કોરોનાના 9195 નવા કેસ, 303નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 781એ પહોંચી છે, જેમાં 241 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે.  ઓમિક્રોનના કેસો 21 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ દિલ્હીમાં 238 નોંધાયા છે અને બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 167 કેસો છે. દિલ્હીમાં યલો એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં સ્કૂલ-કોલેજ, થિયેટર અને જિમને તત્કાળ અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઓમિક્રોનના જોખમ વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 9195  નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનાએ 44.6 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 302  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,48,08,886 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,80,592 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,42,51,292 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 7347 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 77,002એ પહોંચી છે, જે 579 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.40 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.38 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,67,612 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 67.52 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 143.15 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,43,15,35,641 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 64,61,321 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.