસભાને સંબોધિત કરશે અને 8,300 કરોડના રેલ અને માર્ગ પ્રોજેક્ટ્સના શુભારંભ અને સમર્પણની ઘોષણા કરશે.
ઉલ્લેખનીય છે કે, 550 કરોડના ખર્ચે બનેલ અને 2.08 કિમી લંબાઈ ધરાવતા પુલ માં 99 સ્પાન અને એક 72.5 મીટર લાંબો લિફ્ટ સ્પાન છે, જે 17 મીટર સુધી ઊંચો થઇ શકે છે, જહાજોની અવરજવર માટે અનુકૂળ. પુલમાં ઉપયોગમાં લેવાયેલું પોલિસીલોક્સેન કોટિંગ, સ્ટેનલેસ સ્ટીલ અને ખાસ વેલ્ડીંગ ટેકનિક પુલને લાંબા ગાળે ટકાવી રાખશે, ખાસ કરીને દરિયાઈ વાતાવરણમાં.
પ્રધાનમંત્રીએ જે અનેક નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે, તેમાં NH-40, NH-332, NH-32 અને NH-36ના વિવિધ ભાગોના ચાર-લેન રસ્તાઓનો સમાવેશ થાય છે. આ માર્ગો પર્યટન, યાત્રાધામ, મેડિકલ અને ઔદ્યોગિક વિસ્તારો સુધી ઝડપી અને સરળ જથ્થાબંધ કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ તકે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને નાના ઉદ્યોગોને બજાર સુધી સસ્તી અને ઝડપી ઢળાણ મળશે. ચામડા ઉદ્યોગો અને સ્થાનિક કારખાનાઓને નવી ઉર્જા મળશે. જે સમગ્ર પ્રદેશના વિકાસને વેગ આપશે.
