અમિતાભ બચ્ચનનું આ ટ્વીટ થયું વાયરલ

નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચન પણ અત્યારે દેશના તમામ લોકોની જેમ ઘરમાં જ બંધ છે. બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સતત પોતાના ફેન્સ સાથે સંપર્કમાં છે. તેમના ટ્વીટ ખૂબ વાયરલ થાય છે અને ઘણીવાર તેઓ ટ્રોલ્સના નિશાને પણ આવી જાય છે. દેશમાં કોરોના વાયરસને લઈને સંપૂર્ણ લોકડાઉનનો આજે નવમો દિવસ છે. અમિતાભ બચ્ચનનું એક ટ્વીટ ખૂબ વાયરસ થયું છે કે જેમાં તેમણે એક રસપ્રદ વાત કહી છે.

અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું છે કે, તેમનું કામ બોલવાનું છે અને આપણું કામ કરવાનું. તેઓ કરી શકતા હોત તો તેમની પાસે સમય ના હોત બોલવાનો, તેઓ એટલા માટે બોલે છે કારણ કે કંઈ જ ન કરવાના કારણે તેમને બોલવાનો સમય મળે છે. આ સ્વભાવ ખોટો નથી, હું તો તેમના વખાણ કરું છું. જો તેઓ ન બોલતા હોત તો આપણને કેવી રીતે ખબર પડત કે આપણે કંઈક કરી રહ્યા છે, હસતા ચહેરા સાથે.