લોકડાઉન 2.0 પર આ નેતાઓએ શું કહ્યું?

નવી દિલ્હી: કોરોના વાઈસને કારણે દેશમાં ચાલી રહેલા લોકડાઉને હવે આગામી 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. વડાપ્રધાને આ જાહેરાત કરતા કહ્યું કે, કોરોના માહામારીને ફેલાતી અટકાવવા માટે આ ખૂબ જ જરૂરી છે. લોકડાઉન 2.0ની જાહેરાત પછી દેશના નેતાઓએ પણ ટ્વિટ કરીને તેમની લોકડાઉન અંગે તેમની પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, આ ખરાબ સમયમાં ડોક્ટરો, નર્સો, સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ, સ્વચ્છતા કર્મીઓ, પોલીસ અને તમામ જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને હું સલામ કરું છું.

નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ મોદીની જાહેરાત પર કહ્યં કે, આપણે સાવચેત રહેવું પડશે કે કોઈ નવું કોરોના હોટસ્પોટ સામે ન આવે. આપણે સાવધાન રહેવું પડશે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કહ્યુ કે, ગઈકાલે ફ્રાંસમાં પણ લોકડાઉનને 15 મે સુધી લંબાવવામાં આવ્યું છે. ઈટલીએ 3 મે સુધી, સ્પેને 25 એપ્રિલ સુધી લંબાવ્યું છે. અમેરિકામાં તમામ 50 રાજ્યોમાં લોકડાઉન પ્રતિબંધ હેઠળ ચાલી રહ્યું છે. બ્રિટનમાં 3 સપ્તાહ સુધી લોકડાઉન રહ્યું અને હજુ આગામી 3 સપ્તાહ સુધી ચાલુ રહે તેવી આશા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તમામ રાજ્યો કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે તેના વખાણ કર્યા હતા. લોકોને લોકડાઉનો ચૂસ્ત પાલન કરવા અપીલ કરી હતી.

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ લોકડાઉન વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણય ટીકા કરતું ટ્વીટ કર્યું છે.

તો ભાજપા સાંસદ ગૌતમ ગંભીરે લોકડાઉન લંબાવવાના નિર્ણનું સ્વાગત કરતા લખ્યું કે, 21 દિવસ સુધી જેમ પાલન કર્યું એવું જ હજુ થોડા દિવસો સુધી કરીશું. અને લોકોને લોકડાઉનના દિશાનિર્દેશોનું પાલન કરવા અપીલ કરી હતી.

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ લોકડાઉન વધારવાના નિર્ણય અંગે ટ્વીટ કર્યું કે, ચાલો આપણે બધા પીએમનું અનુસરણ કરીએ. કોરોનાને હરાવવામાં પીએમ મોદીની જે સલાહ છે તેનું પાલન કરીએ.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પછી એક વીડિયો મારફતે લોકડાઉન લંબાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે ટ્વીટમાં લખ્યું કે, પ્રધાનમંત્રી આપણા બધાની પીડા અંગે જાણે છે, તેમણે જે પગલા લીધા છે તે આપણી સુરક્ષા માટે છે, નહીતર આપણી સ્થિતિ પણ ચીન, ઈટલી ,બ્રિટન અને અમેરિકા જેવી થઈ જાત. ઘરે રહો સુરક્ષિત રહો.

રાજનાથ સિંહે ટ્વીટમાં લખ્યું કે, આ નિર્ણય ભારતવાસીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

રેલવે મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરતા લખ્યું કે, લોકડાઉન 3 મે સુધી લંબાવવાના નિર્ણયમાં પીએમ મોદીની દૂરદર્શિતા દેખાઈ છે. આ નિર્ણય લોકોની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. લોકડાઉનને કારણે કોરોના વાઈરસને નવા વિસ્તારમાં ફેલાતો અટકાવી શકાશે.