કોરોનાના 86,821 નવા કેસઃ 62 લાખ કેસો 135 દિવસમાં

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 63 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 86,821 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1181 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 63,12,584 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 98,678 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 52,73,201 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,40,705 પહોંચી છે. પાછલા 24 કલાકમાં 74,893 દર્દીઓ ઠીક થયા છે. રિકવરી રેટ વધીને 83.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.56 ટકા થયો છે.

63 લાખ કેસો 245 દિવસમાં

કોરોના વાઇરસનો પ્રકોપ છેલ્લા કેટલાય દિવસોથી વિશ્વમાં કેટલાય મહિનાઓથી આતંક મચાવી રહ્યો છે. આ રોગની ચપેટમાં આવનારા લોકોની સંખ્યા એક લાખે પહોંચવામાં 110 દિવસ લાગ્યા હતા,પણ 63 લાખે પહોંચવામાં  245 દિવસ લાગ્યા છે. આમ 62 લાખ કેસો માત્ર 135 દિવસ લાગ્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.