કોરોનાના 7350 નવા કેસ, 202નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 7350 નવા કેસ સામે આવ્યા છે. એ સંખ્યાની રવિવારે તુલનામાં 5.5 ટકા ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 202 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,46,97,860 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,75,636 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,41,30,768 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 7973 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 91,456એ પહોંચી છે, જે 561 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.37 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 8,55,692 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 64.17 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 133.17 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,33,17,84,462 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 76,36,569 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.