કોરોનાના 69,921 નવા કેસ, 819નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 69,921 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 819 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 36,91,167 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 65,288 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 28,39,882 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,85,996 પહોંચી છે. રિકવરી રેટ વધીને 77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 ટકા થયો છે. 

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.