કોરોનાના 14,199ના નવા કેસ, 83નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના નવા કેસ વધી રહ્યા છે. જોકે દેશમાં નવા કેસો ઘણા સમયથી 20,000થી નીચે આવી રહ્યા છે. એ સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.10 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 14,199 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 83 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,10,05,850 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,56,385 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,06,99,410  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 9,695 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,50,055 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.26 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો

દેશમાં કોરોના વાઇરસે ફરીથી માથું ઊંચક્યું છે. મહારાષ્ટ્રના 34 જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત કર્ણાટકના 16, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, ગુજરાત અને બિહારના 4-4 જ્યારે કેરળના બે જિલ્લાઓમાં કોરોના કેસોમાં વધારો થયો છે. દેશમાંથી મળેલા કુલ 14 હજાર નવા કેસ મળ્યા છે, જેમાં અડધા એટલે કે સાત હજારથી વધુ દર્દી માત્ર મહારાષ્ટ્રમા; મળ્યા છે.

 દેશમાં 1.11 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,11,16,854 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 31,681 કોરોના રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.