દેશમાં કોરોનાના 52,123 નવા કેસો, વિશ્વમાં 2.80 લાખ નવા કેસો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 52,123 નવા કેસ સામે આવ્યા છે અને 775 લોકોનાં મોત થયાં છે. દેશમાં ગઈ કાલે સૌપ્રથમ વાર કોવિડ-19ના સંક્રમણના 50,000 નવા કેસ નોંધાયા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 15,83,792 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 34,968 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 10,02,582 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,28,242એ પહોંચી છે. રિકવરી રેટ 64.25 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં 1,81,90,382 ટેસ્ટ

29 જુલાઈ સુધીમાં કોવિડ-19ના કુલ 1,81,90,242 સ્મ્પલોના ટેસ્ટિંગ થઈ ચૂક્યાં છે, એમ ICMRએ કહ્યું હતું.

વિશ્વમાં કોરોના પાછલા 24 કલાકમાં 2.80 લાખ કેસ

વિશ્વમાં અત્યાર સુધી 213 દેશોમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. અમેરિકા, બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં કોરોનાની સંખ્યા ઝડપથી વધી રહી છે. વિશ્વમાં પાછલા 24 કલાકમાં 2.80 લાખ નવા કેસ નોંધાયા છે અને 6649 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં અત્યાર સુધી 1.71 કરોડ લોકોના સંક્રમણના કેસ નોંધાયા છે અને 6.69 લાખ લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.