સી રાજગોપાલાચારીના પ્રપૌત્રએ ભાજપ જોઇન્ટ કર્યો

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને સ્વતંત્ર ભારતના પહેલા ભારતીય ગવર્નર-જનરલ સી રાજગોપાલાચારીના પ્રપૌત્ર સીઆર કેસવન ભાજપમાં સામેલ થયા છે. હાલમાં કેસવને કોંગ્રેસ ર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.કેસવને 23 ફેબ્યુઆરી, 2023એ કોંગ્રેસમાં એ કહેતાં રાજીનામું આપ્યું હવે એ મૂલ્યોના અવશેષ પણ નથી બચ્યા, જેમણે બે દાયકાઓથી વધુ સમય સુધી પાર્ટી માટે કામ કરવા માટે પ્રેરિત કર્યા હતા.

ભાજપમાં સામેલ થયા પછી કેસવને કહ્યું હતું કે હું વિશ્વની સૌથી મોટી રાજકીય પક્ષ-ભાજપમાં સામેલ કરવા માટે આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને એ દિવસે જ્યારે વડા પ્રધાન તામિલનાડુમાં હતા. તેમણે કહ્યું હતું કે હું એ દિશામાં કામ કરીશ કે ભારત 2047 સુધીમાં વિશ્વગુરુ બની જાય. મારું એ જ યોગદાન રહેશએ, જે રામસેતુ બનવા માટે ખિસકોલીએ આપ્યું હતું.

કેસવને 2001માં કોંગ્રેસનું સભ્યપદ લીધું હતું. તેઓ એ દરમ્યાન રાજીવ ગાંધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટના ઉપાધ્યક્ષ પણ રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીને દક્ષિણમાં ત્રણ દિવસમાં ત્રણ આંચકા લાગ્યા છે. કેસવન પહેલાં ગુરુવારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની અને એ પછી શુક્રવારે આંધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુક્ય પ્રધાન કિરણકુમાર રેડ્ડીએ ભાજપપ્રવેશ કર્યો હતો.

કોણ હતા સી રાજગોપાલાચારી?

દેશના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક સી રાજગોપાલાચારી ભારતના પહેલા ગવર્નર-જનરલ હતા. તેઓ એ સિવાય મદ્રાસ પ્રેસિડેન્સીના પ્રમુખ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, ભારતીય સંઘના ગૃહ મામલાઓના મંત્રી અને મદ્રાસ રાજ્યના મુખ્ય પ્રધાન હતા. તેઓ ભારતન રત્ન પ્રાપ્ત કરવાવળા પહેલી વ્યક્તિઓમાંના એક હતા.