પ. બંગાળના બાગડોરા એરબેસ નજીક ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયુ. સદનસીબે, તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. ઘટના બનતાની સાથે જ વાયુસેના અને બચાવ ટીમોએ ત્વરિત કામગીરી શરૂ કરી.
આ દુર્ઘટનાથી પહેલા હરિયાણામાં એરફોર્સનું જેગુઆર ફાઈટર જેટ પણ ક્રેશ થયું હતું. પાઇલટે પેરાશૂટ દ્વારા ઈજેક્ટ થઈને સુરક્ષા મેળવી, અને વિમાન સુનસાન વિસ્તારમાં લેન્ડ થવાને કારણે મોટી જાનહાનિ ટળી. એક જ દિવસે બે વિમાન દુર્ઘટનાઓ થતા વાયુસેનાની ચિંતાઓ વધી ગઈ છે. બંને ઘટનાઓના કારણો જાણવા ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરાઈ છે.
#BREAKING: Two IAF accidents in a single day. After Jaguar crash in Ambala of Haryana earlier today, now an AN32 aircraft of Indian Air Force has crash landed in Bagdogra of West Bengal. Crew of the aircraft is safe. Efforts are on to recover the aircraft from the site.… pic.twitter.com/IOgPI7blQW
— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 7, 2025
