PM Cares ફંડમાં દાન કરી વખતે નકલી ખાતું ન હોય અ ધ્યાન રાખજો

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીથી ઉત્પન્ન ચિંતાનજક સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદીની અપીલ બાદ હવે લોકો પોતાની રીતે મદદ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત કોષના નામથી બનાવેલા ટ્રસ્ટની બેંકની વિગતો પણ જાહેર કરી હતી કે જેમાં ભીમ એપ દ્વારા પણ મદદ કરી શકાય છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે ઠગ લોકોએ પીએમ કેર નામથી એક નકલી આઈડી બનાવી લીધું છે અને આ નકલી આઈડીને ફેલાવવામાં આવી રહ્યું છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ ટ્વીટ કરતા કહ્યું કે, લોકોએ આ પ્રકારના ઠગોથી સાવધાન રહેવાની જરુર છે.

પીએમ કેર નામ પર એક ફેક યૂપીઆઈ આઈડી ફેલાવવામાં આવી રહ્યું છે, તો જો તમે પણ દાન કરવા માંગતા હોય કો 100 ટકા સાચવજો, ક્યાંક ફેક આઈડીમાં તમે ભૂલથી ઠગ લોકોને પોતાની રકમ ન આપી દેતા. વડાપ્રધાન મોદીના પીએમ કેર્સ ફંડ #PMCaresfunds નું સાચુ યૂપીઆઈ આઈડી pmcares@sbi છે. વડાપ્રધાન આ ટ્રસ્ટના અધ્યક્ષ છે અને આના સભ્યોમાં રક્ષા મંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ આ કોષમાં લોકોને દાન આપવાની અપીલ કરી છે. અને વડાપ્રધાન મોદીની આ અપીલની અસર જોવા મળી છે અને લોકોએ દાન આપવાનું શરુ કરી દીધું છે.

પીએમ કેર ફંડમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ, બેંકિંગ યૂપીઆઈ (ભીમ, ફોન પે,એમેઝોન પે, ગૂગલ પે, પેટીએમ, મોબિક્વિક સહિતનો સમાવેશ થાય છે) આરટીજીએસ/એનઈએફટીના ઉપયોગથી પણ આપ દાન કરી શકો છો. આ કોષમાં આપવામાં આવતી રકમ પર કલમ 80(જી) અંતર્ગત ઈનકમ ટેક્સમાંથી છૂટ આપવામાં આવે છે. નાગરિક અને સંગઠન વેબસાઈટ પીએમ ઈન્ડિયા, જીઓવી આ સાઈટ પર જઈને આપ પીએમ કેર્સ ફંડમાં દાનની વિસ્તૃત જાણકારી મેળવી શકો છો.

પીએમ કેયર્સ ફંડમાં દાન કરો

  • અકાઉન્ટનું નામઃ-     પીએમ કેર્સ
  • અકાઉન્ટ નંબરઃ-      2121PM20202
  • આઈએફએસસી કોડઃ-     SBIN0000691
  • સ્વિફ્ટ કોડઃ-               SBININBB104
  • બેંકનું નામ અને બ્રાંચઃ-   સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, નવી દિલ્હી, મુખ્ય બ્રાંચ
  • યૂપીઆઈ આઈડીઃ-        pmcares@sbi
  • pmindia.gov.in નો ઉપયોગ કરીને આપ દાન કરી શકો છો.