સ્થાનિક નેતાઓએ વ્યક્તિગત હિતો સર્વોપરી રાખ્યાં, એટલે હાર્યાઃ ગાંધી

નવી દિલ્હીઃ હરિયાણા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપની ત્રીજી વાર જીત થઈ છે, જ્યારે કોંગ્રેસની સજ્જડ હાર થઈ છે. આ હારને લઈને કોંગ્રેસ પાર્ટીની સમીક્ષા બેઠક થઈ હતી, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્થાનિક નેતાઓ પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમણે વ્યક્તિગત હિતોને વધુ મહત્ત્વ આપ્યું હતું.

આ બેઠક કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને પર થઈ હતી, જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સિવાય મહા સચિવ કેસી વેણુગોપાલથી માંડીને હરિયામા પ્રદેશઅધ્યક્ષ દય ભાણ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, પ્રભારી દીપક બાબરિયા અને હરિયાણાના પ્રભારી અશોક ગહેલોત પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીની આ બેઠક કોઈ પણ પરિણામ વગર ખતમ થઈ હતી. . હારના મંથન માટે કમિટી બનાવવામાં આવશે.

રાહુલ ગાંધી હરિયાણામાં મળેલી હાર મુદ્દે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે હરિયાણામાં નેતાઓનો વ્યક્તિગત રસ સૌથી પર રહ્યો, જેને કારણે પાર્ટી માટે કોઈ મહેનત ના કરી.આ બેઠકમાં તેઓ સ્થાનિક અને રાજ્યના નેતૃત્વ પર સૌથી વધુ નારાજગી વ્યક્ત કરી હતી. આ બેઠક અડધા કલાકમાં ખતમ થઈ હતી. ભૂતપૂર્વ CM હુડ્ડા અને કુમારી શૈલજાના મતભેદો પર માકને કહ્યું હતું કે હારનાં અનેક કારણો છે. જે ચૂંટણી પંચથી માંડીને નેતાઓના મતભેદ સુધી છે. આજની બેઠકમાં અમે આગળની વ્યૂહરચના પર વિચારવિમર્શ કર્યો હતો. આગળ પાર્ટી જે પણ નિર્ણય લેશે એની માહિતી કેસી વેણુગોપાલ આપશે, એમ તેમણે કહ્યું હતું.