એનએસઈ ફાઉન્ડેશને શ્રીનગરસ્થિત લશ્કરી હોસ્પિટલમાં અત્યાધુનિક સીટી સ્કેન સેન્ટર સ્થાપ્યું

શ્રીનગરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમનએસઈઆઈએલ)ની કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી એક્ટિવિટી કરતા એનએસઈ ફાઉન્ડેશને ભારતીય લશ્કરના શ્રીનગર સ્થિત પ્રતિષ્ઠિત 92 બેઝ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક સીટી સ્કેન વિંગની સ્થાપના કરી છે. આ વિંગનું ઉદઘાટન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના હસ્તે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ (15 કોર્પ્સ કમાન્ડર) અને એનએસઈઆઈએલના એમડી અને મેનેજિંગ ડિરેક્ટર આશિષકુમાર ચૌહાણની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

92 બેઝ હોસ્પિટલ્સ 598 બેડ્સ ધરાવે છે, જ્યાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સારવાર પૂરી પાડવામાં આવે છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે આ અત્યાધુનિક સીટી સ્કેનની આવશ્યકતા હતી. એનએસઈ ફાઉન્ડેશન હોસ્પિટલ સુવિધાઓ અપગ્રેડ કરી રહયું છે, જે અહીંના લોકોને અતિ ઉચ્ચ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડશે.

15 કોર્પ્સના કમાન્ડર જુરલ રાજીવ ઘાઈએ કહ્યું કે હોસ્પિટલ માટે આ એનએસઈ ફાઉન્ડેશને મહત્ત્વની આરોગ્ય સુવિધાઓ માટે ઉચ્ચ ટેક્નોલોજી માળખું પૂરું પાડવાની કામગીરી કરી છે એ બદલ હું ભારતીય લશ્કર વતી એનએસઈ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવું છું.

દેશની સીમાના રક્ષણની નિઃસ્વાર્થ સેવા કરતા સશસ્ત્ર દળોના કલ્યાણ માટે એનએસઈ પ્રતિબદ્ધ છે. આપણા સૈનિકોના કલ્યાણ માટે કામ કરવાની અમને જે તક મળી છે એ અમારા માટે મોટું સન્માન છે , એમ એનએસઈઆઈએલના એમડી આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું.