કોરોનાના 8488 નવા કેસ, 249નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 8488 નવા કેસ સામે આવ્યા છે, જે છેલ્લા 538 દિવસોમાં સૌથી ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 249 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,45,18,901 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,65,911 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,39,34,547 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 12,510 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,18,443એ પહોંચી છે, જે છેલ્લા 534 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.31 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.35 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 7,83,567 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 62.36 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 116.87 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,16,87,28,385 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 32,99,337 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.