કોરોનાના 62,224 વધુ નવા કેસ, 2542નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 62,224 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2542 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,96,33,105 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,79,573  લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,83,88,100 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,07,628 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,65,432એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.07 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.25 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 19,30,987 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 3.22 ટકા છે.

દેશમાં 26.19 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 26,19,72,014 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 28,00,458 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.