એ કાલે સવારે 9 કલાકે મોદીસાહેબનો સંદેશ…

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે નવ કલાકે ફરી એક વાર રાષ્ટ્રને સંબોધિત કરશે. કોરોના મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ ત્રીજું સંબોધન હશે. વડા પ્રધાને ટ્વીટ કરીને લખ્યું હતું કે તેઓ દેશવાસીઓ માટે એક વિડિયો સંદેશ જારી કરશે. આ પહેલાં કોરોના સંકટને લઈને બે વાર રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે. આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચ અને 19 માર્ચે રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે. 24 માર્ચે રાત્રે વડા પ્રધાને દેશમાં 21 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી.  

કોરોનાની હજી સુધી વેક્સિન નથી બની

19 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસથી દેશમાં વર્તમાન પરિસ્થિતિને લઈને દેશને સંબોધિત કર્યો હતો. તેમણે દેશવાસીઓથી કોરોનાની સામે લડવાનો સંકલ્પ લેવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાછલા કેટલાક દિવસોથી એવું લાગી રહ્યું છે કે આપણે આ કોરોના સંકટથી બચી ગયા છે, બધું બરાબર છે, પણ અત્યાર સુધી વિજ્ઞાન કોરોના રોગચાળાથી બચવા માટે કોઈ અસરકાર ઉપાય નથી, ના તો કોઈ અસરકારક વેક્સિન બનાવવામાં આવી. આનો સામનો સજાગ અને સંયમ રાખકવાની જરૂર છે. તેમણે દેશના લોકોએ 22 માર્ચએ એક દિવસ માટે જનતા કરફ્યુ કરવાની અપીલ કરી હતી.  

ભારતમાં કોરોના સંકટ સતત વધી રહ્યું છે. દેશમાં કોવિડ-19ના કેસ વધીને 1,965 થઈ ગયા છે અને અત્યાર સુધી આ રોગથી 50 લોકોનાં મોત થયાં છે. જોકે આ રોગથી 150 લોકો મુકક્ત પણ થયા છે. જોકે પાછલા 24 કલાકકમાં 328 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત પાછલા 24 કલાકમાં 12 લોકોનાં મોત થયાં છે.